________________
૨૪૮
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ માને છે ક્યારેય પણ પિતાની પાસે જતો નથી. દેવતાને પણ ક્યારેય નમતો નથી. ગુરુના તો નામને પણ સહન કરતો નથી.
હવે કોઈક વખત રાજાએ કળા ભણાવવા માટે અધ્યાપકને સોંપ્યો. પછી ઉજ્જિતકુમાર અધ્યાપકને આ પ્રમાણે કહે છે કે અરે રંક ! શું તું મારા કરતા વધારે જાણે છે ? જેથી તું મને નીચા આસન ઉપર બેસાડીને તું પોતે મોટા વેત્રાસન પર બેસે છે. પછી અધ્યાપક તેનું સર્વપણ ચરિત્ર રાજાને જણાવે છે. રાજા પણ અધ્યાપકને આ પ્રમાણે કહે છે કે આ પુત્ર મારો છે તેથી તારે ભય ન રાખવો. માથામાં ડંડો મારીને પણ આને બળાત્કારે ભણાવવો. અધ્યાપકે ઉજ્જિતકુમારને આ પ્રમાણે કહ્યું કે રાજાએ કહ્યું છે કે કુમારને દંડો મારીને પણ ભણાવવું. પછી કુમાર પણ અભિમાનથી આ પ્રમાણે કહે છે કે શું અહીં આ રાજા મનુષ્ય છે ? હે રાંક ! મને શિખામણ આપનાર તું કોણ છે ? પછી અધ્યાપકે તેને સોટીથી માર્યો. (૧૪) પછી તેણે લાકડીથી અધ્યાપકના માથા પર એવો ઘા કર્યો જેથી તે ચિચિયારી દેતો મૂચ્છિત થઈ પૃથ્વી પર પડ્યો અને રાજાએ આ સર્વવ્યતિકર જાણ્યો. પછી દેશપારની આજ્ઞા કરાયેલો કુમાર નગરમાંથી નીકળ્યો. પછી પ્રકર્ષ અહંકારને પ્રાપ્ત થયેલો સર્વથા પણ ઉન્મત્ત થયો. ગ્રામ વગેરેમાં ભમતો લોકથી હસાય છે અને ભમતો અટવીમાં કોઈક આશ્રમ સ્થાને પહોંચ્યો. આ અતિથિ છે એમ જાણી તાપસો તેને કુલપતિ પાસે લઈ ગયા. પછી પલોઠી વાળીને ત્યાં બેઠેલો કંઈપણ બોલતો નથી. પછી તાપસોએ કહ્યું કે તું કુલપતિને કેમ પ્રણામ કરતો નથી ? (૧૯) પછી ભાલતલ પર ભૂકુટિ ચઢાવીને તે કહે છે કે અરે ! દેવતાઓથી પણ અભ્યધિક રાજપુત્ર એવા મને તમે જાણતા નથી ? હું ઇંદ્રને પણ પ્રણામ કરતો નથી તો તમારા જેવા મુંડમાત્રને કેવી રીતે પ્રણામ કરું ? ઇત્યાદિ પ્રલાપ કરતા એવા તેને અયોગ્ય જાણીને તેની અવજ્ઞા કરી. તેથી ત્યાંથી નીકળીને અટવીની અંદર જાય છે ત્યારે સામે ગર્જના કરતા સિંહને આવતો જુવે છે પછી હર્ષથી આ નાશતો નથી અને વિચારે છે કે હું રાજપુત્ર છું. શું આ ભેંડિમાત્રથી (તુચ્છપ્રાણીથી) હું અહીંથી પલાયન થાઉં ? એ પ્રમાણે વિચારતો સિંહવડે ચપેટાથી મરાયો. મરીને કુતરો થયો. પછી ગધેડો. પછી ઊંટ, પછી નંદીપુરમાં રાજપુરોહિતનો પુત્ર થયો. પછી દેશાંતરમાં જઈને ચૌદવિઘાઓને ભણે છે. ભણીને પાછા ફરેલા પુરોહિત પુત્રનો નગરલોક સાથે રાજા સામો આવીને સન્માન કરે છે. જાતિ, કુલ, શ્રત, રાજસન્માન, ઐશ્વર્ય વગેરે સર્વ પણ ગુણ સમૂહ અમને જ પ્રાપ્ત થયો છે બીજાને નહીં. (૨૭) ઇત્યાદિ વિચારતો મનની અંદર એવા મદના ઉત્કર્ષને પામ્યો જેથી ફરી પણ સકલ લોકમાં હસનીય થયો અને મરીને ગીત ગાનારા ચંડાલનો પુત્ર થયો અને ત્યાં જલદીથી પ્રૌઢતાને પામેલો રાજાની આગળ ગીત ગાય છે. તેને ત્યાં જઈને આકર્ષિત થયેલ પુરોહિત પ્રીતિને કરે છે અને આદરથી પોતાના ઘરે લઈ જાય છે ત્યાં ઘણું દાન આપે છે અને ચાંડાલપુત્રના ગીત, વચન, ચેષ્ટા સર્વને પણ બહુ માને છે. વધારે શું ? તેના વિયોગમાં એક મુહૂર્તને પણ કષ્ટથી પસાર કરે છે. પછી લોક, રાજા, સ્વજન અને પરિજન વિસ્મિત થયો, હીન જાતિવાળા એવા આના પર વિપ્રનો આવો પ્રેમ કેમ છે ? (૩૨)
હવે કોઈક વખત વિહાર કરતા કેવલી ભગવંત તે નગરમાં પધાર્યા. નગરજનોની સાથે રાજા ત્યાં વંદન કરવા ગયો અને ત્યાં પુરોહિત આવે છતે કેવળીએ ધર્મ કહ્યા પછી રાજાએ પૂછયું કે હે ભગવન ! અમારા પરોહિતને હીનજાતિમાં ઉત્પન્ન થયેલ આના વિશે આટલો રાગ કેમ છે ? પછી કેવલીએ કહ્યું કે હે રાજન ! આ આનો પુત્ર છે. રાજાએ પૂછયું કે કેવી રીતે ? પછી કેવલીએ તેનો સમગ્ર પર્વ ભવ કહ્યો. પછી રાજાએ પણ કહ્યું કે હે ભગવન ! માનથી વિનટિત ઉજ્જિતકુમાર નામનો મારો પુત્ર હતો તે મરીને ક્યાં ગયો છે ? (૩૭) પછી કેવળીએ કહ્યું કે હે રાજન્ ! કૂતરાદિ તિર્યચોમાં ભમીને તે જ આ બ્રાહ્મણ અને ચાંડાલપણાને