SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૨૦૧ નગ્ન થયેલો ધનંજય વિચારે છે કે અહો ! જુઓ જે પુરુષ પોતાના વ્યવસાયથી રહિત હોય છે તે આ રીતે પરાભવ પામવા યોગ્ય થાય છે તેથી હું પોતાએ ઉપાર્જન કરેલ વસ્ત્રને પહેરીશ, બીજા નહીં. પછી ભાભીઓએ તથા બીજાઓએ પણ ઘણો સમજાવ્યો છતાં પણ કોઈ રીતે વસ્ત્રને ધારણ કરતો નથી ત્યારે સર્વ પરિજન પ્રશ્કેલી અને વ્યાકુળ થયે છતે ધનંજય ઘરમાંથી નીકળી બહાર જાય છે. ક્રમથી આગળ જતો વલ્કલચરના વસ્ત્રો કરીને અને વનફળોથી આજીવિકાને કરતો ક્યારેક વિશાલા નગરીની બહાર ઉદ્યાનમાં પહોંચ્યો અને ત્યાં સૂર્યાસ્ત થયા પછી અંધકાર છવાયે છતે શ્વાપદના ભયથી એક મહાવૃક્ષની મોટી બખોલમાં રહ્યો. પછી હુંકાર રેતી ભોગ (બલી) સહિત સોળ સ્ત્રીઓ આકાશમાંથી ઊતરીને તે જ મહાવૃક્ષના નીચેના પ્રદેશમાં બેઠી. પછી ક્ષણવારમાં બે બાહુથી પાછળ પીઠ સાથે બંધાયેલો, સુંદર આકારવાળો, સુંદર વસ્ત્રો પહેરેલો એક તરુણ પુરુષ ત્યાં લવાયો. પછી પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કર એ પ્રમાણે બોલતી ભયંકર એવી તે સ્ત્રીઓ હાથમાં કાતર લઈને તેની પાસે આવી. વૃક્ષની બખોલમાં બેઠેલો ધનંજય સમગ્ર વૃત્તાંતને જુએ છે. પછી વિચારે છે કે અહો ! આ ભદ્રઆચારવાળો કોઈ પુરુષ છે. (૧૯) મારા દેખતાં વિના કાર્યો (અપરાધે) આ નાશ પામશે. તેથી પોતાના અધ્યાપકની કૃપાથી હું આનું રક્ષણ કરું. પછી ધનંજય યોગિનીના મંત્રને યાદ કરીને વૃક્ષમાંથી નીકળતો અને હાકલ કરતો સર્વને દાસીઓ કરે છે. પુરુષને છોડાવીને તેના સમગ્ર વૃત્તાંતને પૂછે છે. તે પુરુષે કહ્યું કે હે મહાયશ ! અહીં નજીકમાં વિશાલા નામની શ્રેષ્ઠ નગરી છે અને તેનો અરિકેશરી નામે રાજા છે તેનો હું ઇન્દ્ર નામે પુત્ર છું. આ યોગિનીઓ સવારે મને પકડીને અહીં લાવી છે. તે નિષ્કારણ બાંધવ !હમણાં હણાતો તારાવડે રક્ષણ કરાયો છે અને છોડાવાયો છે તેથી કપા કરીને કહો કે તમે કોણ છો ? અહીં કેવી રીતે આવ્યા ? પછી ધનંજય પણ તેને પોતાનો વૃત્તાંત કહે છે. હવે ઇન્દ્રકુમાર કહે છે કે મારા પુણ્યથી તું અહીં આવ્યો છે તેથી આપણે નગરમાં જઈએ. પછી યોગિનીઓ પાસેથી ઉત્તમ વસ્ત્રો લઈને ધનંજય પહેરે છે અને હાથમાં લાકડી લઈને એક ગધેડી* ઉપર બેસે છે અને બીજી ગધેડી ઉપર ઇન્દ્રકુમાર બેસે છે અને બાકીની ગધેડીઓને આગળ કરીને તેઓ નગરના દરવાજે ગયા. ગધેડીઓના વ્યાપારીઓએ આ જોઈને પુછ્યું કે આ ગધેડીઓની કેટલી કિંમત છે? પછી ત્યાં તેઓએ મશ્કરીથી પૂછતા વ્યાપારીઓને કહ્યું કે આ ગધેડીઓ મહાકિંમતી છે. પછી પુષ્ટ શરીરવાળી ગધેડીઓને જોઈને તેઓ વડે તે પ્રમાણે જ ખરીદ કરાઈ. (અર્થાતુ મોંઘી કિંમતે ખરીદ કરી.) પરંતુ વ્યાપારીઓ રહેવા સ્થાનને માગે છે. પછી કુમારોએ કહ્યું કે નગરીમાંથી કંઈપણ લાવીને પછી તમને સ્થાન આપશું એમ કહીને બંને જણા પણ નગરીમાં ગયા. (૩૧) પછી વેલડીથી બંધાયેલી ગધેડીઓ ત્યાં જ રહે છે અને કુમાર પણ એટલામાં પોતાના ઘરના દરવાજે પહોંચ્યો તેટલામાં પ્રતિહાર વગેરે પરિજનલોકે તેને જોયો તેથી સમગ્ર પરિવાર પણ ભય પામ્યો. આ કોઈ ભૂત (ભયની ધમકી) છે એમ વિચારીને સમગ્ર પરિવાર નાશી ગયો અને રાજાને જણાવે છે. રાજા પણ ધીર-સુભટ પુરુષોને મોકલે છે. સુભટો કુમારને પૂછે છે કે તું કોણ છે? તે કહે છે કે હું રાજપુત્ર ઇન્દ્ર છું. સુભટો કહે છે કે તે તો ગઈકાલે મરી ગયેલો અમારા પોતાના હાથે સ્મશાન ભૂમિમાં બળાયો છે આજે અહીં કેવી રીતે આવ્યો ? રાજપુત્રે કહ્યું કે ખરેખર હું બળાયો ન હતો પરંતુ યોગિનીઓ વડે મારું કંઈક પણ પ્રતિબિંબ (પુતળું) તમને બતાવાયું હતું અને હું તો અક્ષત શરીરવાળો યોગિનીઓ વડે લઈ જવાયો હતો. આ ભાઈ (ધનંજય) વડે હું છોડાવાયો છું એ પ્રમાણે કુમાર ઘણાં વિશ્વાસો (ખાતરીઓ) પૂર્વક પોતાના સર્વવૃત્તાંતને કહે છે. પછી ખાત્રી થયે છતે રાજા અને સર્વ પરિજન પણ ખુશ થયા અને રાજાએ નગરમાં મોટું વર્ધાપન કરાવ્યું. (૩૮) * અહીં અર્થોપત્તિથી સમજી લેવું કે ઘનંજયે વિદ્યાથી સર્વ યોગિનીઓને ગધેડીઓ બનાવી દીધી છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy