SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૪૯ પામેલો છે. હજુ પણ આગળ ઉપર લાંબો કાળ સુધી ઘોર સંસારસાગરમાં ભમશે અને નારકી-હીન તિર્યંચમનુષ્યના લાખો દુ:ખોને સહન કરશે. કષ્ટથી બોધિને પ્રાપ્ત કરીને સિદ્ધ થશે. એ પ્રમાણે જ્ઞાનીના વચનો સાંભળીને સંવેગને પામેલા રત્નસાર રાજાએ ભાણેજને રાજ્ય આપીને કેટલાક મંત્રી તથા સ્ત્રીઓની સાથે દીક્ષા લીધી. બાકીનો લોક પણ સર્વત્ર અહંકારનો ત્યાગ કરે છે કારણ કે અહંકાર દુઃખનું મૂળ છે અને નમ્રતા સર્વ સુખોનું મૂળ છે. (૪૨), હવે માયાના વિશે વણિકપુત્રીનું ઉદાહરણ કહેવાય છે. તે આ પ્રમાણે વણિકપુત્રીનું કથાનક શ્રી પાર્શ્વપ્રભુના ચરણકમળથી પવિત્ર કરાયેલી શ્રી વાણારસી નામની નગરી છે જેની અંદર સર્વત્ર કોઈપણ લોક દરિદ્ર દેખાતો નથી. બ્રહ્મા જેમ કમળમાં વસે છે તેમ કમલશ્રેષ્ઠી તે નગરીમાં વસે છે. રૂપાદિ ગુણોથી યુક્ત પદ્મિની નામની તેની પુત્રી છે. બાળપણથી આ ઘણી માયાવી છે. તેના માતાપિતા પણ તેના ગૂઢ અભિપ્રાયને જાણતા નથી. પછી તે માતાપિતાનો એવો વિનય કરે છે કે તેના રૂપાદિ તથા વિનયાદિગુણોથી રંજિત થયેલા માતાપિતા જેના વિયોગને ક્ષણમાત્ર પણ ઇચ્છતા નથી. અન્ય નગરમાંથી નિર્ધન વણિકનો ચંદન નામના રૂપવાન પુત્રને પોતાના ઘરે લાવીને તેની સાથે પરણાવી અને ઘરજમાઈ થયેલો તે ત્યાં રહે છે અને થોડા કાળમાં પદ્મિનીના માતાપિતા મરણ પામ્યા તેથી તેનો ઘર જમાઈ તેના ઘરનો સ્વામી થયો. પુત્રાદિના અભાવથી નિરંકુશ પદ્મિની શ્રેષ્ઠ શૃંગારને રચીને મનગમતા બીજા તરુણોની સાથે ગુપ્તપણે હંમેશા રમણ કરે છે અને બહારથી મહાસતીની જેમ પતિનો એવો વિનય કરે છે જેથી ચતુરજનને પણ છેતરે છે. હવે પ્રસૂતા થયેલી તેને પુત્રનો જન્મ થયો અને પુત્રને સ્તનપાન કરાવતી નથી તેથી પતિએ કહ્યું કે તું આને કેમ સ્તનપાન કરાવતી નથી ? (૧૦) પછી તે કહે છે કે મારે બાળપણથી પરપુરુષના સ્પર્શનો નિયમ છે અને આ બાળક પણ પરપુરુષ છે તેથી આ મારા શરીરે પણ લાગતો નથી તો પછી સ્તનપાનની શી વાત કરવી ? એ પ્રમાણે સાંભળીને તેનો ઋજુમતિ પતિ ખુશ થયો અને વિચારે છે કે અહો ! મારી સ્ત્રીનું કેવું અનુત્તર શીલ છે ? મારા વ્યતિરિક્ત પુત્રને પણ સ્પર્શ કરતી નથી. પુત્રના સ્તનપાનને માટે ચંદન બીજી ધાત્રીને રાખે છે. એમ કરતાં તે મોટો થાય છે. હવે કોઈ વખતે ચંદન દુકાને વ્યાપાર કરતો રહે છે તેટલામાં શ્રેષ્ઠ ઉજ્વળ ધોયેલ ત્રણ વસ્ત્રોને ધારણ કરનારો, ચંદનથી વિલિપ્ત અંગવાળો, માર્ગમાં છાંટ નાખતો, દર્ભથી પવિત્ર કરાયું છે હાથ જેનાવડે, નમતાં સર્વલોકને આશીર્વાદને આપતો એવો એક તરુણ બ્રાહ્મણ ચંદનની દુકાને આવ્યો. મંત્ર ભણીને ચંદન વણિકને જ્યારે અક્ષો આપે છે ત્યારે તેની દુકાનમાંથી કોઈક કારણથી નીચે પડતું ઘાસનું તણખલું બ્રાહ્મણના માથામાં લાગ્યું. પછી જેટલામાં શ્રેષ્ઠી તેના માથા પરથી તણખલું દૂર કરે છે તેટલામાં બ્રાહ્મણે કહ્યું કે તે શ્રેષ્ઠી ! તું રાહ જો. હું મારા માથાને કાપીશ કારણ કે લોકમાં પણ એ પ્રસિદ્ધ છે કે સેંકડો તણખલાને ચોરનારો ચોર કહેવાય છે તેમ તણખલાને ચોરનારો ચોર કહેવાય છે. (૧૯) તેથી અન્યાયને કરનારા આ શરીરના અવયવને (ભાગને) હું ક્ષમા નહીં કરું તેથી અપરાધી એવા પોતાના મસ્તકને છેદીશ. પછી શ્રેષ્ઠી તેને બળાત્કારે પકડી રાખે છે, તે બ્રાહ્મણ પણ બીજી બાજુથી છરી ખેંચીને માથામાં મારે તેટલામાં તેને મુશ્કેલીથી પકડીને ઘરે લઈ ગયો અને કહ્યું કે તારું પવિત્રપણું જોઈને અમે ખુશ થયા છીએ. તંબોલ-સ્નાન-ભોજન દાનથી તેની પૂજા કરી. તેણે પણ ભોજન આદિને છોડીને રોકડ તથા દ્રવ્ય વસ્ત્રાદિ કંઈપણ ગ્રહણ ન કર્યું તેથી ચંદન મનમાં તેના પર અધિકતર ખુશ થયો અને વિચારે છે કે એકલા એવા મને આ સહાયને યોગ્ય છે કારણ
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy