SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૨૪૭ થયેલો સૂર નગરમાંથી નીકળીને તાપસોની પાસે જઈને દીક્ષા ગ્રહણ કરે છે. અજ્ઞાન તપ કરીને ક્રોધી થયેલો તે કહે છે કે મારા સપનું જો કોઈપણ ફળ હોય તો અન્ય જન્મમાં નગર સહિત આ રાજાનો વધ કરનારો થાઉં. એ પ્રમાણે નિયાણા સહિત મરીને વાયુકુમાર દેવોમાં ઉત્પન્ન થયો અને પછી મહાવાયુ વિકર્વીને ધૂળના સમૂહના વરસાદથી નગરલોકો અને રાજા સહિત તે નગરને સ્થળ કર્યું. અર્થાત્ ધૂળથી નગરને દાટી સપાટ ભૂમિ કરી. (૧૭) અને ત્યાંથી અવીને ચાંડાલપણાને પામીને પ્રાણીવધને કરીને છઠ્ઠી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. છઠ્ઠી નરકમાંથી નીકળીને અનંત સંસાર સાગર ભમીને મગધ દેશમાં કોઈક સ્થાને તે ગામનો મુખી થયો અને તે ભાવમાં પણ કોપાધીન મનથી કોઈક રીતે રાજાની સન્મુખ દુર્વચન બોલ્યો. રાજાએ તેના વધનો આદેશ કર્યો. (૨૦) રાજાના આદેશથી તલારે વૃક્ષની શાખામાં લટકાવ્યો. પણ ત્યાં નજીકમાં કોઈપણ મુનિ સ્વાધ્યાયમાં મગ્ન હતા. તેમને તત્પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેને વંદન કરવા દેવો, મનુષ્યો આવ્યા અને ત્યાં દેશનાની અધવચ્ચે રાજગૃહ નગરીના સ્વામી પગમાં પડીને પૂછે છે કે હે ભગવનું જીતવાની ઇચ્છાવાળાએ અહીં શું જીતવું જોઈએ ? પછી જ્ઞાની કહે છે કે બધાએ અંતરંગ સૈન્યને જીતવું જોઈએ. કામમહાભટ - કોપઅહંકાર વગેરે અંતરંગ સૈન્ય છે અને આ અંતરંગ સૈન્ય ન જીતાય તો બહિરંગ શત્રુનો જય નિષ્ફળ છે. નહીં જીતાયેલ ક્રોધાદિ ધર્મ-અર્થ અને કામનો નાશ કરે છે અને પરલોકમાં નરકાદિ ગતિઓમાં દારૂણ દુઃખો આપે છે. વધારે કહેવાથી શું? જેવી રીતે આ ગામમુખીના કોપાદિએ જે દુ:ખો આપ્યા છે તેવી રીતે આ ભવ અને પરભવમાં એવો કોઈ અનર્થ નથી જે ગુસ્સે થયેલા ન કરતા હોય. પછી રાજાએ કહ્યું કે હે મુનીન્દ્ર ! આ ગામનો મુખી કોણ છે ? હવે સૂર જન્મથી માંડીને તેનો સર્વ વ્યતિકર જ્ઞાની કહે છે. પછી રાજા પૂછે છે કે હે મુનિવર ! હજુ પણ આને કેટલા વખત સુધી સંસારના દુ:ખો સહન કરવાના છે ? પછી મુનિનાથ કહે છે કે હે રાજેન્દ્ર ! હજુ પણ આ અનંત સંસારમાં ભમશે અને અંતે કષ્ટથી બોધિને પ્રાપ્ત કરીને ભાવશત્રુઓને જીતીને સિદ્ધ થશે. (૩૦) એ પ્રમાણે ક્રોધાદિના વિપાકને સાંભળીને પોતાના કર્મોના ઉપશમ, ક્ષયોપશમ અનુસાર કેટલાક મનુષ્યો ઉપશાંત થયા, બીજા કેટલાક સંયમી થયા અને બીજા કેટલાક સમ્યક્તને પામ્યા. મદને વિશે ઉઝિતકુમારનું ઉદાહરણ છે મદ એટલે અહંકાર, માન. ઉજિઝતકુમારનું દૃષ્ટાંત * નંદીપુર નામનું નગર છે, જેમાં સર્વ ભાવથી પ્રતિદિવસ સમૃદ્ધિ વધતી ન હોત તો મેરુ પર્વતની સમૃદ્ધિની* ઉપમા આપી શકાત. તે નગરમાં પક્ષીઓથી સેવાયેલ, છાયાવાળો, ફળદાયક, ઊંચા મહાવૃક્ષની જેમ રત્નસાર નામનો રાજા હતો. રાજાના પક્ષમાં સંછાય એટલે સારી કાંતિવાળો, સ્ટાય એટલે લોકોનું હિત કરનારો, સ૩ એટલે ગુણોથીસહિત) તેને ત્યાં જન્મેલ એકપણ પુત્ર જીવતો નથી. સ્વસ્થ કરાયેલ છે સર્વ રાજ્ય જેનાવડે એવા તે રાજાને પુત્રના દુ:ખને છોડીને સર્વપણ સુખ હતું અને કોઈ વખત બ્રહ્મા નામની પ્રિય રાણીને પુત્ર જન્મ્યો અને સૂપડામાં લઈને તેને કચરાના ઉકરડામાં નાખી દીધો. (૪) પછી ભાગ્યના વશથી તે મર્યો નહીં અને ઉક્ઝિત કુમાર એવું નામ પાડ્યું. પછી તે સુખેથી મોટો થાય છે અને તેને સર્વે પણ અનુત્તર રૂપાદિ ગુણો પ્રગટ થયા. પરંતુ અહંકારથી માતાપિતાને નમતો નથી. (૯) અને ક્રીડા કરતો સર્વે પણ કુમારોનો અભિમાનથી તિરસ્કાર કરે છે. ઉન્મુખ મનવાળો આકાશ તરફ દૃષ્ટિ નાખીને પરિભ્રમણ કરે છે. ભુવનને પણ તૃણ સમાન અર્થાતું મેરુપર્વતની સમૃદ્ધિ સ્થિર છે જ્યારે નંદીપુરની સમૃદ્ધિમાં દરરોજ વધારો થતો હોવાથી તેને મેરુપર્વતની સમૃદ્ધિની સાથે સરખાવી શકાય તેમ નથી. કહેવાનો ભાવ એ છે કે તે ઘણું સમૃદ્ધ નગર હતું.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy