________________
ભક ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૦૫
તામલિ તપસે ક્યાંય પણ આ વચનોને સાંભળ્યા હતા તે આ પ્રમાણે છે – “આશંસાથી રહિત, નિ:સ્પૃહ એવા ઉત્તમ મુનિએ મોક્ષમાં અને સંસારમાં સર્વત્ર સર્વ અનુષ્ઠાન કર્મ આચરવું જોઈએ... વગેરે.”
પછી તામલિ મૌન ધરીને રહ્યો અને કંઈપણ બોલતો નથી અને પછી દેવદેવીઓ નિયાણાને માટે ફરી ફરી દઢ આગ્રહ કરે છે. એટલામાં તામલિ કંઈપણ બોલતો નથી તેટલામાં ખેદ પામીને તેઓ પોતાના સ્થાનમાં ગયા અને આ બાજુ ઈશાન દેવલોકના ઇન્દ્રનું ચ્યવન થયું. બે મહિનાની અનશન વિધિને કરીને તામલિ તાપસ તેના સ્થાને ઈશાનેન્દ્ર થયો. (૨૪).
પછી બલીચંચામાં અસુરકુમારોએ જાણ્યું કે તામલિ ઈશાન કલ્પમાં ઇન્દ્ર થયો છે. પછી ગુસ્સે થયેલા તેઓએ તામ્રલિપ્તી નગરીમાં જઈને ડાબાપગમાં ઘાસના દોરડાથી તામલિના શરીરને બાંધ્યું અને મુખમાં ત્રણવાર થૂકે છે. સ્વયં વેશને ધારણ કરનારો, અજ્ઞાન કષ્ટને કરનારો, કૂતરાદિને પણ પ્રણામ કરનારો એવો આ બાળ તપસ્વી કોણ છે ? એ પ્રમાણે અવજ્ઞાપૂર્વક કોપથી બોલીને, એકાંતમાં નિર્જન જગ્યાએ તેના શબને નાખીને (છોડીને) સર્વ પોતાના સ્થાનમાં ગયા. (૨૮). ' અને આ સર્વ વૃત્તાંતને ઇશાન દેવલોકના દેવ-દેવીઓએ જોયું તેથી તેઓએ ઇન્દ્રને કહ્યું તેથી તે અસુરદેવો પર ક્રોધે ભરાયો અને શય્યામાં રહેલો પણ અસુર દેવદેવીઓથી યુક્ત સર્વ બલિચંચા રાજધાનીને કુપિત દૃષ્ટિથી જુએ છે. (૩૦) પછી તે ઈશાનેન્દ્રના દિવ્ય પ્રભાવથી બલિચંચા રાજધાની અંગારાની રાખ તથા મુર્મર (છાર)ના કપિલવર્ણના (ભુખરાવર્ણના) સારવાળી થઈ. પછી ભય પામેલા વ્યાકુલ મનવાળા એવા અસુરકુમાર . દેવ દેવીઓ તેને જાણીને ત્યાં ચારેબાજુ દોડે છે. ઈશાન દેવરાજના દિવ્ય દેવદ્ધિને તથા દિવ્ય તેજલેશ્યાને સહન કરવા અસમર્થ એવા તેઓ મસ્તક પર અંજલિપુટ જોડીને વિનયથી નમેલા ઈશાનેન્દ્રને વારંવાર ખમાવે છે અને કહે છે કે અમો આવું ફરીથી નહીં કરીએ, કોપદૃષ્ટિને પાછી લઈ લો. તે પણ દિવ્ય તેજોવેશ્યાને પાછી સંતરી લે છે અને અહીંથી ચ્યવન પામેલો ઈશાનેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. તામલિ તાપસ વડે જેટલું બાળપ કષ્ટ કરાયું તેટલા તપથી જિનમંતમાં રત એવા બીજા આઠ જીવો સિદ્ધિગતિમાં જાય. किं यथोक्तैश्छद्मस्थसंयमादिभिरेव हेतुभिर्देवत्वमापुवन्ति जीवाः ?, आहोश्विदन्यैरपीत्याह - શું હમણાં કહેવાયેલા છબી સંયમાદિ હેતુઓથી જ જીવો દેવ ભવને પામે છે કે બીજા કારણોથી પણ દેવ ભવને પામે છે ? આને જણાવતા કહે છે
अनेऽवि हु खंतिपरा सीलरया दाणविणयदयकलिया । पयणुकसाया भुवणोव्व भद्दया जंति सुरलोयं ।।३४८।। अन्येऽपि खलु शान्तिपराः शीलरताः दानविनयदयाकलिताः
प्रतनुकषायाः भुवन इव भद्रका यान्ति परलोकम् ।।३४८।। ગાથાર્થ : ક્ષમામાં તત્પર, શીલમાં રત, દાન-વિનય-દયાથી યુક્ત, પાતળા કષાયવાળા બીજા પણ ભદ્રિક જીવો ભુવનની જેમ દેવલોકમાં જાય છે.
अन्येऽपि भद्रकमिथ्यादृष्ट्यादयः क्षान्त्यादिगुणयुक्ता भुवनवदेवलोकमुपयान्ति ।। • : પુનરી ભુવન તિ ?, તે –