SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ ન ધ્યાનથી ચલાયમાન નહીં થયેલ મુનિને જોઈને, સ્વયં જ વિસ્મિત થયેલો મસ્તક-આંખ-કાન-નાક આદિમાં ગાઢ વેદનાને વિકુર્વે છે. વેદનાથી પીડાતા સાધુ આ પ્રમાણે વિચારે છે કે હે જીવ ! સમયે પ્રાપ્ત થયેલા પોતાના હાથે રોપેલા કર્મરૂપી મહાવૃક્ષના ફળોને ભોગવ, બીજા ૫૨ ગુસ્સે ન થા. તને કોણ દુઃખ આપે છે ? અને કોણ સુખ આપે છે ? સ્વયં જ કરેલા કર્મો સમયે આવા પરિણામને પામે છે તેથી ખેદ અને હર્ષથી શું ? અને આ કર્મ ભવિષ્યમાં અવશ્ય ભોગવવાનું છે હમણાં પણ તે કર્મોને ભોગવવામાં સહાય કરતો દેવ તારો ભાઈ જ પણ શત્રુ નથી. (૧૦૨) જેઓનો અવિવેક મિત્ર છે એવા જીવો લાંબા કાળથી કર્મને ભોગવતા અલ્પ કર્મોને ખપાવે છે અને પ્રતિ સમય નવા ઘણાં કર્મોને બાંધે છે. જિનવચનથી ઉત્પન્ન થયો છે વિવેક જેઓને એવા જીવો ઘણાં કર્મોને ખપાવે છે અને નવા કર્મો બાંધતા નથી. તેથી હે જીવ ! જિનવચનથી ઉત્પન્ન થયેલ છે વિવેક રૂપી મિત્ર જેને એવા તારે હમણાં વેદનાની ઉદ્દીરણા કરતો આ દેવ મિત્ર જ છે તેથી સર્વ જીવો૫૨ મૈત્રી ભાવના ક૨ અને આ દેવ પર વિશેષથી મૈત્રીભાવના કર. એ પ્રમાણે શુભ ભાવનાથી છટ્ઠા પ્રમત ગુણસ્થાનકે રહેલા ગુણસાગર રાજર્ષિએ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનને પ્રાપ્ત કરી ઉપશમ શ્રેણી માંડી આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન પ્રાપ્ત કર્યું. મોહનીય કર્મની સર્વ પ્રકૃતિઓને ઉપશમાવીને ઉપશાંત મોહ નામનું અગીયારમું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું. કેવલી સમાન ચારિત્રવાળા, નિષ્કષાય મનવાળા, શુદ્ધ, સમુદ્ર સમાન શાંત થયેલ એવા તે ઇન્દ્ર અને ચક્રવર્તીઓને સ્તવના કરવા યોગ્ય થયા. (૧૦૮) એટલામાં ઘણાં કર્મો ખપાવીને સર્વથા મનુષ્ય આયુષ્ય ક્ષીણ થયું ત્યારે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં દેવ થયો. ત્યાંથી પણ ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. આ ભવમાં પણ આટલીં ગુણ સામગ્રીને પ્રાપ્ત થયેલો પણ છદ્મસ્થ સંયમથી ઉત્તમ દેવપણાને જ પ્રાપ્ત કર્યું. કેમકે સર્વ કેવલીસંયમવાળા જીવો જ સિદ્ધ થાય છે. ગુણસાગર રાજર્ષિને કાળધર્મ પામેલા જાણીને તેના ચરિત્રથી ખુશ થયેલ ક્રૂર પણ દેવ ઉપશાંત થયો અને સમ્યક્ત્વને પામ્યો. ગંધોદક અને કુસુમવૃષ્ટિ આદિથી તેના શરીરનો સત્કાર કરીને સ્વસ્થાનમાં ગયો. (૧૧૩) હવે દેશવિરતિ ચારિત્રની આરાધનાથી દેવપણાની પ્રાપ્તિમાં ધનંજય શ્રેષ્ઠીનું કથાનક કહેવાય છેધનંજય શ્રેષ્ઠીનું કથાનક આ ભરતક્ષેત્રમાં કુણાલા નામે શ્રેષ્ઠ નગરી છે જેમાં દેવયુગલથી પુરુષ યુગલનો ભેદ આંખના પલકારાથી જણાય છે. (અર્થાત્ દેવોને આંખના પલકારા હોતા નથી જ્યારે મનુષ્યને આંખના પલકારા હોય છે બાકી બધી રીતે સમાન છે કહેવાનો ભાવ એ છે કે મનુષ્યો દેવો જેવા સ્વરૂપવાન છે.) ધનદ નામનો શ્રેષ્ઠી તેમાં વસે છે. તેને ચાર પુત્રો છે અને તેમાં વિનયાદિગુણોથી ભરેલો ધનંજય નામનો સૌથી નાનોપુત્ર છે અને તે સમયે કલાઓને ભણતો અધ્યાપકનો એવો વિનય કરે છે કે તે ધનંજયને પોતાના પુત્રની જેમ રાખે છે. (૩) અને તેને યોગિની, શાકિની-ભૂત આદિને નિગ્રહ કરનારી અનેક પ્રકારની વિદ્યાઓ આપે છે. હવે કોઈ વખત નગરમાં ભમતો ધનંજય કોઈક રીતે દ્યુતશાળામાં (જુગાર રમવાના સ્થાને) આવ્યો. કુતૂહલથી જેટલામાં જુગાર જોવાને ઊભો રહ્યો તેટલામાં તે જુગારીઓ વડે જોવાયો અને શ્રેષ્ઠી પુત્ર છે એમ તેઓએ જાણ્યું અને કહ્યું કે હે ભદ્ર ! આ જુગારી તારી વતી ૨મે છે. મુંગો રહીને ક્ષણ પછી જેટલામાં ધનંજય ચાલ્યો તેટલામાં બધા જુગારીઓ એકી સાથે બોલ્યા કે અહીંયા તું પાંચશો દ્રમને હારે છે માટે તે જુગા૨ીને પાંચશો દ્રમની બદલીમાં ઘરેણું આપ. એમ કહીને હાથમાંથી વીંટીઓ ઊતારી લીધી. પછી તે ઘરે ગયો અને પિતાએ તેના વ્યતિકરને જાણી ગાઢ નિર્ભર્ત્યના કરી અને વસ્ત્રોને લઈને ઓરડામાં પૂર્યો. પછી વસ્ત્રથી રહિત
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy