________________
૨૦૨
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
પછી કુમારની સાથે ધનંજય ઘણાં સુખથી રહે છે અને હંમેશાં તેની સાથે ભોજન કરે છે, ક્રીડા કરે છે, ભમે છે અને રહે છે. પછી કોઈક દિવસે મંત્રની ભુક્તિના (મર્યાદાના) અંતે ગધેડીઓ ફરી પણ યોગિનીઓ થઈ. ભય પામેલ વ્યાપારીઓ નાશી ગયા. મંત્રની આજ્ઞાના મોક્ષ (છુટકારા) વિના તેઓ જતી નથી જ અને ભમતો ધનંજય કુમાર ત્યાં આવ્યો. પછી કરુણાથી ધનંજયવડે મુકાયેલી યોગિનીઓ પોતાના સ્થાને જાય છે. શ્રેષ્ઠીપુત્ર ધનંજય કુમાર ક્યારેક સાધુપાસે જિનધર્મ સાંભળીને દેશવિરતિ સહિત સમ્યક્ત્વનો સ્વીકાર કરે છે અને રાજપુત્ર ઇન્દ્ર સમ્યક્ત્વનો સ્વીકાર કરે છે પછી સમયે તે બંને પણ દેવ અને ગુરુને હંમેશા વાંદે છે અને પ્રીતિથી બંધાયેલ ચિત્તવાળા જિનપ્રરૂપિત ધર્મને આરાધે છે. (૪૪)
હવે કોઈક વખત રાજાનું મરણ થયે છતે ઇન્દ્ર રાજપુત્ર રાજા બને છે. તેણે ધનંજયને અમાત્ય પદ પર સ્થાપવા આગ્રહ કર્યો. ધનંજયે રાજાને કહ્યું કે હે નરાધિપ ! પાંચ દિવસના સુખના કારણ એવા આ મહા આરંભમાં હું કોઈપણ રીતે પોતાના આત્માનેં નાખીશ નહીં. નીતિથી પ્રાપ્ત કરેલી વૃત્તિથી જીવનારા અલ્પારંભી, જિનધર્મની અંદર રત એવા જીવો હંમેશા જે કાળને પસાર કરે છે તે જ જીવો આલોક અને પરલોકમાં સુખી થાય છે અને બીજા જીવો તુચ્છ પ્રાણવૃત્તિને માટે પાપોને આચરે છે તે મિથ્યાભિમાનથી હણાયેલા દુ:ખીયા સર્વત્ર પણ ભમે છે. તેથી જો તું મારા હિતને ઇચ્છતો હો તો ધર્મના વિઘ્નનું એક કારણ, દુઃખે કરીને પાર પામી શકાય તેવા પાપારંભમાં મને ન જોડ. (૪૯)
પછી પંચાંગથી રચાયો છે પ્રસાદ જેનાવડે એવો ધનંજય સકળ નગરીના નાયક સ્વરૂપ શ્રેષ્ઠીપદે રાજાવડે સ્થાપન કરાયો. સર્વવિરતિના સ્વીકારનો અભિલાષ કરતો પણ તે રાજાના સન્માનથી ઉત્પન્ન થયેલ એકમાત્ર રાગથી સર્વવિરતિ લેવાને શક્તિમાન થતો નથી. પછી પુત્ર અને સ્વજન સહિત પોતાના પિતા ધનદને ત્યાં લાવીને મોટા સુખથી રાખે છે અને જિનધર્મમાં પ્રવર્તાવે છે. (૫૨)
હવે કોઈક વખત ક્યાંકથી પોતાનું મરણ નજીક છે એમ જાણીને જિનમંદિરોમાં પૂજાઓ રચાવીને તથા સાધર્મિકોનું સન્માન કરીને, દુ:ખી આદિઓને દાન આપીને, સંઘને પૂજીને, શ્રાવકની સર્વપ્રતિમાઓને વહન કરીને, દેશવિરતિનું નિરતિચાર પાલન કરીને, શરીરની સંલેખના કરીને,. ક્રમથી પર્યંત સમયે આલોચના કરીને પ્રતિકાંત થયેલો, સંપૂર્ણ જીવરાશિને ખમાવીને, એક માસનું અનશન કરીને, ઉલ્લસિત શુભભાવવાળો ધનંજય શ્રેષ્ઠી બારમાં અચ્યુત દેવલોકમાં બાવીશ સાગરોપમની સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થયેલો સુખોને ભોગવે છે. (૫૭)
હવે અકામ નિર્જરાથી દેવભવની પ્રાપ્તિમાં શિયાળનું કથાનક કહેવાય છે
મથુરા નામની નગરી છે જેમાં કૃષ્ણના ચારિત્રોને ગાતી ગોપીઓ મુસાફરોના ગમનમાં લાંબા સમય સુધી વિઘ્નો કરે છે. તેમાં જિતશત્રુનામનો રાજા છે જેના શત્રુઓ અરણ્યમાં પણ રાજ્યરૂપી લક્ષ્મીને છોડતા નથી કેમકે તેઓ તપ રૂપી રાજ્યલક્ષ્મીને* પામેલા છે. ક્યારેક રાજમાર્ગે નીકળતો આ રાજા પ્રાસાદના શિખર ઉપર પોતાને જોતી કાલી નામની વેશ્યાને જુએ છે. (૩) તેના રૂપાદિ ગુણોથી મૂચ્છિત થયેલો તેને ગ્રહણ કરી અંતઃપુરમાં સ્થાપના કરે છે અને તેની સાથે વિષયસુખને ભોગવે છે. કાળક્રમે તેને પુત્ર થયો અને તેનું કાલ એ પ્રમાણે નામ રાખ્યું. દુર્નયોની સાથે આ મોટો થઈ યૌવનને પ્રાપ્ત થયો. પછી કાલ લોકના ધનને હરે છે, ઘરોમાં ખાતર પાડે છે. માર્ગોમાં લોકને લૂંટે છે અને પકડીને કેદખાનામાં પૂરે છે. નારીજનને ભ્રષ્ટ કરે છે,
જિતશત્રુ રાજાએ શત્રુરાજાઓને જીતીને તેઓના રાજ્યોને લઈ લીધા છે. શત્રુરાજાઓ હારી જઈને અરણ્યમાં ચાલી ગયા છે અને ત્યાં તેઓએ તપ રૂપી રાજ્યલક્ષ્મીનો સ્વીકાર કર્યો છે જેને જિતશત્રુ રાજા લઈ શકતો નથી,