SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૦૩ બળાત્કારથી પણ સારવસ્તુને લઈ લે છે. યમની જેમ પ્રત્યક્ષથી લોકના અહિતમાં જ વર્તે છે. ક્યારેક પ્રાસાદમાં રહેલો એવો આ જંગલમાં રહેલા શિયાળોના અવાજને સાંભળીને પૂછે છે કે આ કયા જીવોનો સ્વર છે? સેવક જને કહ્યું કે હે કુમાર ! આ શિયાળીયાઓનો અવાજ છે. કુમારે કહ્યું કે એક શિયાળને બાંધીને લાવો. સેવકોએ તેમજ કર્યું. પછી કાલ શિયાળને ખીલામાં બાંધીને ચાબુકથી મારે છે ત્યારે શિયાળ ખી ખીં રડે છે એટલે કાલને હર્ષ થાય છે પછી કાલે ફરી ફરી તે શિયાળને ચામડી નીકળી ગઈ ત્યાં સુધી માર્યું. જેના શરીરમાંથી લોહીનો પ્રવાહ નીકળી ગયો છે એવા શિયાળે જીવિતનો ત્યાગ કર્યો અને અકામ નિર્જરાથી મરીને વાણવ્યંતર દેવોમાં દેવ થયો. કાલ પણ સકળ નગરીમાં ઉપદ્રવ કરે છે. પછી નગરના લોકો ભેગાં થઈને રાજાને ખબર આપી. રાજાએ પણ નગરજનોને વિદાય આપીને કાલીને કહ્યું કે આ તારો પુત્ર સકળ નગરને પીડે છે તો તેનું તું વારણ કર. પછી ગુસ્સે થયેલી કાલી ભ્રકુટિ ચડાવીને રાજાની નિર્ભત્ન કરે છે કે મારે એક જ પુત્ર છે તમે અને વાણિયા બંને સાથે મળીને હંમેશા પણ શુદ્ધ સ્વવભાવવાળા તેને હેરાન કરવા માટે પ્રવૃત્ત થયા છો. કાલીથી ભયપામેલો રાજા મૌન થઈને રહ્યો તેથી તે કાલ નગરના લોકોને અધિકતર પીડવા લાગ્યો. હવે કોઈ વખત ભમતો તે સાધુઓના ઉપાશ્રયમાં જાય છે ત્યાં ભયભીત થયેલા સાધુઓ વ્યાખ્યાન કરતા નથી. પછી કાલે કહ્યું કે તમને બધાને મારા તરફથી અભય છે તેથી પોતાના ધર્મને કહો આજે હું સાંભળવા આવ્યો છું. (૧૮) પછી ગુરુએ કહ્યું કે હે ભદ્ર ! નરક-તિર્યચ-મનુષ્ય અને દેવના ભેદથી આ સંસાર ચાર પ્રકારનો જિનેશ્વરવડે બતાવાયો છે. ફરી કાલ પૂછે છે કે નરક અને તિર્યંચાદિ કેવા પ્રકારના છે. પછી કરુણાથી ગુરુએ સૂત્રનિર્દિષ્ટ, પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળું, નરકાદિનું સર્વ પણ સ્વરૂપ વિસ્તારથી કહે છે. તે નરકાદિમાં જે પ્રકારના જીવો જાય છે તેને તું સાંભળ. - મહારંભથી, મહાધનના પરિગ્રહથી, પંચેન્દ્રિય વધથી, માંસાહારથી જીવો નરકમાં જાય છે. માયાવીપણાથી, ખોટા તાલમાપથી, ફૂટ-ક્રયાદિ અલીકથી જીવો શ્વાન વગેરે તિર્યંચ ગતિમાં જાય છે. (૨૩) પરને પીડા કરવાથી જીવો મનુષ્યગતિમાં આંધળા, બહેરા, લૂલા, લંગડા થાય છે અને દેવગતિમાં દુર્ભાગ્ય અને કિલ્બિષકપણાને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે પાપ કરનારા જીવો પૂર્વે વર્ણવાયેલ સંસારચક્રમાં ભમે છે અને હંમેશા અનંત તીવ્ર દુઃખોથી મુકાતા નથી. પછી કાલ વિચારે છે કે ગુરુવડે થોડાંક જ પાપસ્થાનો કહેવાયા છે પણ મારા વડે અનેક પાપો કરાયા છે તેથી મારે અવશ્ય નરકમાં જવું પડશે. તેથી પૂછે છે કે એવો કયો ઉપાય છે જેથી મારે નરકમાં ન જવું પડે ? પછી ગુરુ કહે છે કે જો કર્મરૂપી વનના સમુદ્રને શોષવવા માટે દાવાનળની વૃષ્ટિ સમાન એવી જિનદીક્ષા લેવામાં આવે તો નરકાદિગતિમાં ન જવું પડે. પછી કાલ કહે છે કે મને તમે જિન દીક્ષાનું પ્રદાન કરો. પછી જ્ઞાનના ઉપયોગથી જોઈને ગુરુ કહે છે કે તું માતા-પિતાની રજા લઈ આવ, વિલંબ ન કર. પછી કાલે માતા-પિતાની રજા માંગી. તેથી રાજા વિચારે છે કે ઔષધ વિના જ આ વ્યાધિ નાશ પામે છે. તેથી ઘણો ઉત્સાહિત થયો. પછી માતા ઘણાં આગ્રહને કરતી રજા આપતી નથી તો પણ કાલે માતાને સમજાવીને તેઓની પાસે દીક્ષા લીધી અને ગીતાર્થ થયેલા આ કાલમુનિ એકલ વિહારની પ્રતિમાનો સ્વીકાર કરે છે અને કાળથી ગ્રામ નગરોમાં વિહાર કરતા મુદ્દગશૈલ નગરમાં પધાર્યા જ્યાં જિતશત્રુ છે જેની અગ્રમહિષી કાલસાધુની બહેન છે. તેથી રાજા વગેરે તે મુનિના વંદનને માટે ગયા. દેવીએ (અગ્રમહિષીએ) તેના અર્થના વ્યાધિને જાણ્યો. (૩૪) શરીરની ચિકિત્સા નહીં કરનારા કાળમુનિ ક્યારેય પણ તેનો ઉપચાર (ઔષધ)ને કરાવતા નથી. રાણી વૈદ્યને પૂછીને ચૂર્ણને લઈ આવી. પછી ભિક્ષા માટે આવેલા તે મુનિના ભોજનમાં ચૂર્ણ મેળવીને આપ્યું. તેનાથી અર્શના જંતુઓ ખરીને પડ્યા. ઔષધ સંબંધી અધિકરણ થયું છે એમ જાણીને ભોજનનું સર્વથી પચ્ચખાણ કરે છે. (૩૭)
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy