SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ શિષ્ય છે એમ તું મને કેમ કહે છે? (૪૪) પછી ભગવાને પણ કહ્યું કે જેવી રીતે ગામડીયાઓથી રુંધાયેલો ચોર ઊનના તાંતણાથી પોતાને આચ્છાદન કરીને નહીં ઢંકાયેલો હોવા છતાં પણ પોતાને ઢંકાયેલો માને છે તેમ છે ગોશાલક ! આ અલીક વચનના વિસ્તારથી તું બીજો ન હોવા છતાં પણ બીજો માને છે. પછી ગુસ્સે થયેલો ગોશાળો ઘણાં નીચ વચનોથી જિનેશ્વર ઉપર આક્રોશ કરે છે. ગુરુના પરિભવને નહીં સહન કરતા સર્વાનુભૂતિ નામના અણગારે ગોશાળાને સમજાવવાની શરૂઆત કરી. પછી ક્રોધે ભરાયેલા ગોશાળાએ તેને તેજલેશ્યાથી હણ્યો. તે અણગાર આઠમાં દેવલોકમાં દેવ થયો. ગોશાળો ફરીથી જિનેશ્વર પર આક્રોશ કરે છે. પછી સુનક્ષત્ર અણગાર તેને શિખામણ આપવા પ્રવૃત્ત થયા. તે જ રીતે તેજોવેશ્યાથી તેને પણ બાળ્યો. કેટલોક કાળ જીવીને, અનશનને કરીને અમ્રુત કલ્પમાં મહદ્ધિક દેવ થયો. પછી દેવલોકમાંથી ઔવેલા આ બંને પણ મુનિઓ મહાવિદેહમાં સિદ્ધ થશે. ફરી પણ ગોશાળી વિરપ્રભુ ઉપર આક્રોશ કરવા લાગ્યો. પછી ભગવાન સ્વયં જ તેને સારી શિખામણ આપવા લાગ્યા. (૫૨) પછી ગુસ્સે ભરાયેલો ગોશાળો શ્રી વીરજિનેશ્વરના વધને માટે તેજલેશ્યા છોડે છે. જિનપ્રભાવથી હણાયેલી એવી તેજલેશ્યા જિનેશ્વરને પ્રદક્ષિણા આપીને, આકાશમાં ઊડીને, ગોશાળાના શરીરને બાળતી ફરી તેના શરીરમાં પ્રવેશે છે. પછી ગોશાળો ભગવાનને કહે છે કે મારી તેજોવેશ્યાથી બળેલો પિત્તવરના દાહથી છ મહિનાની અંદર મરશે. પછી ભગવાન કહે છે કે મારે હજુ પણ સોળ વરસનું આયુષ્ય છે. પોતાની તેજોલેશ્યાથી દાઝેલો તું સાત દિવસમાં મરણ પામશે. પછી સજ્જન લોક જિનેશ્વરના વચનની શ્રદ્ધા કરે છે પણ સંશયવાળો ઇતર લોક ગોશાલકને સાચો માને છે. પછી જિનેશ્વર શ્રમણ નિગ્રંથોને કહે છે કે આ નિસ્તેજ થયો છે તેથી હેતુ યુક્તિ અને આગમ વચનોથી હમણાં તેને પ્રેરણા કરો. શ્રમણોએ તેમજ કર્યું. ગુસ્સે થયેલો ગોશાળો પણ શ્રમણોને કંઈપણ કરવા સમર્થ થતો નથી, તેવા પ્રકારના નિસ્તેજ થયેલા ગોશાળાને જોઈને તથા શ્રી ગૌતમાદિના યુક્તિપૂર્વકના વચનોને સાંભળીને કેટલાક પ્રતિબોધ પામેલા આજીવિક સ્થવીરો ભગવાનની પાસે આવ્યા. (૯૦). બીજા કેટલાક ગોશાળાની સાથે ચાલ્યા. પોતાના ઇચ્છિતથી ભ્રષ્ટ થયેલો ગોશાળો પણ ગુસ્સાથી દાઢીના વાળ ખેંચે છે, દીર્ધ ઉષ્ણ વિશ્વાસ મૂકે છે. હાથ ધ્રુજાવે છે અને પોતાની નિંદા કરતો કુંભારની શાળામાં આવ્યો. દાહથી બનેલો માટી અને પાણીથી પોતાના શરીરને સીંચે છે. કુંભકારને અંજલિ જોડે છે. ફરી ફરી પણ નાચે છે, વારંવાર ગાય છે અને દાહથી પરવશ થયો. મદ્યનું પાન કરે છે. આ શું થયું? એમ પુછાયેલો ગોશાળો મારો આ મોક્ષગમનનો સમય થયો છે અને મોક્ષના પથિકોએ આ પ્રમાણે કરવું. (૧૫) પછી ગોશાળો પોતાના મરણને નજીક આવેલું જાણીને આજીવિક સ્થવરોને કહે છે કે મારા શબને મોટી ઋદ્ધિ તથા ઘોષણા પૂર્વક લઈ જવું અને કહેવું કે આ ચોવીસમો તીર્થકર મોક્ષમાં ગયો. તેઓએ તેમજ કરવાનું સ્વીકાર્યું સાતમો દિવસ થયો અને કોઈપણ રીતે આનો દર્શન મોહનીયનો ક્ષયોપશમ થયો અને સમ્યક્તની પ્રાપ્તિ થઈ ત્યારે મનમાં અધ્યવસાય ઉત્પન્ન થયો કે હું તીર્થંકર નથી પણ સાધુઓનો ઘાતક જ છું. ગુરુનો પ્રત્યેનીક (શત્રુ) છું. સકલ શુદ્ધમાર્ગના યશનો ઘાતી છું. તીર્થકર એવા વીરપ્રભુને મિથ્યા માન્યા. એ પ્રમાણે વિચારીને આજીવિક આવીરને બોલાવીને ઘણાં પ્રકારે શપથ આપીને આગ્રહપૂર્વક કહે છે કે હે દેવાનુપ્રિય! મને કાળધર્મ પામેલ જાણીને ડાબા પગને ઘાસના દોરડાથી બાંધીને અને મોઢામાં ત્રણ વાર થૂકીને શ્રાવસ્તી નગરીના મધ્યભાગથી ચાર-ત્રણ રસ્તા આદિ પર ઘોષણાપૂર્વક કાઢવો કે “મહાઋષિઓનો ઘાતક આ સંખલિપત્ર ગોશાળો પોતે તીર્થંકર નહીં છતાં તીર્થકર કહેવડાવીને અહીં
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy