________________
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
કે આ પવિત્ર, નિરીહ, બ્રહ્મચર્યરત તથા કહ્યું કરનારો છે. એ પ્રમાણે વિચારીને ચંદને બ્રાહ્મણને કહ્યું કે હે ભદ્ર ! એકલા એવા મારા ઘરની તું સાર સંભાળ રાખ જેથી હું દેશાંત૨માં જઈને નિશ્ચિત વ્યાપાર કરું. પછી તેણે કહ્યું કે હે શ્રેષ્ઠી ! નિરીહ અને બ્રહ્મચારી એવા અમારે તારા ઘરની ચિંતાથી શું ? પછી ચંદને કહ્યું કે આ તારી વાત સાચી છે. પરંતુ મારા ઉપરોધથી (અતિ આગ્રહભરી વિનંતીથી) તું આ પણ કર-કેમકે તમારા જેવાનો જન્મ પરોપકારને માટે જ છે. વિપ્ર પણ તેના ઉપરોધને માંડમાંડ સ્વીકારે છે અને તેના સર્વ પણ ગૃહકાર્યની સંભાળ રાખે છે. તથા ઘરે આવેલ તે ચતુર યુવાન બ્રાહ્મણની સાથે ગાઢ અનુરક્ત થયેલી પદ્મિની હંમેશા રમણ કરે છે. (૨૯)
૨૫૦
સ્વભાવથી સરળ એવો ચંદન વણિક કોઈ વખત પ્રચુર ભાંડને લઈને દેશાંતરમાં કુસુમપુર નગરમાં વ્યાપાર કરવા ગયો. નગરીની બહાર રાત્રીમાં આવાસ નાખીને રહ્યો અને રાત્રીના અંતે અવાજ સાંભળીને તે જેટલામાં જાગે છે તેટલામાં કોઈ એક વૃક્ષના મૂળપાસે કાષ્ઠ જેવા નિશ્ચેતન થયેલ કોઈપણ એક મોટા પક્ષીને જુએ છે. (૩૨) તે મોટું પક્ષી તેવી સ્થિતિમાં રહ્યુ છતે બાકીના બધા પક્ષીઓ પેટ ભરવા માટે ચારેય દિશાઓમાં જાય છે. પછી કાષ્ઠભૂત થયેલ પક્ષી ઊડીને બીજે ગયેલા પક્ષીઓના માળામાં જઈને ઇચ્છિત પક્ષીઓના બચ્ચાનું ભક્ષણ કરીને તેમજ રહે છે. તે જ પ્રમાણે પ્રતિદિન પક્ષીઓના બચ્ચાઓનું ભક્ષણ કરતા પક્ષીને ચંદને ત્યાં જોયો.
અને બીજે દિવસે ગહન ઝાડીમાં ચાકરની સાથે શરીરચિંતાને માટે જેટલામાં ચંદન શ્રેષ્ઠી બેસે છે તેટલામાં તે ત્યાં નિર્ભયમાર્ગને મોર પીંછીથી શોધતો અરે જીવો ! તમે માર્ગમાંથી ખસો એ પ્રમાણે વારંવાર બોલતા દૂરથી વૃક્ષના મૂળ પાસે ધીમે ધીમે આવતા એક તપસ્વી ઋષિને જુએ છે અને જેટલામાં તે બાહુને લટકાવીને વૃક્ષના થડ પાસે રહે છે તેટલામાં સખી જનની મધ્યમાંથી નીકળીને રમતી રાજપુત્રી તેની પાસે કોઈક રીતે આવે છે. ત્યાં વિજન જાણીને તેનું ગળું મરડીને તેના સર્વ આભરણો ગ્રહણ કરીને ખાડામાં (પથ્થરથી) હણી. અને રાજપુત્રી મરી. ખાડામાં નાખીને ફરી ત્યાં ઊંચી ભુજા કરીને રહ્યો. (૪૦) અને ચાકરની સાથે વૃક્ષની પાછળ છૂપાઈને રહેલો ચંદન તે સર્વને જોઈને પોતાના આવાસમાં જાય છે અને રાજા પણ પુત્રી સંબંધી પટ્ટકને વગડાવે છે. આ ઘોષણામાં પુત્રીની જે ખબર આપશે તેને હજાર સુવર્ણ આપવામાં આવશે. ચંદનના ચાકરે સર્વ પણ વ્યતિકર રાજાને કહ્યો. પછી તે ક્ષપકની ઘણી વિડંબના કરીને રાજાએ તેને મારી નંખાવ્યો. (૪૩) પછી ચંદન વિચારે છે કે જેવો આ કાષ્ઠીભૂત થયેલ પક્ષી છે તેવો આ ક્ષપક છે તો શું મારી પ્રિયા અને બ્રાહ્મણ એવા જ છે કે ? તેથી મારું મન શંકાશીલ થાય છે. જઈને તેઓના ચરિત્રની તપાસ કરું. એ પ્રમાણે વિચારીને પોતાના સર્વ ભાંડને વેંચીને અને ત્યાંથી બીજા કરીયાણા ખરીદીને જલદીથી પોતાના નગરમાં પાછો ફર્યો. સર્વ સાર બહાર મૂકીને અલ્પ સહાયવાળો અર્થાત્ થોડા માણસોને લઈને મધ્યરાત્રીએ કોઈપણ લોક ન જાણે તેમ ઘરે ગયો. (૪૬)
અને આ બાજુ ઘર કંટક વિનાનું (બાધક વિનાનું) થયે છતે આસક્ત મનવાળી પદ્મિની પણ સ્વેચ્છાએ રાત અને દિવસ તે બટુકને સેવે છે અને દીપકના અજવાળામાં જેટલામાં ગવાક્ષમાંથી તે સર્વ પોતાની આંખથી જોઈને એકક્ષણ ચંદન શ્રેષ્ઠીને રહીને અહો ! આ આશ્ચર્યને જુઓ ! વિસ્મિયને પામેલો આ પ્રમાણે બોલે છે
बालेनाचुम्बिता नारी, बाह्मणोऽतृणहिंसकः । काष्ठीभूतो वने पक्षी, जीवानां रक्षको व्रती ।। (१) आश्चर्याणीह चत्वारि मयाऽवि निजलोचनैः दृष्टान्यहो ततः कस्मिन् विश्रब्धं क्रियतां मनः ।। (२)