SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ આ બાજુ શિયાળદેવ અનશનને સ્વીકારેલ તે મુનિને જોઈને પૂર્વભવના વૈરને યાદ કરીને ત્યાં આવે છે. પછી બચ્ચા સહિત એક શિયાલણીને વિક્ર્વીને ઉત્પન્ન કરાઈ છે ઘણી વેદના જેને એવા તે કાલ સાધુને ખી ખી કરતી ખાય છે. પછી ઉગામેલ શસ્ત્રવાળું રાજાનું સૈન્ય તે સાધુનું રક્ષણ કરે છે. દેવ પણ ક્ષણથી દેખાય છે ક્ષણથી અદૃશ્ય રહે છે ફરી આવે છે એ પ્રમાણે જ્યાં સુધી બચ્ચા સહિત તે શિયાલણીના રૂપથી સાધુ ભક્ષણ કરાયા તેટલામાં વેદનાને સમભાવથી સહન કરીને તે સાધુ દેવલોકમાં ગયા અને અહીં અકામ નિર્જરાથી શિયાળ દેવભવમાં ગયો એટલો માત્ર જ અહીં પ્રસ્તુત વિષય છે બાકીની સર્વ વાત જણાવી છે. જેમ કાલમુનિવડે રોગ અને દેવનો ઉપસર્ગ સમભાવથી સહન કરાયો તેમ બીજાએ પણ સહન કરવો જોઈએ. હવે બાલાપ કર્મથી દેવભવની પ્રાપ્તિ વિશે તામલિ તાપસનું ઉદાહરણ કહેવાય છે તામલિ તાપસનું ઉદાહરણ હંમેશા સમુદ્ર પણ રત્નોને લેવા માટે જાણે તેની સેવા ન કરતો હોય એવી ઘણાં રત્નોથી ભરપૂર તાપ્રલિપ્તી નામે નગરી હતી. તે નગરીમાં મૌર્યપુત્ર તામલિ નામનો ગાથાપતિ વસે છે. અમાપ રિદ્ધિથી યુક્ત છતાં પણ જે હંમેશા ધનની લાલસાથી રહિત હતો અને વિષય સુખોને ભોગવતા તેનો કાળ પસાર થાય છે ક્યારેક રાત્રીના પાછલા ભાગમાં આ પ્રમાણે વિચારે છે કે પૂર્વના કર્મના વશથી જ્યાં સુધી મારે ઘરે વિપુલ ધન છે મારો સર્વ પણ પરિજન અને સ્વજનવર્ગ પણ આદર કરે છે અને જ્યાં સુધી પૂર્વના શુભ કર્મનો વિગમ ન થાય અને ધન નાશ ન પામી જાય અને પરિજન પણ પરાભવ ન કરે તેટલામાં મારે પ્રાણામી* પ્રવ્રજ્યા લેવી યોગ્ય છે એ પ્રમાણે વિચારીને, પ્રભાતે જાગીને, સકલ સ્વજન વર્ગને આમંત્રણ આપ્યું. પછી વિપુલ અન્નપાનાદિથી સ્વજનોને સન્માનીને તેઓની સમક્ષ મોટાપુત્રને કુટુંબની જવાબદારી સોંપીને, મુંડ થઈને પ્રાણાની દીક્ષા ગ્રહણ કરે છે. આતાપના ભૂમિ પર બાહુને ઊંચા કરીને, સૂર્યની સન્મુખ રહીને, છઠ્ઠનો તપ કરીને, પારણે ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરોમાં ફરીને શુદ્ધ ભાતને લાકડાના પાત્રામાં ગ્રહણ કરે છે અને તેને એકવીશ વાર પાણીથી ધોઈને ભોજન કરે છે (૧૦) એ પ્રમાણે હંમેશા પણ છટ્ટ-છટ્ટથી આતાપીને ભોજન કરે છે. પછી પૃથ્વી પર ભમતો ક્યાંય પણ ઇન્દ્ર કે સ્કંદ કે રુદ્ર કે રાજા કે – અમાત્ય કે શ્રેષ્ઠી કે સાર્થવાહ કે ચાંડાલ કે કાગડાને કે અધમ કૂતરાને જુએ છે ત્યાં ઊંચાને ઊંચેથી અને નીચાને નીચેથી પ્રણામ કરે છે એ પ્રમાણે સાઈઠ હજાર વરસ બાળપને કરે છે. અજ્ઞાન તપથી તેના શરીરની ચામડી અને હાડકાં જ બાકી રહ્યાં. પછી નગરની બહાર અનશન કરે છે (૧૪) અને આ બાજુ બલિ ચંચા રાજધાનીમાં બલિ નામનો અસુરેન્દ્ર અવન પામ્યો ત્યારે તે રાજધાની ઇન્દ્ર વગરની થઈ. દેવ અને દેવીઓ ભેગાં થઈને મંત્રણા કરી કે આપણે ઇન્દ્ર વિનાના થયા છીએ તેથી ઇન્દ્ર વિના આપણી એક પણ ક્ષણ ન થાઓ અને આ તામલિ અનશનમાં વર્તે છે તેથી આને નિયાણું કરાવીએ જેથી તે અહીં આપણા ઇન્દ્ર રૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે વિનિશ્ચય કરીને તેઓ તામલિની પાસે ગયા અને કહ્યું કે તમે જાણો છો કે બલિ-અસુરેન્દ્રના અમે દેવ-દેવીઓ છીએ અમારો પૂર્વનો ઇન્દ્ર ઍવી ગયો છે તેથી તમે હમણાં નિયાણું કરો જેથી તમે અમારા ઇન્દ્ર થાવ અને ત્યાં દિવ્ય વિષય સુખને અનુભવો તથા અમે પણ તમારી આજ્ઞાનું પાલન કરનારા થઈશું. (૨૦). * જેમાં પ્રણામ કર્તવ્યતા રૂપે છે એવી દીક્ષા તે પ્રાણામી પ્રવ્રજ્યા.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy