SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ અભાવમાં પણ જે મારો ભાઈ પણ હણાયો અને જુઓ કે શ્રવણેન્દ્રિય તેને કેવી અનર્થ ફળવાળી થઈ ? તે વખતે સચીવે જે કહ્યું હતું તે તેમ જ થયું. એક પણ ઇન્દ્રિય જો આ પ્રમાણે અનર્થ ફળને આપે છે તો આ લોકમાં આજે પણ ઘણાં અંતરંગ શત્રુઓ રહે છે. રાગદ્વેષ, કષાયો અને બીજી ચક્ષુ આદિ ઇન્દ્રિયો, અજ્ઞાન, કામ વગેરે, હિંસા, જૂઠ વગેરે અનર્થોથી નિરંતર આ સંસાર ભરેલો છે. અને મોક્ષનું સ્થાન હોવા છતાં શું મંદ (જડ) પણ અહીં (સંસારમાં) રહે ? અર્થાત્ મંદ પણ આ સંસારમાં એક ક્ષણ પણ રહેવા તૈયાર ન થાય તો પછી જે સંવેગી છે તે સુતરામ એક ક્ષણ રહેવા તૈયાર ન થાય. (૫૯) એ પ્રમાણે વિચારીને પછી મહાબલ રાજા તે જ કેવળી પાસે દીક્ષાને ગ્રહણ કરે છે. ઇન્દ્રિય, કષાય વગેરે સર્વ મોહ સૈન્યને જ દળીને નિરપાય એવા સિદ્ધ સ્થાનને જલ્દીથી પ્રાપ્ત કર્યું. ઇન્દ્રિયને પરવશ એવો રામ આગળ અનંત સંસારમાં ભમશે અંતે પણ ક્યારેક કષ્ટથી બોધિને પ્રાપ્ત કરશે. (૨) હવે ચક્ષુરિન્દ્રિયના વિપાકમાં શ્રેષ્ઠી પુત્રનું કથાનક કહેવાય છે તે આ પ્રમાણે છે શ્રેષ્ઠી પુત્રનું કથાનક વિશાળ ઉન્નતિને પામેલું સર્વ જનને અભિલાષ કરવા યોગ્ય અને શ્રેષ્ઠ તરુણીના વક્ષ સ્થળ જેવું રમણીય એવું વિજયપુર નામનું નગર છે. તેમાં ગરુડની જેમ કરાયો છે વિજય જેના વડે તથા વિષ્ણુ (કૃષ્ણ)ની જેમ સ્વાધીનતા સારને પામેલો એવો વિશ્ર્વભર નામનો રાજા છે તેનો કુશલમતી નામે અમાત્ય છે અને યશોધર નામે શ્રેષ્ઠી વસે છે અને આ ત્રણેયને એવી પ્રીતિ છે કે તેઓ પરસ્પર એક ક્ષણના વિયોગને ઇચ્છતા નથી અને ભોજનાદિથી પરસ્પરની ભક્તિને કરતાં તેઓનો કાળ પસાર થાય છે. પછી દરેકને એકેક પુત્ર થયો અને તે ત્રણેયના પુત્રો સાથે ભણે છે, સાથે ભોજન કરે છે, સાથે ભમે છે અને રાજાની પાસે સાથે જાય છે. (૫) હવે કોઈક વખત સચિવે શ્રેષ્ઠીને કહ્યું કે તમારો પુત્ર રાજાને ઘરે જાય છે તે સારું નથી કારણ કે તે રાજાની, મારી અને તમારી પ્રીતિનો છેદ કરશે. પછી શ્રેષ્ઠીએ કહ્યું કે હે અમાત્ય ! શું કારણ છે ? પછી મંત્રી પણ કહે છે કે આ તારો પુત્ર સ્ત્રીઆદિના જે જે રમણીય રૂપને જુવે છે તે તે વિશે દૃષ્ટિને લઈ જઈ લાંબો સમય સુધી જોતો રહે છે. અને મેં તેને એમ કરતા અનેકવાર જોયો છે તેથી મને નિશ્ચય થયો છે કે આ ચંચળ આંખવાળો પ્રૌઢપણાને પામેલો અહીં રાજકુળમાં જતો આ વિનાશને કરશે એમ હું સંભાવના કરું છું તેથી તેને પકડીને કોઈપણ રીતે ઘરે રાખો. પછી શ્રેષ્ઠી તેમજ કરે છે તો પણ પકડીને ધારણ કરાતો હોવા છતાં ઘરે રહેતો નથી, ચક્ષુરિન્દ્રિયને પરવશ થયેલો આ રાજકુળોમાં જાય છે. પછી રાજાએ પણ તેને ઓળખ્યો અને આ લોલાક્ષ છે એમ જાણી પ્રતિહારને સૂચન કરીને પોતાના ઘરે આવતો બંધ કરાવ્યો. (૧૨) અને પછી નગરની અંદર બીજા બીજા શ્રેષ્ઠ રૂપોને જોતો ભટકે છે. પછી લોકોએ તેનું નામ તરલાલ કર્યું. પછી યૌવનને પામેલો આ ઘણો વિનાશ કરે છે અને પિતા ઉપાલંભને પામે છે. (૧૪). હવે ચિંતાસાગરમાં પડેલા શ્રેષ્ઠીને જોઈને વણિકપુત્રો કહે છે કે તમારા આદેશથી અમે આને વહાણમાં બેસાડીને દેશાંતર લઈ જશે. શ્રેષ્ઠીએ રજા આપી અને વણિક પુત્રોએ તેમજ કર્યું અને દેશાંતરમાં પણ ચક્ષુરિન્દ્રિયને પરવશ થયેલો આ રૂપાદિને જોતો ભટકે છે. પછી કોઈક વાર ક્યાંક દેવકુલમાં પૂરળીઓ જોઈ.અતિ-અદ્ભુત રૂપ હોવાથી તે જોતો રહે છે. પરવશ થયેલો ભોજનાદિને કરતો નથી. પછી કોઈક બુદ્ધિમાન વણિકપુત્રે પથ્થરની પ્રતિમા સમાન બીજી વસ્ત્રમય પુતળીઓ સ્થાપે છે અને તરલાક્ષ વસ્ત્રમય પુતળીઓને પણ જોતો રહે છે. પછી વણિક પુત્ર વસ્ત્રમય પુતળીઓને પોતાના આવાસે લઈ ગયો અને તેની
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy