SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ इह श्रोत्रस्य विनाशहेतुत्वे राजसुतो दृष्टान्तः, तद्यथा અહીં શ્રોત્રેન્દ્રિય ભાવપ્રાણના વિનાશનો હેતુ છે તેમાં રાજપુત્રનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે રાજપુત્ર કથાનક - ૫૩ ઐરાવણ હાથીના મુખની જેમ શ્રેષ્ઠ રત્નવાળું બ્રહ્મસ્થળ નામનું નગર છે અને તેમાં કુવલયને* આનંદ આપનાર ચંદ્રની જેમ ભુવનને આનંદ આપનાર ભુવનચંદ્ર નામે રાજા છે. ચાર પ્રકારની મતિથી યુક્ત અમરગુરુ નામનો ત્યાં મંત્રી છે. રામ નામે રાજાનો પુત્ર છે. કલાગ્રહણ પુરૂં થયું એટલે લેખાચાર્યે રાજાને સુપ્રત કર્યો. રાજાએ પણ આને યુવરાજ પદ આપું એમ મંત્રીને પુછ્યું. મંત્રીએ કહ્યું કે હે દેવ ! આ રાજપદને યોગ્ય નથી. રાજાએ પુછ્યું કે આનો શો દોષ છે ? પછી મંત્રી કહે છે કે બાળપણથી આને શ્રોત્રેન્દ્રિય વશમાં નથી. અને અવશ ઇન્દ્રિયપણું સર્વ અનર્થોનું મૂળ છે. (૫) પછી રાજાએ પુછ્યું કે હે સચીવ ! તેં કેવી રીતે નિશ્ચય કર્યો ? તે કહે છે કે હે દેવ ! આ બાળપણમાં મારે ઘરે ઘણીવાર આવતો ત્યારે ડુંબ વગેરે ગાયકોના સ્વરમાં અને બીજા પણ સુખ આપનારા શબ્દોમાં પોતાની શ્રોત્રેન્દ્રિયને ધરીને લાંબો સમય સુધી સાંભળતો મેં જોયો છે. તેથી મેં નિશ્ચય કર્યો છે કે આને શ્રવણેન્દ્રિય વશમાં નથી. પછી કંઈક હસીને રાજાએ કહ્યું કે સદાકાલ પણ તારી બુદ્ધિ અનુત્તર છે. આ વચન અયુક્ત છે એમ કહેવા અમે શક્તિમાન નથી પરંતુ અમારા ચિત્તમાં આ દોષ વસતો નથી કેમકે રાજપુત્રોને ગીતાદિનો અભિલાષ હોય તો અહીં વિરુદ્ધ શું છે ? જેથી આ ઘણાં ગીતોને સાંભળશે તો પણ બાકીનું શું અયુક્ત કાર્ય કરશે ? જેથી રાજ્યમાં તેની અયોગ્યતા થાય. (૧૧) પછી અમાત્યે કહ્યું કે જે પ્રમાણે દેવ કહે છે તે તેમ જ છે ઇન્દ્રિય વર્ગમાં કોઈપણ ઇન્દ્રિય લઘુ દોષવાળી નથી. જે આ સર્વ દોષો શરૂઆતમાં જ નાના દેખાય છે પણ પ્રકર્ષને પામેલા આ સર્વ પણ દોષો મોટા થાય છે જેવી રીતે અગ્નિનો કણીયો પણ પ્રસરતો ગામ નગરોને બાળે છે તેમ એકેક ઇન્દ્રિય પણ પ્રસરતી સમગ્રગુણ સમૂહને મૂળમાંથી જ નાશ કરે છે. જેવી રીતે એકલી શ્રોત્રેન્દ્રિયથી હ૨ણ મરણ પામે છે, પતંગીયું ચક્ષુરિન્દ્રિયથી વિનાશ પામે છે, ભ્રમરો ઘ્રાણેન્દ્રિયથી અને માછલું રસનેન્દ્રિયથી વિનાશ પામે છે. હાથી વગેરે સ્પર્શેન્દ્રિયથી નાશ પામે છે એમ એકેક ઇન્દ્રિય પણ સર્વ દોષોનો ભંડાર છે તેથી હે દેવ ! સામાન્ય જન પણ વશેન્દ્રિય હોય તો સુખી થાય છે અને તેમાં પણ રાજાઓ વિશેષથી વશેન્દ્રિય હોય તો સુખી થાય છે. તે અવશેન્દ્રિયોની અયશઢક્કા સકલ જગતમાં વાગે છે. અને અતિદુર્લભ વિસ્તીર્ણ રાજ્ય લક્ષ્મી નાશ પામે છે. જેઓનું નામ પણ કોઈ જાણતું નથી એવા સામાન્ય જનોનું શું નાશ પામે ? તેથી હે દેવ ! આ દોષને મનમાં નાનો ન માનો. (૧૯) આનો નાનો ભાઈ જે હમણાં તમારો પુત્ર જન્મ્યો છે તે સંપૂર્ણ રાજલક્ષણોથી યુક્ત છે એમ મારાવડે જણાયું છે. તેથી આ યુવરાજ પદ તેને જ ઉચિત છે એમ અમને લાગે છે. પણ આ રામ રાજ્યનું પાલન નહીં કરી શકે અને મૂળથી નાશ ક૨શે એ પ્રમાણે યુક્તિ સંગત વચનને પણ તે મંત્રીએ કહ્યું ત્યારે રાજા વિચારે છે કે અહો ! અમાત્યનું કુમતિપણું કેવું છે તે જુઓ કે જે પ્રૌઢ ભણેલી કળાવાળા તથા રૂપાદિગુણોથી યુકત એવા પુત્રને છોડીને કાલે જન્મેલા પુત્રને રાજ્ય અપાવે છે એ પ્રમાણે ભવિષ્યને નહીં જાણનારો અને વર્તમાન માત્રને જાણનારા રાજાએ ભવિતવ્યતાના વશથી મોટા પુત્રને જ પોતાના પદે સ્થાપન કર્યો. (૨૪) પછી પિતા મરે છતે કાળે કરી રામ જ રાજા થયો અને અમાત્યે નાનાભાઈને યુવરાજ પદે સ્થાપન કર્યો તથા કુમા૨ને ચંદ્રના પક્ષમાં કુવલય એટલે કુમુદ અને રાજાના પક્ષમાં કુવલય એટલે પૃથ્વીમંડળ.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy