________________
૨૩૮
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
કદંબવિપ્રનું કથાનક કાકંદી નામે નગરી છે જે નગરીના કમલ સરોવરમાં ક્રિીડા કરતી નગરની સ્ત્રીઓને જોઈને કલહંસો અતિ ગૌરવવાળા થાય છે. તેમાં સમગ્રવેદનો પારગ, અવિચારિતને જાણતો, ધનવાન એવો સોમશર્મા નામનો બ્રાહ્મણ વસે છે. તેને સોમશ્રી નામે પત્ની છે અને તે બેને ગુણથી સમૃદ્ધ એવો કદંબ નામે પ્રિય મોટો પુત્ર છે. અને તે હંમેશા શુચિવાદમાં એવો રત છે કે સમગ્રવસ્તુઓને પ્રાય: છાંટ નાખ્યા વિના સ્પર્શ નહીં કરતો, દુર્ગચ્છાને કરતો પરિભ્રમણ કરે છે. પછી લોકવડે તથા માતા પિતાવડે પણ આ તેજ પ્રમાણે શિખામણ અપાયો કે લોકિક માર્ગથી ભ્રષ્ટ થયેલી સાચી પણ ક્રિયા શોભતી નથી. તેથી અતિમાત્રાથી શુચિવાદને કરતો તું લોકમાં ઉપહાસને જ પામશે અને સ્વયં પણ તું ઉન્મત્ત થઈશ. (૯) હવે કોઈનું કહ્યું કંઈપણ માનતો નથી, અને લોહી-અશુચિ આદિ પદાર્થોમાં જો ખરડાયો હોય તો તત્કણે જ પહેરેલા વસ્ત્ર સ્નાન કરે છે. પછી હું હું એમ કરતો જ વસ્ત્રના છેડાથી નાસિકા અને મુખને ઢાંકીને સર્વત્ર છાંટ નાખતો અને દુર્ગચ્છ કરતો ભમે છે અને પછી ભરયૌવનમાં કોઈપણ રીતે ઘણાં રોગોથી પીડિત થયો. થયેલા ઝાડાઓ કોઈક રીતે અહોરાત્ર પછી બંધ થાય છે આખા શરીરમાં ફોડાઓ ઉત્પન્ન થયા. પછી તેમાંના કેટલાક પાકે છે અને તેમાંથી પરુ-રુધિરના સમૂહો સતત ગળે છે. (૧૦) સતત પ્રમેહ થાય છે. (અર્થાતું વારંવાર માત્રુ થાય છે.) અર્શમાં લોહીનો પ્રવાહ કરે છે. ખાંસી ખાતો ચીકણાં શ્લેષ્મને વારંવાર થંકે છે. ઊલટી કરે છે. ખાધેલું ભોજન પેટમાં ક્યારેય ટકતું. નથી. નિર્ઝરણાના નીરની જેમ નાસિકામાંથી લીંટ ગળે છે. (૧૨) પછી નાશ પામ્યો છે સમગ્ર શુચિવાદ જેનો એવો કદંબ કોઈપણ દુર્ગચ્છાને કરતો નથી. વૈદ્યોએ આપેલા, દુર્ગચ્છાને કરનારા મળવાળા ઔષધોનું સેવન કરે છે. (૧૩)
હવે કોઈ વખત ગોચરીમાં ફરતા શરીરનું પ્રતિકર્મ નહીં કરનારા ઇર્યાસમિતિમાં ઉપયોગી, મન-વચનકાયગુપ્તિને ધરનારા, તૃણ-મણિ, ઢેફા-કંચનમાં સમાન, ધીર એવા બે સાધુઓ તેના ઘરે કોઈક રીતે આવ્યા. તેઓને જોઈને કદંબે વિચાર્યું કે ખરેખર સકલલોકમાં આ સાધુઓ જ શુચિવાદી છે. જેઓ અખંડ બ્રહ્મચર્યને ધારણ કરે છે. જેઓ હિંસા-અલીકાદિ પાપોમાં શંકા વિના પ્રવર્તે છે અને પાપકર્મોથી લપાતા એવા અમારા જેવાને શુચિવાદ કયો ? તેથી સર્વ પાપોથી વિરત શત્રુમિત્ર વર્ગ વિશે સમચિત્તવાળા, પ્રક્ષાલિત કરાયા છે સકળ પાપમળો જેઓ વડે એવા પવિત્ર સાધુઓ જ સુચવાદી છે. (૧૮) તેથી જો હું કોઈપણ રીતે આ દુષ્ટ રોગોથી મુક્ત થાઉ તો આ ધીરોના જ માર્ગને અનુસરું.
એ પ્રમાણે શુભભાવથી તેના ભોગ્યકર્મ કોઈક રીતે ઉપશાંત થયા. અને સર્વપણ દારૂણ રોગો સારી રીતે મટી ગયા. પછી સાધુઓ પાસે ધર્મ સાંભળીને શ્રાવક થયો. મૂળ-ઉત્તર ગુણો સહિત દેશ ચારિત્રનો સ્વીકાર કર્યો તથા માતાપિતાને શ્રાવક કર્યા અને પરજનની સાથે દરરોજ જિનધર્મને સાંભળે છે અને જિનબિંબોને પૂજે છે અને વિચારે છે કે મળ-મૂત્ર-હાડકાના ભારવાળા આ શરીરને વિશે જે લોક ઉત્તમ-કુસુમ-વિલેપનવસ્ત્ર-આભરણાદિનો ઉપયોગ કરે છે તે ફક્ત મોહનો જ વિલાસ છે. શુભ વસ્તુઓથી શણગારવામાં આવતો અશુભનો પુંજ શોભતો નથી. તેથી મોક્ષના કારણભૂત એવા ધર્મકાર્યમાં પોતાની વસ્તુનો ઉપયોગ કરે છે તે જ શુચિવાદી, પવિત્ર અને પ્રશંસનીય છે એમ હું માનું છું. (૨૫)
એ પ્રમાણે વિચારીને હિરણ્ય વસ્ત્રાદિક સર્વ બાહ્ય સામગ્રીનો ઉપયોગ હંમેશા જિનેરોના લિંબાદિ કાર્યોમાં કરે છે. હવે એકવાર રાત્રીના વિરામ સમયે વિચારે છે કે મને જે ઇષ્ટ હતું તે સર્વ પણ બાહ્યવસ્તુનો