________________
ભાવ ભાવના પ્રકરણ ભાગ - ૨
ઘણું કરીને સર્વ સ્થાનોને શૂન્ય જૂએ છે. પછી પરિવ્રાજકાદિના મઠોને પણ ખાલી જોઈને આ દૂત વિચારે છે કે ખરેખર ! આ પરિવ્રાજકોએ પણ પોતાના સ્થાનોને કેમ છોડ્યા ? દુષ્ટપણ રાજા ક્ષતિના અભાવમાં (ગુના વિના) નિરપરાધી મુનિઓને શું કરવા ઇચ્છે છે ? અથવા મારાવડે આ નીતિ વિરુદ્ધ જ વિચારાયું કારણ કે નીતિ આ પ્રમાણે છે
મારો અપરાધ નથી (તેથી આ મને નહીં પડે એમ માનવું) આ વિશ્વાસનું કારણ બનતું નથી કારણ કે દૂર મનુષ્યોથી ગુણવાનોને પણ ભય હોય છે. (૧)
હું નિરપરાધી મુનિ છું, મારે ભય કયાંથી હોય ? એવા પ્રકારનું અભિમાન ધારણ કરવું તે સમૃદ્ધિને માટે થતું નથી કેમકે પરની સમૃદ્ધિને વિશે મત્સરવાળા દુરાત્માઓને શું કંઈ અલંધ્ય હોય છે ? (૨) એ પ્રમાણે વિચારતો દૂત રાજાની પાસે ગયો. સર્વદ્રવ્ય મળેલું હોવા છતાં પણ પ્રજાથી તિરસ્કાર કરાયેલો રાજા કાંતિહીન જોવાયો. યથોચિત પ્રતિપત્તિ (સત્કાર) કરાયેલો દૂત તેની આગળ બેઠો. લાંબા સમય સુધી મૌન રહેલો દૂત જેટલામાં કંઈ બોલતો નથી તેટલામાં ભ્રકુટિને-ચઢાવીને રાજાએ કહ્યું કે રાજદ્વારપાળ (દૂત) કેમ કંઈ બોલતો નથી ? દૂતે કહ્યું કે અકાળે વચનને બોલતો બ્રહ્મા પણ લોક પાસેથી અવજ્ઞા અને શાશ્વત (નક્કીથી) અપમાનને મેળવે છે.
દેવની રજાથી હમણાં કંઈક જણાવાય છે પરંતુ દેવે અપ્રસાદ ન કરવો કારણ કે હે રાજન!અપથ્ય અને પ્રિય બોલનારા પુરુષો સુલભ હોય છે પણ અપ્રિય એવા પથ્યને બોલનાર અને સાંભળનાર દુર્લભ હોય છે. ૧
જે રાજાના વૈદ્યો-જ્યોતિષીઓ અને અમાત્યો મીઠું બોલનારા હોય છે તે રાજા શરીર-ધર્મ અને ભંડારથી જલદીથી ક્ષય પામે છે. ૨
અનધિકારીએ વ્યવહારમાં કંઈપણ ન બોલવું જોઈએ પણ અધિકારીએ તો અપક્ષપાતી વચન બોલવું જોઈએ. ૩
સભામાં ન જવું જોઈએ અને અનુચિત ન બોલવું જોઈએ. નહીં બોલતો અથવા વિરુદ્ધ બોલતો પણ મનુષ્ય અપરાધી (ગુનેગાર) થાય છે. ૪
અને તેમાં પણ હે દેવ ! તમારા દેશમાં પ્રવેશ કરતા મેં જે પ્રજાનો વિરાગ સાંભળ્યો અને જે હરણ કરાયેલ ધનવાળા લોકનું દૌથ્ય જોયું તે દેવને પણ સર્વ જાણમાં છે એ પ્રમાણે સંભાવના કરાય છે. તેમાં આ નીતિ પણ સુપરિચિત જ છે. જેમકે
કામ, ક્રોધ તથા લોભ, માન, હર્ષ તથા મદ આ છનો ત્યાગ કરવો જોઈએ. આ છ જે દેશમાં ત્યજાયા છે તે દેશનો રાજા સુખી થાય છે. ૧.
રાજા ધનથી પરિક્ષીણ થયો હોય તો પણ અનાદેય (અન્યાયથી ધનને) ગ્રહણ ન કરવું જોઈએ અને રાજા સમૃદ્ધ હોય તોપણ સૂક્ષ્મ (અલ્પ) આદેય પદાર્થને જતો ન કરવો જોઈએ. ૨.
ઉભય લોક (આલોક અને પરલોક) વિરુદ્ધ અન્યાયથી મેળવેલ ધનથી જેઓ રાજાને લોભાવે છે તે વરીઓ છે, મંત્રીઓ નથી. ૩
મંત્રીઓ પરમાર્થથી રાજાઓના યશ રૂપે શરીરને ઇચ્છે છે. યશ રૂપી શરીર નષ્ટ થયે છતે ધનથી શું? અથવા રાજ્યવિભૂતિઓથી શું? ૪.