________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૨૩૭
इति क्षणपरिवर्तमाने पुद्गलनिवहे तदेव इह वस्तु
मन्ये शुचि प्रवरं यत् जिनधर्मे उपचरति ।।४२४ ।। ગાથાર્થ એ પ્રમાણે ક્ષણે ક્ષણે પરાવર્તમાન થતા પુગલ સમૂહમાં હું તેને જ શુભ અને શ્રેષ્ઠ માનું છું જે જિનધર્મ આરાધવામાં ઉપકારક થાય છે. (૪૨૪)
इति-उक्तन्यायेन सर्वस्मिन्नपि पुद्गलनिवहे प्रतिक्षणं परावर्त्तमाने शुभे कर्पूरहारताम्बूलादो देहादिसम्बन्धादशुभतां प्रतिपद्यमाने अशुभेऽपि मदनकोद्रवादी शुभतामासादयति किं शुचिरूपं ? किं चाप्यशुच्यात्मकं ? व्यपदिश्यतामितिशेषः । तत् किं सर्वथा किंचिदपि वस्तु शुचितया अत्र न व्यपदेष्टव्यमित्याशंक्याह-'तमेवे'त्यादि, तदेवेह वस्तु शुचिस्वरूपं प्रधानं चाहं मन्ये यत् साधुदेहादिकं कुसुमविलेपनवस्त्राभरणादिकं च जिनधर्म-क्षान्त्यादिके जिनपूजादानशीलादिके चोपकुरुते, नान्यत्, तस्य सर्वस्यापि पापोपकारितया नरकादिभवहेतुत्वेन तत्त्वतोऽशुचिस्वरूपत्वादिति ।।
यतश्चैवं तस्मादुदाहरणगर्भं कृत्योपदेशमाह - ટીકાર્થ ? કહેવાયેલા ન્યાયથી સર્વ પણ પુદ્ગલનો સમૂહ પ્રતિક્ષણ પરાવર્તન પામે છે. શુભ એવા કપૂરહાર-તાંબૂલ વગેરે શરીરના સંગથી અશુભ થાય છે અને અશુભ મદન કોદ્રવ વગેરે શુભ થાય છે તેથી શુભ શું છે ? અને અશુભ શું છે ? તે તમે કહો. તો શું કોઈપણ વસ્તુ સર્વથા શુચિપણાથી ન કહી શકાય ? આવી શંકાનું સમાધાન કરતા-ગ્રંથકાર કહે છે કે જે સાધુનું શરીર ક્ષાન્તિ આદિ સ્વરૂપ જિનધર્મમાં ઉપકારક થાય છે અને કુસુમ-વિલેપન-વસ્ત્ર-આભરણાદિક જિનપૂજા-દાન-શીલ-તપાદિમાં ઉપકારક થાય છે તે જ વસ્તુઓને હું શુચિરૂપ માનું છું. બીજી કોઈપણ વસ્તુને નહીં. કારણ કે બાકીની બધી વસ્તુઓ નરકાદિ ભાવોના કારણ સ્વરૂપ એવા પાપોમાં સહાય કરનારી હોવાથી પરમાર્થથી અશુચિ રૂ૫ છે. જે કારણથી તે વસ્તુઓ અશુચિરૂપ છે તે કારણથી ઉદાહરણ સહિત કર્તવ્યનો ઉપદેશ આપતા કહે છે
तो मुत्तूण दुगुंछं उम्मायकरं कयंबविप्प व्व । देहं च बज्झवत्थु च कुणह उवयारयं धम्मे ।।४२५।। तस्मात् मुक्त्वा जुगुप्सां उन्मादकारिणी कदंबविप्र इव
देहं च बाह्यवस्तु च कुरु उपकारकं धर्मे ।।४२५ ।। ગાથાર્થ : કદંબ વિપ્રની જેમ ઉન્માદને કરનારી એવી દુર્ગચ્છાને છોડીને દેહ તથા બાહ્ય વસ્તુનો ધર્મની સાધનામાં ઉપયોગ કરો. (૪૨૫)
यस्मात्तदेव वस्तु शुचिस्वरूपं प्रधानं च यजिनधर्म उपकरोति शेषं तु सर्वमशुच्येव वर्त्तते, तस्मादुन्मादिकारिणी जुगुप्सां मुक्त्वा कदम्बविप्र इव देहं बाह्यवस्तु च-वस्त्रविलेपनादिकं जिनधर्मोपकारकं कुर्विति ।। कः पुनरसौ कदम्बविप्र ? इति उच्यते -
ટીકાર્થ જે વસ્તુનો તથા શરીરનો ઉપયોગ જિનધર્મની આરાધનામાં થાય તે શુચિ છે બાકીનું સર્વ અશુચિ છે તેથી ઉન્માદને કરનારી જુગુપ્સાને છોડીને કદંબ વિપ્રની જેમ શરીરનો અને વસ્ત્ર વિલેપન વગેરે બાહ્ય વસ્તુનો ઉપયોગ જિનધર્મમાં કરો.
આ કદંબવિપ્ર કોણ છે ? કહેવાય છે -