SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ તેઓને આપી. રાજા, દેવી, કુમારો, ચંદ્રસેન આદિની સાથે વીરપુરમાં ગયા અને રાજા વર્ધાપન કરાવે છે. કેટલાક દિવસો પછી સિંહને રાજ્યપર સ્થાપીને તથા સિંધુરને યુવરાજ પદ પર સ્થાપીને રાજાએ દીક્ષા લીધી. સિંહ પણ પ્રતાપ અને પરાક્રમોથી ઘણી પૃથ્વીને સાધીને વિપ્લવને શાંત કરીને રાજ્યનું પાલન કરે છે અને સુખોને ભોગવે છે. (૫૮) હવે કોઈક વખત પ્રાસાદના ટોંચ ઉપર રહેલો રાજા રથાદિમાં તથા ઘણાં યાન અને વાહનમાં આરૂઢ થયેલ, શણગારથી સજ્જ થયેલ પૂજાનો સામાન હાથમાં લઈને નગરમાંથી નીકળતા ઘણાં નગરજનને જુવે છે અને નજીકમાં રહેલ કોઈક માણસને પૂછે છે કે લોક ક્યાં જાય છે ? (૬૦) તે પુરુષ કહે છે કે હે દેવ ! બહાર ઉદ્યાનમાં યોગીશ્વર નામના કેવલી પધાર્યા છે. લોક તેમની પાસે જાય છે. પછી સર્વ ઋદ્ધિથી રાજા પણ તેમને વાંદવા માટે તથા સંશયના વિચ્છેદ માટે ભાઈની સાથે જાય છે. પછી વિનયથી ધર્મને સાંભળીને યોગ્ય સમયે પૂછે છે કે હે ભગવન્! પશુઓ જેમ જંગલમાં જન્મે છે તેમ અમે પણ જંગલમાં જન્મ્યા છીએ છતાં પણ આવી રિદ્ધિસમુદાયને શાથી પ્રાપ્ત કરી ? પછી કેવળી કહે છે કે હે રાજન ! સાંભળો, ધાતકીખંડના ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં ધનવાનના ધરણીધર અને સુનંદ નામના બે પુત્રો હતા. તે બંને પણ પરસ્પર પ્રીતિથી બંધાયેલ છે. પ્રકૃતિથી ભદ્રક જિનેશ્વરાદિ સર્વ દેવોના ભક્ત છે. તેઓ તે સર્વદેવોની તથા તેમના ધર્મની પ્રશંસા કરે છે. કુળવૃદ્ધોની, માતાપિતાની, પાખંડીઓની અને સર્વની સાથે પણ વિનયથી જે વર્તે છે. સર્વજીવોને વિશે દયાવાળા છે, મત્સરથી રહિત એવા તેઓને સ્વાભાવિક પણ કોઈની સાથે વૈર નથી. દીનોને, દુ:ખીઓને અને પાખંડીઓને અવિશેષથી (સમાનતાથી) અનુકંપાથી દાન આપે છે તથા સાધુઓને તથા અન્ય વ્રતધારીઓને વિનયથી યુક્ત પ્રણામ કરે છે એમ ઘણો કાળ પસાર થયે છતે કોઈક વખત નગરના ઉદ્યાનમાં પરમ ધ્યાનાર્થે કોઈ મુનિ કાઉસ્સગ્નમાં રહે છે. પછી તે મુનિ શિકારીઓના દૃષ્ટિપથમાં આવ્યા. શસ્ત્રોને ઊગામીને સર્વે પાપીઓ તે મુનિની તરફ દોડ્યા. હવે એટલામાં ધરણીધર અને સુનંદ કોઈક કારણથી ત્યાં આવ્યા. પછી કહે છે કે અરે ! હે મહાભાગો ! આ અકાર્યને ન કરો. આ સાધુએ તમારો શો અપરાધ કર્યો છે? જેથી તમે સર્વ જીવોના હિતમાં નિરત, અપાપી એવા આ મુનિને હણવા ઇચ્છો છો ? (૭૩) અથવા શું આને હણવાથી તમારું ઇચ્છિત સ્વકાર્ય સિદ્ધ થશે ? તેથી આ લોક અને પરલોક વિરુદ્ધ આ કાર્ય તમે ન આચરો અથવા અમે જીવતા છતાં તમે આ સાધુને હણી શકશો નહીં. વૃદ્ધ-બાલ-મુનિ-દીન અને યુવતિનો વધ જોવા કોણ સમર્થ થાય ? એ પ્રમાણે બોલતા ધરણીધર અને સુનંદ શિકારીઓ વડે બાણ છોડીને પૃથ્વી પર પડાયા. પછી ભય પામેલા શિકારીઓ નાશી ગયા તેથી સાધુ બચી ગયા. (૭૬) પછી ધરણીધર અને સુનંદ વિચારે છે કે અહો ! જુઓ અસાર એવા પોતાના જીવથી આ ઉત્તમ પ્રકારનું કાર્ય થયું. સ્વ-પર ઉપકારી એવા મુનિના પ્રાણની રક્ષા કરાઈ. કાલે પણ મરવાનું છે કારણ કે આપણે અજરામર નથી તેથી આવા કાર્યમાં આજે અમારે મરવાનું થયું. તેમાં શું અનુચિત થયું ? અલ્પ નુકશાનમાં વિશેષ લાભ થયો. એ પ્રમાણે શુભ ભાવને પ્રાપ્ત થયેલા મરીને તમે અહીં બંને ઉત્પન્ન થયા છો અને તે ભદ્રકભાવથી તેમજ સાધુ રક્ષાના ધર્મથી અહીં રાજ્યાદિ સમૃદ્ધિ અને સુખો પ્રાપ્ત થયા છે. તથા આ જન્મમાં તમે શ્રેષ્ઠ અજરામર પદ પ્રાપ્ત કરશો. એ પ્રમાણે સાંભળીને ભાઈ અને માતાની સાથે તે કેવળીની પાસે દીક્ષા લઈને રાજા મોલમાં ગયો. (૮૨). मनुष्येभ्यश्च समृद्ध्यायुष्कादिभिर्देवा: प्राधान्यभाज इति मनुष्यगतरुपरि देवगतिं बिभणिषुरिदमाह - મનુષ્ય કરતાં દેવો સમૃદ્ધિ આયુષ્ય વગેરેથી પ્રાધાન્યને ભોગવનારા હોય છે એટલે મનુષ્યગતિના વર્ણન પછી દેવગતિનું વર્ણન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આને કહે છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy