________________
રપ૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
આદેશથી તેને શૂળીપર ચઢાવાયો અને રાજાએ જિનદાસને બોલાવીને પુછ્યું કે તે કોષો કેમ ન ખરીદી ? તેણે કહ્યું કે હે દેવ ! મારું લે-વેચનું પરિમાણ તૂટે છે અને નિયમનો ભંગ થાય છે. (૧૯) તેથી મેં લેવાની ના પાડી. આ સાંભળીને ખુશ થયેલા રાજા વસ્ત્રાદિથી તેનું સન્માન કરે છે અને પોતાનો સર્વભંડાર તેને સોંપે છે છતાં પણ તે ઇચ્છતો નથી. તો પણ કષ્ટથી તેને મનાવીને રાજાએ ભંડાર સોંપ્યો. ગાઢ લુબ્ધ નંદ પણ લોભનંદ તરીકે પ્રસિદ્ધ થયો એ પ્રમાણે લોભી અને નિરીહનું અંતર સદા પણ હૈયામાં વિચારવું જોઈએ. (૨૨)
तदेवं क्रोधादिकषायाणामाश्रवद्वारत्वे दर्शितान्युदाहरणानि, न तु रागद्वेषयोः, तत्त्वतः कषायात्मकत्वात्तयोर्गतार्थत्वादिति । अथेन्द्रियाणामाश्रवद्वारत्वमुपदर्शयन्नाह
આ પ્રમાણે ક્રોધાદિ કષાયોના આશ્રવદ્વાનોમાં ઉદાહરણોને બતાવ્યા પણ રાગદ્વેષના ઉદાહરણો બતાવ્યા નથી કારણ કે પરમાર્થથી રાગદ્વેષ કષાયો સ્વરૂપ જ છે. માટે ક્રોધાદિ કષાયોના કહેવાથી રાગ-દ્વેષ કહેવાઈ ગયા. હવે ઇન્દ્રિયોના આશ્રદ્વારને બતાવતા કહે છે
होंति पमत्तस्स विणासगाणि पंचिंदियाणि पुरिसस्स । उरगा इव उग्गविसा गहिया मंतोसहीहिं विणा ।।४३९।। भवन्ति प्रमत्तस्य विनाशकानि पंचेन्द्रियाणि पुरुषस्य
उरगा इय उग्रविषाः गृहीता मन्त्रौषधिभिर्विना ।।४३९।। ગાથાર્થ જેમ ઉગ્રવિષવાળા સાપો મંત્ર અને ઔષધી વિના પકડ્યા હોય તો પ્રાણનો નાશ કરનારા થાય છે તેમ પ્રમાદી પુરુષની પાંચેય ઇન્દ્રિયો વિનાશને માટે થાય છે. (૪૩૯)
यथा मन्त्रौषधाभ्यां विना उग्रविषा महाकृष्णसर्पा विनाशायैव भवन्ति तथेन्द्रियाण्यपि श्रोत्रादीनि पञ्च पुंसः प्रमत्तस्य संतोषादितत्प्रतिविधानविरहितस्येहपरलोकयोविनाशकानि भवन्ति ।। तथा चैतदर्थसमर्थनाय सर्वेषामपीन्द्रियाणां यथाक्रममुदाहरणान्याह -
ટીકાર્થઃ જેવી રીતે મંત્ર અને ઔષધી વિના પકડેલા ઉગ્રવિષવાળા મહાકૃષ્ણ સાપો મરણને માટે થાય છે તેમ સંતોષાદિથી રહિત કે તેના ઉપાયોથી રહિત એવા પ્રમાદી પુરુષને શ્રોત્ર આદિ પાંચેય ઇન્દ્રિયો પણ આલોક-પરલોકના સુખો રૂપ ભાવ પ્રાણોનો નાશ કરે છે. આ અર્થના સમર્થન માટે સર્વોપણ ઇન્દ્રિયોના યથાક્રમ ઉદાહરણોને કહે છે.
सोयपमुहाण ताण य दिदंता पंचिमे जहासंखं । रायसुय-सेट्टितणओ गंध-महुप्पिय-महिंदा य ।।४४०।। श्रोत्रप्रमुखाणां तेषां च दृष्टान्ता: पंच इमे यथासंख्यं
राजसुतः श्रेष्ठितनयो गंधमधुप्रियो महेन्द्रश्च ।।४४०।। ગાથાર્થ : રાજપુત્ર-શ્રેષ્ઠીપુત્ર-ગંધ-મધુપ્રિય અને મહેન્દ્ર શ્રોત્રેન્દ્રિય વગેરે પાંચના યથાક્રમ પાંચ ઉદાહરણો છે. (૪૪૦)