SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ભવ ભાવના પ્રકરણ ભાગ-1 ટીકાર્થઃ જોકે સમ્યગ્દષ્ટિ દેવો પ્રાય: હીનસ્થાનોમાં ઉત્પન્ન થતા નથી તો પણ તેઓને ગર્ભાવાસાદિન દુ:ખો રહેલા જ છે. વળી બીજું ગોશાળા જેવા કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો પણ સમ્યક્તને વમીને આવેલા કેટલાક અપાઈપુગલ પરાવર્તન સ્વરૂપ અનંત સંસારને ભમે છે અને ત્યાં અનંતદુ:ખોને અનુભવે છે અને જે સુખને અંતે આટલું દુઃખ અનુભવાય છે તે સુખ કેવી રીતે કહેવાય ? उक्तं च - "कह तं भन्नइ सोक्खं सुचिरेण वि जस्स दुक्खमल्लियइ ? जं च मरणावसाणे भव संसाराणुबंध च ।। જેને મરણ પછી સંસારના અનુબંધવાળા ભવો છે અને લાંબા કાળ સુધી દુઃખ જેને ભેટે છે તેને સુખ છે એમ કેમ કહેવાય ? પ્રશ્નઃ આ ગોશાળો કોણ છે? ઉત્તર ગોશાળા શ્રી મહાવીરસ્વામીના કુશિષ્યપણાથી પ્રસિદ્ધ જ છે પણ ભૂલી જવાના સ્વભાવવાળા જીવોને યાદ કરાવવા માટે તેનું કંઈક ચરિત્ર કહેવાય છે ગોશાળાનું કથાનક શ્રી વર્ધમાન સ્વામી દીક્ષા લીધા પછી બીજા વરસે જ્યારે વિહાર કરતા શ્રી રાજગૃહ નગરીની બહાર નાલંદા પાડામાં તંતુવાયની શાળામાં ચોમાસામાં માસક્ષમણનો સ્વીકાર કરીને રહે છે ત્યારે સરવણ સન્નિવેશમાં મંખની ભદ્રા સ્ત્રીની કુક્ષિમાં મખલિ નામનો પુત્ર જન્મ્યો. ગોબહુલ નામના બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો તેથી તેનું નામ ગોશાળો એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. યૌવન વયમાં હાથમાં ચિત્રફલક લઈને મંખવૃત્તિથી ભમતો તે આવીને અહીં વીરજિન રહ્યા છે ત્યાં તે રહ્યો. પારણાના દિવસે ભગવાન વિજય ગૃહસ્થના ઘરે પારણું કરે છે ત્યારે ત્યાં પંચ દિવ્યો પ્રકટ થાય છે તે પંચ દિવ્યો આ પ્રમાણે (૧) ધનની વૃષ્ટિ (૨) કુસુમની વૃષ્ટિ (૩) વસ્ત્રનો ઉલ્લેપ (૪) દેવદુંદુભિ (૫) ખુશ થયેલ દેવોની આકાશમાં “અહોદાને અહોદાન' એવી ઘોષણા. અને વિજયે દેવ આયુષ્ય બાંધીને સંસારને પરિમિત કર્યો. આનો ચંદ્ર જેવો નિર્મળ યશ સર્વત્ર ફેલાયો અને ગોશાળાએ આ સર્વ જોયું અને પછી વિજયના ઘરમાંથી નીકળતા જિનેશ્વરને જોઈને પગમાં પડે છે. (૯) ખુશ થયેલો ગોશાળો કહે છે કે હે ભગવનું ! તું મારો ધર્માચાર્ય છે અને હું તારો શિષ્ય છું પરંતુ ભગવાન તેનો આદર કરતા નથી અને મૌનથી રહે છે. પછી આનંદના ઘરે બીજા માસખમણનું પારણું થયું ત્યારે અને સુનંદના ઘરે ત્રીજા માસખમણનું પારણું થયું ત્યારે પણ આ ગોશાળો ભગવાનને ઉપર મુજબ કહે છે તથા ભગવાન પણ મૌન જ રહે છે. કોલ્લોગ સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણને ઘરે કાર્તિક ચોમાસાના પ્રતિપદા (એકમ)ના દિવસે ચોથું પારણું થયું. પ્રણીતભૂમિથી આવીને ગોશાળો ભગવાનને મળ્યો. ફરી પણ ભગવાન પાસે શિષ્યપણાની યાચના કરે છે. ભગવાન પણ શિષ્યપણાથી તેનો સ્વીકાર કરે છે અને પછી ગોશાળો છ વરસ ભગવાનની સાથે પ્રણીતભૂમિમાં વિચરે છે. (૧૪) ભગવાન પણ કરુણાથી ગોશાળાને પ્રણીતભૂમિમાં ઘણી આપત્તિઓથી બચાવે છે. જ્યારે ભગવાન સિદ્ધાર્થપુરથી કુર્મારગ્રામ નગર જવા નીકળ્યા ત્યારે તે નગરની બહાર વૈશીયાયન બાલ તપસ્વીને જુવે છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy