________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૧૯૯
હવે કોઈક વખત નગરના ઉદ્યાનમાં કેવલી ભગવંત પધાર્યા. તેના વંદનમાટે નગરજનો સાથે રાજા જાય છે. ગુણસાગર કુમાર, પુત્રો, રાજાનું અંત:પુર અને રત્નાવતી પણ મુનિને વંદન માટે જાય છે પછી કેવલીએ રાજપર્ષદા ને ધર્મ કહ્યો. રાજાએ પણ મુનિને ગુણસાગરનું ચરિત્ર પુછ્યું. મુનિએ પણ પૂર્વભવથી યુક્ત એવું તેનું સર્વ ચરિત્ર કહ્યું. તે સાંભળીને રાજા ધરણેન્દ્રએ કહેલા સમગ્ર વચનોની શ્રદ્ધા કરે છે અને પરમ સંવેગને પામ્યો. ગુણસાગર કુમારને રાજ્યપર સ્થાપીને મોટી વિભૂતિથી પોતાના પુત્રો સ્ત્રીઓ તથા કેટલાક સામંતમંત્રીથી પરિવરેલો કેવળીપાસે દીક્ષા લે છે અને ક્રમથી સર્વ કર્મોનો નાશ કરી સિદ્ધિગતિમાં જાય છે. ગુણસાગર પણ સકળ પૃથ્વીપર વિખ્યાત રાજા થયો. વિક્રમ અને પ્રભાવથી આક્રાંત કરાયા છે સકલ પૃથ્વીમંડળના રાજાઓ જેનાવડે એવો ગુણસાગર રાજા કેવલીની પાસે સમ્મસ્વમૂળ શ્રાવક ધર્મને સ્વીકારીને સારી રીતે પાલન કરે છે અને તીર્થની પ્રભાવના કરે છે. (૭૭)
અને આ બાજ કસમસ્થળ નગરમાં અભિચંદ્ર રાજા પણ ધરણેન્દ્ર અને કેવલીવડે કહેવાયેલા પોતાના પુત્ર ગુણસાગરના અપહરણ આદિ સર્વ પણ વ્યતિકરને જાણે છે અને પોતાનું રાજ્ય પુત્રને જ આપીને દીક્ષા ગ્રહણ કરે છે. પછી વધતો છે પ્રતાપ-બુદ્ધિ અને નીતિનો વિભવ જેનો એવો ધીરાત્મા ગુણસાગર રાજા લાંબો સમય સુધી બંને પણ રાજ્યોનું પાલન કરે છે. (૮૦).
હવે કોઈક વખતે ઘરમાં રહેલા ગુણસાગરે ક્યાંક કોઈક વડે વમન કરાયેલ ભોજનનું પાન કરતા પરિતુષ્ટ મનવાળા કૂતરાને જોયો. પછી તેણે મનથી વિચાર્યું કે જેવા પ્રકારનો આ કૂતરો છે તેવા જ પ્રકારનો ખરેખર હું પણ છું કારણ કે ધીરપુરુષો વડે વમન કરાયેલા રાજ્યોને ભોગવું છું છતાં તે આશ્ચર્ય છે કે જે કૂતરા જેવા ચરિત્રવાળા મને પણ લોકો પુરુષ કહે છે અથવા અજ્ઞાની, લોભના સંગવાળો આ લોક શું ન કહે ? પણ તે વિજય અને અભિચંદ્ર જ ધીર મનવાળા પુરુષો છે જેઓવડે વિવેક રૂપી મધના સારવાળી ગુટિકાઓથી ઉર્ધ્વકરીને (ઉલટી કરીને) જે વિષ રૂપી અન્ન વમન કરાયું છે તે મારાવડે અવિવેકથી લાંબો સમય ભોગવાયું છે એમ જાણીને હમણાં પણ હું તે ધીર પુરુષોના માર્ગનો સ્વીકાર કરીશ નહીંતર નિરર્થક જ મહાઘોર સંસારમાં ભમીશ. (૮૬) ઇત્યાદિ વિચારીને જયંતસેન અને સુરસેન નામના પોતાના પુત્રોને બંને પણ વિપુલ • રાજ્યો આપીને ગુણસાગર રાજા પોતાના કેવળી પિતાગુરુની પાસે વિસ્તારથી મંત્રી પુત્રોની સહિત જિનદીક્ષાને ગ્રહણ કરે છે. કેટલાક કાળે ગીતાર્થ થઈ, ઘણાં સૂત્રનો અભ્યાસ કરીને, પોતાના ગુરુથી અનુજ્ઞા અપાયેલ એકલ-વિહારથી વિચરે છે. એ પ્રમાણે એકાકી વિહારથી ક્યારેક કોઈક નગરની બહાર, રાત્રીમાં વીરાસનથી સ્મશાન ભૂમિમાં રહે છે અને શાસ્ત્રના પરમ અક્ષરનું ધ્યાન કરતા પર્વતના શિખરની જેમ નિશ્ચલ રહેલા રાજર્ષિ વૈરી એવા તે સુધર્મ દેવવડે જોવાયો. પછી વૈરને યાદ કરતો મહાદુષ્ટ ત્યાં પણ આવ્યો. અને તે અનાર્યે ' ધૂળના વરસાદથી મુનિને ઢાંકીને સ્થળ બરાબર કર્યો. દ્રવ્યથી અને ભાવથી પણ ચલાયમાન નહીં થયેલ તેને ધીર જાણીને તેણે મુશલ (સાંબેલા) પ્રમાણ જાડી પાણીની ધારાથી વરસવાને શરૂઆત કરી. (૯૩) તે પાણીથી અંદર આત્મામાં લાગેલી કર્મરૂપી રજ અને બહાર શરીરે લાગેલી સમગ્ર પણ રજ દૂર થઈ. પછી તે ધીરનું મન અને શરીર નિર્મળ થયા. પછી દેવે વરસાદ વરસાવ્ય છતે પાણીનો સમૂહ ઘણો વધ્યો ત્યારે ત્યાં કંઠ સુધી ડૂબેલા તે સાધુના ઓષ્ઠ કમળદળ રૂપે શોભે છે, આંખ પર રહેલ સીમુવ = પાંપણનો સમૂહ પદ્મhસરા રૂપે શોભે છે અને પ્રશમશ્રીએ કર્યો છે આવાસ જેમાં એવા દેહરૂપીનાળ પર રહેલું મુખ કમળની જેમ શોભે છે. (૯૦) પછી તે અનંત પ્રભાવવાળા સાધુપુંગવને ડૂબાડવાને ઇચ્છતો પણ દેવ જેટલામાં ડૂબાડી શકતો નથી તેટલામાં ગુસ્સે થયેલ હાથી-સિંહ-સાપ-વિછી આદિના રૂપોથી તેવી રીતે કદર્થના કરે છે તો પણ