SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવનાપ્રકરણ ભાગ- ૨. વક્ષસ્થળને સીંચે છે અને ધન-ધાન્ય-રત્નો સ્વજનાદિ મરણ કાળે જગતમાં કોઈને પણ શરણ થતા નથી જેથી બીજી જગ્યાએ પણ આ પ્રમાણે કહ્યું છે. (પ૧-૫૨) किमन्यत्र भणितमित्याह - . બીજા ગ્રંથમાં શું કહ્યું છે તેને કહે છે अत्थेण नंदराया न रखिओ गोहणेण कुइअन्नो । धन्त्रेण तिलयसेट्ठी पुत्तेहिं न ताइओ सगरो ।।५३।। अर्थेन नन्दराजा न रक्षितो गोधनेन कुचिकर्णः । धान्येन तिलक श्रेष्ठी पुत्रैर्न त्रातः सगरः ।।५३।। ગાથાર્થ ધનથી નંદરાજા, ગોધનથી કુચિકર્ણ, ધાન્યથી તિલક શ્રેષ્ઠી અને પુત્રોથી સગર ચક્રવર્તી રક્ષણ ન કરાયો – (૫૩). सुगमा ।। कथानकानि तूच्यन्ते । કથાનકો હવે કહેવાય છે. નંદરાજાનું દષ્ટાંત પાટલીપુત્ર નગરમાં નંદનામે રાજા હતો. કોઈક કારણથી તેને નીતિ વિરુદ્ધ અતિશય લોભ વિસ્તાર પામ્યો અને તેણે દ્રવ્યની આવકના નહીં ભોગવાયેલ અર્થાત્ નવા સ્થાનોને ઊભા કર્યા અને અતિલુબ્ધ એવા તેણે પૂર્વની આવકના જે સ્થાનો હતા તેને વધાર્યા. (અર્થાત્ કર મેળવવાના નવા નવા ઉપાયો કર્યા અને જુના જે ઉપાયો હતા તેમાં કરની મર્યાદા વધારી) તથા વ્યયના જે સ્થાનો હતા તેને ઘટાડ્યા (અર્થાતુ લોકોની સુખાકારીમાં જે ધનનો વ્યય થતો હતો તેનું પ્રમાણ ઓછું કર્યું) અને લોકને દંડે છે. ખોટા અપરાધને ઉત્પન્ન કરી દંડે છે. (૩) અર્થ-ઉપાર્જનના નિમિત્તે જુદા જુદા ઉપાયોને વિચારતો સૂવે છે, જાગે છે અને તેઓ પાસેથી સર્વ ધનને ગ્રહણ કરે છે. આ પ્રમાણે અન્યાયને પામેલો રાજા સર્વ જનસમૂહને પીડીને અપયશના સમૂહથી સકલ પણ પૃથ્વીવલયને ભર્યું. સર્વસ્વ લુંટાયું છે જેનું એવો સર્વ પણ લોક હાહાકાર કરતો થયો. વધારે શું? પોતાના દેશમાં નાણાના ચલણને પણ કાઢી નાખ્યું. પછી તેના વડે ચર્મમય નાણાનો વ્યવહાર પ્રર્વત્તાવાયો. લુબ્ધ એવા તે કુરાજાના મરણને જ વિચારતો તથા ગુપ્ત કે પ્રગટ આક્રોશને પણ કરતો, બાળ-વૃદ્ધ-સહિત નિ:સંક એવો લોક તે નગરમાં સૂવે છે, જાગે છે અને ભમે છે. આ રાજા દુષ્ટ, દુરાચારી, નિંદનીય છે એમ જાણીને મંત્રીઓ વડે ઉપેક્ષા કરાયેલો કુબુદ્ધિ એવો રાજા ચાંડાલની જેમ ચેષ્ટા કરે છે. (૯) : આ અરસામાં અવધ્યાપુરીના મહારાજ વડે ઘણાં રાજાઓની પાસે અને નંદરાજાની પાસે કોઈપણ તુચ્છ પ્રયોજનથી સાત ગુણોથી યુક્ત એવો દૂત મોકલાવાયો. કુલીન, શીલસંપન્ન, વાચાળ, દક્ષ, પ્રિયબોલનાર, યથાકતવાદી, સ્મૃતિમાન આ સાતગુણોથી યુક્ત દૂત હોય છે. (૧) આવા દૂતના સાત ગુણોથી યુક્ત, ઘણી પર્ષદાથી યુક્ત, ભદ્ર આકૃતિવાળો એવો પાટલીપુત્ર નગરના દેશમાં આવ્યો અને ત્યાં દરેક ગામમાં, દરેક નગરમાં, દરેક મનુષ્યની પાસેથી રાજા વિશે ન કહી શકાય તેવા દુર્ભાગી પ્રજાના દુષ્માષિતોને સાંભળે છે. રાજાવડે કરાયેલી દેશની અવસ્થાનું નિરીક્ષણ કરે છે અને
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy