________________
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
સ્વરૂપ જે કોઈ દ્રવ્યો છે તેને એકેક જીવવડે અનંતીવાર ભોગવાયા છે. કેવા પ્રકારથી ભોગવાયા છે ? કેટલાક પુદ્ગલો શ૨ી૨પણાથી પરિણમાવીને ભોગવાયા છે તથા કેટલાક ઉપસ્કર એટલે શય્યા, આસન, ભાજન વગેરે સ્વરૂપે ભોગવાયા છે તથા કેટલાક વસ્ત્ર સુવર્ણ-સ્ત્રી-વાહન આદિ સ્વરૂપે અનંતવાર ભોગવાયા છે.
૨૨૦
અને જો કે સર્વ રૂપી દ્રવ્યો અનંતવાર જીવવડે ભોગવાયા છે તો પણ મોહનીય કર્મના ઉદયથી દરેક ભવમાં બધું જ નવું નવું માને છે પણ તૃપ્તિને પામતો નથી તેને બતાવે છે
मयरहरो व्व जलेहिं तह वि हु दुप्पूरओ इमो अप्पा | विसयामिसम्म गिद्धो भवे भवे वचइ न तत्तिं । । ४०२ ।। मकरगृह- इव जलेन तथाऽपि खलु दुष्पूरकोऽयमात्मा
विषामिषे गृद्धः भवे व्रजति न तृप्तिम् ।।४०२।।
ગાથાર્થ : પાણીથી સમુદ્ર ક્યારેય સંતોષ પામતો નથી તેમ દુષ્પરિત એવો આ આત્મા વિષય રૂપી આમિષમાં આસક્ત થયેલો ભવોભવમાં તૃપ્તિ પામતો નથી. (૪૦૨)
गतार्थैव ।। अथ प्रासंगिकमुपसंहरन्नुपदेशतात्पर्यमाह -
હવે પ્રાસંગિકના ઉપસંહારને કરતા તથા ઉપદેશના સારને બતાવતા કહે છે
इय भुत्तं विसयसुहं दुहं च तप्पचयं अनंतगुणं ।
इह भवदुहदलणम्मि जीव ! उज्जमसु जिणधम्मे ||४०३ ||
इति भुक्तं विषयसुखं दुःखं च तत्प्रत्ययं अनन्तगुणं
इदानीं भवदुःखदलने उद्यच्छ जिनधर्मे ||४०३ ।
ગાથાર્થ : એ પ્રમાણે ભવોભવ વિષયસુખ ભોગવાયું અને તેના નિમિત્તે અનંતગુણ દુ:ખ ભોગવાયું તેથી હે જીવ ! ભવના દુઃખને નાશ કરનારા એવા જિન ધર્મમાં ઉદ્યમ કર. (૪૦૩)
इत्येवमुक्तप्रकारेण भुक्तं तावत् सर्वमपि विषयसुखं, तत्प्रत्ययं विषयसुखोपभोगहेतुकं दुःखं च नरकादिषु विषयसुखादनन्तगुणं भुक्तं, तद्यदि जीव ! दुःखेषु निर्वेदः कोऽपि तवास्ति तदिदानीं समस्तभवदुःखदलनसमर्थे, जिनधर्मे एवोद्यमं कुर्विति । तदेदमवसितं प्रासंगिकमपि तदवसाने च चतुर्गतिभवस्वरूपभावनात्मिका पंचमी संसारभावना समाप्तेति ।।
ટીકાર્થ : હમણાં કહેવાયેલ પ્રકારથી સર્વપણ વિષયસુખ ભોગવાયું અને વિષયસુખના ઉપભોગના હેતુરૂપ વિષયસુખ કરતાં અનંતગુણ દુ:ખ નરકાદિમાં ભોગવાયું છે તેથી હે જીવ !દુ:ખો ઉપર તારે કોઈપણ રીતે કંટાળો થયો હોય તો હમણાં સમસ્ત સંસારના દુઃખોને દળવા સમર્થ એવા જિનધર્મમાં ઉદ્યમ કર. આ પ્રમાણે તે પ્રાસંગિક કથન સમાપ્ત થયું અને તેની સમાપ્તિની સાથે ચતુર્ગતિ રૂપ ભવસ્વરૂપની ભાવના સ્વરૂપ પાંચમી સંસારભાવના સમાપ્ત થઈ.
।। વૃતિ સંસારમાવના ।।