SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ સ્વરૂપ જે કોઈ દ્રવ્યો છે તેને એકેક જીવવડે અનંતીવાર ભોગવાયા છે. કેવા પ્રકારથી ભોગવાયા છે ? કેટલાક પુદ્ગલો શ૨ી૨પણાથી પરિણમાવીને ભોગવાયા છે તથા કેટલાક ઉપસ્કર એટલે શય્યા, આસન, ભાજન વગેરે સ્વરૂપે ભોગવાયા છે તથા કેટલાક વસ્ત્ર સુવર્ણ-સ્ત્રી-વાહન આદિ સ્વરૂપે અનંતવાર ભોગવાયા છે. ૨૨૦ અને જો કે સર્વ રૂપી દ્રવ્યો અનંતવાર જીવવડે ભોગવાયા છે તો પણ મોહનીય કર્મના ઉદયથી દરેક ભવમાં બધું જ નવું નવું માને છે પણ તૃપ્તિને પામતો નથી તેને બતાવે છે मयरहरो व्व जलेहिं तह वि हु दुप्पूरओ इमो अप्पा | विसयामिसम्म गिद्धो भवे भवे वचइ न तत्तिं । । ४०२ ।। मकरगृह- इव जलेन तथाऽपि खलु दुष्पूरकोऽयमात्मा विषामिषे गृद्धः भवे व्रजति न तृप्तिम् ।।४०२।। ગાથાર્થ : પાણીથી સમુદ્ર ક્યારેય સંતોષ પામતો નથી તેમ દુષ્પરિત એવો આ આત્મા વિષય રૂપી આમિષમાં આસક્ત થયેલો ભવોભવમાં તૃપ્તિ પામતો નથી. (૪૦૨) गतार्थैव ।। अथ प्रासंगिकमुपसंहरन्नुपदेशतात्पर्यमाह - હવે પ્રાસંગિકના ઉપસંહારને કરતા તથા ઉપદેશના સારને બતાવતા કહે છે इय भुत्तं विसयसुहं दुहं च तप्पचयं अनंतगुणं । इह भवदुहदलणम्मि जीव ! उज्जमसु जिणधम्मे ||४०३ || इति भुक्तं विषयसुखं दुःखं च तत्प्रत्ययं अनन्तगुणं इदानीं भवदुःखदलने उद्यच्छ जिनधर्मे ||४०३ । ગાથાર્થ : એ પ્રમાણે ભવોભવ વિષયસુખ ભોગવાયું અને તેના નિમિત્તે અનંતગુણ દુ:ખ ભોગવાયું તેથી હે જીવ ! ભવના દુઃખને નાશ કરનારા એવા જિન ધર્મમાં ઉદ્યમ કર. (૪૦૩) इत्येवमुक्तप्रकारेण भुक्तं तावत् सर्वमपि विषयसुखं, तत्प्रत्ययं विषयसुखोपभोगहेतुकं दुःखं च नरकादिषु विषयसुखादनन्तगुणं भुक्तं, तद्यदि जीव ! दुःखेषु निर्वेदः कोऽपि तवास्ति तदिदानीं समस्तभवदुःखदलनसमर्थे, जिनधर्मे एवोद्यमं कुर्विति । तदेदमवसितं प्रासंगिकमपि तदवसाने च चतुर्गतिभवस्वरूपभावनात्मिका पंचमी संसारभावना समाप्तेति ।। ટીકાર્થ : હમણાં કહેવાયેલ પ્રકારથી સર્વપણ વિષયસુખ ભોગવાયું અને વિષયસુખના ઉપભોગના હેતુરૂપ વિષયસુખ કરતાં અનંતગુણ દુ:ખ નરકાદિમાં ભોગવાયું છે તેથી હે જીવ !દુ:ખો ઉપર તારે કોઈપણ રીતે કંટાળો થયો હોય તો હમણાં સમસ્ત સંસારના દુઃખોને દળવા સમર્થ એવા જિનધર્મમાં ઉદ્યમ કર. આ પ્રમાણે તે પ્રાસંગિક કથન સમાપ્ત થયું અને તેની સમાપ્તિની સાથે ચતુર્ગતિ રૂપ ભવસ્વરૂપની ભાવના સ્વરૂપ પાંચમી સંસારભાવના સમાપ્ત થઈ. ।। વૃતિ સંસારમાવના ।।
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy