SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ બાળક વડે નહીં સ્પર્શાયેલી સ્ત્રી, તૃણની હિંસા (ચોરી) નહીં કરનારો બ્રાહ્મણ, વનમાં કાષ્ઠ જેવો નિશ્ચેતન થયેલ પક્ષી, જીવોનો રક્ષક વ્રતી (૧) આ ચાર આશ્ચર્યો મારાવડે પણ સગી આંખોથી જોવાયેલા છે. તેથી હે મન ! કોના પર વિશ્વાસ કરવો ? (૨) ૫૧ એ પ્રમાણે પતિના શબ્દને સાંભળીને, સંભ્રાંત થતી પદ્મિની પણ પોતાના ઢીલા થયેલા વસ્ત્ર વગેરેને સરખા કરતી ઊભી થાય છે. (૫૦) પછી ભય પામેલો બટુક નાશી જવા માટે દરવાજો ઉઘાડે છે. હવે ચંદનના પુરુષોએ અંદર દાખલ થઈને બંનેને પકડ્યા. પછી ચંદને પદ્મિનીના નાક-કાન કાપીને ઘરમાંથી કાઢી મૂકી અને બટુકને રાજાને સુપ્રત કર્યો અને તે પણ અંગ છેદીને રાજાવડે દેશપારનો હુકમ કરાયો. દુઃખપૂર્વક ભમીને મરેલા એવા તે સંસારની અંદર ભમશે. વણિકપુત્રી, બ્રાહ્મણ, પક્ષી અને ક્ષપક એ ચારેય દુષ્ટો માયાવીપણાથી પાપોને બાંધે છે. સૂત્રની અંદર વણિકપુત્રીનું જ દૃષ્ટાંત કહેવાયું છે. પ્રસંગથી બીજા ઉદાહરણો કહેવાયા છે. પણ આવા બીજા અનંતા દૃષ્ટાંતો જાણવા. (૫૫) લોભ વિશે લોભનંદનું દૃષ્ટાંત કહેવાય છે તે આ પ્રમાણે લોભનંદનું દૃષ્ટાંત જેમાં સર્વ (છએ) ઋતુઓના બગીચાઓમાં જ્યાં હંમેશા પણ શ્રેષ્ઠ પાટલ પુષ્પોનો ગંધ મઘમઘે છે તે અહીં પાટલીપુત્ર નામનું નગર છે. તે નગરમાં જિતશત્રુ રાજા છે જેના જીતાયેલા શત્રુઓ પણ અરણ્યનાં કદલીઘરોમાં વસતા ભોગસંગને પામે છે. રાજાએ પણ કોકવાર મોટું તળાવ ખોદાવવાનું શરૂ કરાવ્યું. તળાવને ખોદતા ખાણિયાઓએ ઘણી સુવર્ણમય કોષોને* પ્રાપ્ત કરી. અને તેને કાટ લાગી ગયો હોવાથી સુવર્ણપણાથી ઓળખાતી નથી. પરંતુ તેમાંથી બે કોષોને કાઢીને ખાણિયાઓ જિનદાસ શ્રાવકની પાસે લઈ ગયા અને લોખંડની કોષોની જે કિંમત ઉપજતી હોય તેટલી કિંમત જિનદાસ પાસે માગી. (૫) અને જિનદાસનો યવિક્રયનો નિયમ હોવાથી તેણે ખાણિયાઓને ખરીદવાની ના પાડી એટલે તેઓ નંદન વણિકની પાસે ગયા. સુવર્ણની કોષ (મ્યાન) છે એમ જાણવા છતાં લોખંડના ભાવે ખરીદી. એ પ્રમાણે નંદ દ૨૨ોજ કોષોને ખરીદે છે અને ખુશ થયેલો નંદ ખાણિયાઓને ઘણું ધૂપ-ધૂપાન-ગુડાદિ આપે છે અને ખાણિયાઓ કોષોના વેંચાણથી મળેલા ધનથી નિરંતર સુરાપાન કરે છે. (૮) હવે કોઈક દિવસે નંદ કેટલાક ગૌરવશાળી સ્વજનોથી વિવાહાદિ પ્રસંગે બળાત્કારે પણ ઇચ્છા નહીં હોવા છતાં પણ લઈ જવાયો અને આ કોષો સુવર્ણમય છે એમ પિતાએ પુત્રોને ન જણાવ્યું તેથી પુત્રોએ આ કોષોની થપી (ઢગલો) મારીને ક્યાંક એકાંતમાં મૂકી, ગ્રહણ કરતા પુત્રોને આ મહામૂલ્યવાળી છે એમ કોઈપણ રીતે ભાન ન થયું. સ્વજનને ઘરે જતા તે દિવસે નંદે પુત્રોને કહ્યું કે તમારે ઘણાં મૂલ્યથી પણ કોષોને હાથમાંથી જવા ન દેવી. એ પ્રમાણે શિખામણું આપીને નંદ જાય છે અને ખાણિયાઓ ત્યાં આવ્યા અને પુત્રો ઓછું મૂલ્ય આપે છે તેટલામાં તેઓ તેટલા મૂલ્યથી કોષો આપતા નથી. અને ગુસ્સે થયેલા પુત્રોએ કોષોને ઉછાળીને દુકાનના આંગણામાં ફેંકી તેથી કાટ ખરી જવાથી સુવર્ણપ્રગટ થયું. ખાણિયાઓ સાથે રાજપુરુષોએ તે કોષોને જોઈ અને રાજાની પાસે લઈ ગયા એટલામાં આ બાજુ નંદ પાછો ફર્યો. (૧૫) અને આ સર્વ વ્યતિકરને જાણ્યો. પછી એક કોષથી પોતાના પગને ચૂરે છે અને કહે છે કે હું આઓ વડે સ્વજનોના ઘરે લઈ જવાયો તેથી તેટલા લાભથી હું ઠગાવાયો એ પ્રમાણે પ્રલાપ કરતા તેને રાજપુરુષો બાંધીને લઈ ગયા અને રાજાના કોષ એટલે તલવા૨ને રાખવાનું મ્યાન.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy