________________
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
૩
અનાર્ય એવો ગૌશાળો તેના અટકચાળા કરે છે. પછી ગુસ્સે ભરાયેલા વૈશીયાયન ગોશાળાને હણવા તેજોલેશ્યા મૂકે છે. પછી ભગવાન પણ કરુણાથી ગોશાળાના રક્ષણ માટે શીતલેશ્યા મૂકે છે. શીતલેશ્યાથી પોતાની તેજોલેશ્યા હણાઈ છે એમ જાણીને બાળતપસ્વી વૈશીયાયન તેજોલેશ્યાને સંહરી લે છે. પછી ભયભીત થયેલા ગોશાળાએ પુછ્યું કે હે ભગવન્ ! તેજોલેશ્યાની પ્રાપ્તિ કેવી રીતે થાય ? પછી ભગવાને કહ્યું કે છઠ્ઠને પારણે છઠ્ઠ તપને કરતો નખ ઉપર અડદનો જેટલો પિંડ આવે તેટલા પિંડથી જે પારણું કરે, એક વિકટ આસનથી આતાપના ભૂમિ પર બાહુઓને ઊંચા કરીને આતાપના કરે છે તેને છ મહિનાની અંદર તેજોલબ્ધિ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે પ્રભુના વચનોને મનમાં ધારીને સ્વામીની પાસે ૨હે છે. (૨૨)
કોઈ વખત ભગવાન કુર્મા૨ગ્રામ નગરથી સિદ્ધાર્થપુર નગર જવા નીકળ્યા. ત્યાં પૂર્વે તલના વ્યતિકરને પૂછનારા ગોશાળાએ નિયતિવાદ* સ્વીકાર્યો.
અતિ ચપળતાથી અને તોછડાઈથી તથા કૃતઘ્નતાથી ગોશાળો સ્વામી પાસેથી છૂટો પડી બીજે જાય છે. પછી છ મહિનાના તપથી ગોશાળો તેજોલેશ્યાને સાધે છે. આજીવિકમાર્ગને પ્રકટ કરીને પોતાનો સંઘ સ્થાપે છે.
હવે કોઈ વખત શોણ, કલિંદ, કણિકાર અને અચ્છેદ તથા અગ્નિવૈશીયાયન અર્જુનગોમાયુપુત્ર આ છ દિશાચરો (દેશાટન કરનારા) મળ્યા. તેઓએ તેને પૂર્વગત અષ્ટાંગ નિમિત્તનો ઉપદેશ આપ્યો. (૨૭) અને તેઓ તેને લાભાલાભાદિ વિદ્યા કહે છે. આ વિદ્યાથી ગોશાળો પોતે અસર્વજ્ઞ હોવા છતાં પણ સકલ લોકમાં પોતે સર્વજ્ઞ છે એમ કહે છે. પછી દેશોમાં ભમતો ચોવીશ વર્ષના પર્યાયવાળો પોતાના સંઘથી સહિત શ્રાવસ્તી નગરીમાં ગયો અને ત્યાં હાલાહલાઈ કુંભારની શાળામાં રહ્યો. પોતે અરિહંત ન હોવા છતાં ત્યાં પણ પોતાને અરિહંત ઓળખાવે છે. (૩૦)
ન
અને આ બાજુ ત્યાં શ્રી વીરજિનેશ્વરનું સમવસરણ રચાયું અને ત્યાં વિચરતા શ્રીગૌતમસ્વામી વડે આ લોકઅપવાદ સંભળાયો. પછી પર્ષદા ઉપસ્થિત થઈ ત્યારે તેના પ્રતિબોધ નિમિત્તે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે અહીં ગોશાળો પોતાને જિન અને અરિહંત ઓળખાવે છે. તેથી હે સ્વામિન્ ! આ કોણ છે ? આની ઉત્પત્તિને કહો. આ મંખ અને મંખલિનો પુત્ર છે અને મારા વડે જ દીક્ષા અપાયો છે વગેરે તેના સર્વ ચરિત્રને ભગવાને પર્ષદામાં કહ્યું. પરસ્પર વાર્તાલાપ કરતી સ્વસ્થાને જતી પર્ષદાને ગોશાળાએ સાંભળી. ગોશાળો ભગવાન ઉપર ક્રોધે ભરાયો અને શ્રીવીર જિનના આનંદ નામના સ્થવીર શિષ્યને કહ્યું કે પોતાના ગુરુને તું આ પ્રમાણે કહેજે કે તું જે દેવ-મનુષ્ય અને અસુરથી સહિત સર્વ લોકમાં પુજાય છે તેનાથી પણ સંતુષ્ટ નહીં થયેલો મારી ખોટી ઉત્પત્તિને કહે છે. પછી તું કહેશે કે મને ન કહ્યું આથી જ તું હવે કંઈપણ બોલીશ તો હું આવીને તેજથી તને ભસ્મરાશિ કરીશ. પછી ભયભીત થયેલા આનંદ જઈને જિનેશ્વરને કહે છે અને શ્રી ગૌતમવગેરે સર્વે પણ ભગવાનવડે પ્રતિષેધ કરાયા કે અહીં આવેલ ગોશાળાને તમારે કંઈપણ ન કહેવું (૩૯) તે સાધુઓની સાથે મિથ્યા વિરોધી થયો છે. અને ગોશાળો પણ પોતાના સંઘની સાથે ત્યાં આવી પહોંચ્યો અને કહે છે કે હે જ્ઞાતપુત્ર ! તારો શિષ્ય જે ગોશાળો હતો તે શુભધ્યાનવાળો થઈને દેવલોકમાં ગયો છે પણ હું તો શ્વેતસુવર્ણ કાંતિવાળા શરીરનો ત્યાગ કરીને હમણાં જ તેના શરીરમાં પ્રવેશ્યો છું અને આ જ જન્મમાં હું સિદ્ધ થઈશ એ પ્રમાણે પોતાના મતિકલ્પિત સિદ્ધાંતને કહીને વીર જિનેશ્વરને કહે છે કે હે કાશ્યપ ! આ મંખલિપુત્ર ગોશાળો મારો
જ્યારે જે વસ્તુ થવાની હોય ત્યારે તે વસ્તુ અવશ્ય થાય છે તેમાં કોઈ પુરુષાર્થ કામ આવતો નથી. એ ગોશાળાનો નિયતિવાદ છે.