SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ पुरतो गर्भे च स्थितिं दृष्ट्वा दुष्टायां रासभ्यां वा सा उत्पद्यते अरतिः सुराणां यां जानाति सर्वज्ञः ।।३९५।। ગાથાર્થ એ પ્રમાણે પોતાની સમૃદ્ધિને પામીને, બીજા દેવોની અધિક ઋદ્ધિને જોઈને રિદ્ધિથી યુક્ત દેવોના પણ અંગો ક્ષીણ થાય છે. (૩૮૩) બીજા દેવોની ઉન્નત અને પુષ્ટ સ્તનવાળી-કમળ જેવી આંખોવાળી, ચંદ્રના જેવી મુખવાળી દેવીઓને જોઈને પોતાનો વિષાદ વધે છે. (૩૮૪). મેં અને આણે પણ એક જ ગુરુની પાસે તપ આચર્યું છે ખરેખર મને મારા પ્રમાદનું ફળ મળ્યું છે આને તેના અપ્રમાદનું ફળ મળ્યું છે. (૩૮૫) એ પ્રમાણે ઘણું ઝૂરીને કોઈક મૂઢ દેવ મહદ્ધિક દેવની દેવી તથા રત્નોને હરીને પલાયન થાય છે. (૩૮) પછી મહદ્ધિક દેવવડે વજથી તેના મસ્તકમાં તાડન કરાયેલો, દીનને બોલતો ઉત્કૃષ્ટથી છ માસ સુધી વેદનાને ભોગવે છે. (૩૮૭) એક ઇર્ષાથી દુ:ખી છે, બીજો વૈરી જનના કોપથી સંત્રસ્ત છે અને ત્રીજો મત્સર (દ્રષ)થી દુઃખી છે અને ચોથો માયાથી વિડંબિત થયો છે. (૩૮૮) વળી બીજો રત્નના દરવાજાવાળા ભવનોને વિશે લુબ્ધ આસક્ત અને મૂચ્છિત થયો છે અને બીજો આભિયોગિક કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દાસપણાથી અતિદુઃખી છે. (૩૮૯) અને અંતમાં આયુષ્ય ક્ષીણ થયે છતે, શરીરમાં કંપ ઉત્પન્ન થયે છતે, તેજ હીન થયે છતે તથા વિપર્યાસ ઉત્પન્ન થયે છતે, આજ્ઞા લોપાયે છતે, સકલ પરિવાર અનાદરવાળો થયે છતે, તે ઋદ્ધિને બદલે ભવાંતરમાં દારિદ્રયના સમૂહને જોતા તથા રત્નમય પુતળીઓ તથા સુવર્ણકાંતિવાળી દેવીઓને બદલે ભવાંતરમાં કાણી, કુબડી, અશુચિ અને બીભત્સ તથા દુર્વિનીત, ક્લેશકારી પ્રિયાને જાણતા તથા મન ઇચ્છિત આહાર-વિષય-વસ્ત્રો વગેરેના સુખો મળવાને બદલે પેટ ભરવા માટે પરઘરમાં દાસપણું મળશે એમ જોતા તથા રમણીય કલ્પતરુઓથી ગહન પ્રદેશમાં ક્રીડાઓને બદલે ભવાંતરમાં ગધેડી ચાંડાલ સ્ત્રીની કુક્ષિમાં ગર્ભને જોતા તે દેવોને જે અરતિ ઉત્પન્ન થાય છે તેને એક સર્વજ્ઞ ભગવંત જાણે છે. (૩૯૦-૩૯૫) ___ अक्षरार्थस्तु सुगम एव । भावार्थस्त्वयम् - यद्यप्यत्र राजादीनामिव देवानां समृद्ध्यादिजनितं व्यवहारतः सुखं श्रूयते तथापि निश्चयतस्ते ईर्ष्याविषादमत्सराधभिभूतत्वाद्दुःखिता एव ।। एतदेव समर्थयन्नाह - ટીકાર્થ: ગાથાર્થ સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છે. જો કે અહીં રાજા વગેરેની જેમ દેવોને પણ સમૃદ્ધિ આદિથી ઉત્પન્ન થયેલું સુખ વ્યવહારથી સંભળાય છે તો પણ નિશ્ચયથી તેઓ ઇષ્ય-વિષાદ-મત્સરાદિને અધીન બનેલા હોવાથી દુ:ખી જ છે. એનું સમર્થન કરતા જણાવે છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy