________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૮૭
વિચાર્યું કે શું આ ચંદ્ર-સૂર્ય હશે ? અથવા ઇન્દ્ર-દેવ કે ખેચર હશે ? જે હોય તે આ લોકો ખરેખર અમારી આપત્તિના નિવારણનું કારણ જ થશે એમ વિચારીને ઘણાં વણિકોની સાથે વસ્ત્ર-રત્નાદિ કિંમતી ભેટશું લઈને સાર્થવાહ તેઓની પાસે ઉપસ્થિત થયો અને પોકારે છે કે દુજ્ય નામના ભિલ્લથી રુંધાયેલા એવા અમારું રક્ષણ કરો. ભિલ્લ કહે છે કે સમગ્ર કરિયાણાનો અડધો ભાગ અમને આપો નહીંતર લૂંટીને બધું જ અમે ગ્રહણ કરશું. પછી કુમાર સાર્થવાહને કહે છે કે અશ્વ વગેરેને સજ્જ કરીને જા. (૩૦) અમે ભિલ્લને જોઈ લઈશું. સાર્થવાહે તેમ કર્યો છતે સૈન્યથી યુક્ત ભિલ્લ વિષમ પર્વતના શિખર ઉપરથી ઊતરીને દોડ્યો. કુમારોએ તેને પડકાર્યો. ભિલ્લ કહે છે કે હે બાળકો ! તમે અવશ્ય મરશો. અનેક રાષ્ટ્રોને લૂંટી લીધેલ મારા બળને તમે જાણતા નથી. પછી કુમારોએ ભિલ્લને કહ્યું કે તારા પોતાના દુર્નયથી કરાયેલા મરણથી આજે સર્વ રાષ્ટ્ર સુસ્વસ્થ થાઓ. પછી ભિલ્લો ગુસ્સે થઈને બાણોથી એકી સાથે પ્રહાર કરવાને પ્રવૃત્ત થયા. હાથી ઉપર બેસીને ભમતા કુમારો બાણોથી સ્પર્શ કરાતા નથી. પછી હાથીઓએ ભિલ્લના સર્વ સૈન્યને ક્ષણથી ભગાડ્યું અને અભિમાનથી પાછો નહીં હટતો ભિલ્લપતિ હણાયો. (૩૫) પછી તેઓએ ધણી વિનાની વિવિધ રિદ્ધિથી યુક્ત પલ્લિને કબજે કરી. તેઓ પલ્લીના રાજા થયા અને તેઓની ખ્યાતિ દૂર સુધી ફેલાઈ અને ત્યાં માતા અને ચંદ્રસેનની સાથે રાજ્ય ચલાવે છે અને વજસિંહ રાજાએ ક્યારેક તેઓની પ્રસિદ્ધિને સાંભળી તથા તેઓની પાસે શ્વેત ચારદાંતવાળો હાથી છે એમ સાંભળ્યું. પછી તે હાથીઓને માગવા માટે દૂતને કુમાર પાસે મોકલે છે અને જઈને દૂત કહે છે કે દેવ હાથીઓને માગે છે તો તમે તેને સુપ્રત કરો. કુમારો પણ કહે છે કે રાજાએ અમને સંભાળ રાખવા આ હાથીઓ નથી આપ્યા. (૩૯) પછી દૂતે કહ્યું કે હે બાળકો ! દડાની ક્રીડાને ઉચિત એવા તમારે આ ભયને ઉત્પન્ન કરનારા એવા હાથીઓથી શું પ્રયોજન છે ? પછી કુમારોએ કહ્યું કે વૃદ્ધોને વનવાસને છોડીને બીજું કંઈ ઉચિત નથી તો રાજા સ્વયં જ વનવાસને સ્વીકારી લે તો સારું છે નહીંતર અમે બળાત્કારથી આવા પ્રકારની મતિવાળા રાજાને વનનો અતિથિ કરશું. એ પ્રમાણે કહીને તિરસ્કાર કરીને દૂત બહાર કઢાયો અને તે દૂત રાજાની પાસે જઈને વિશેષથી કુમારોના વચનોને કહે છે. (૪૩) પછી તેઓ ઉપર ગુસ્સે થયેલો રાજા સમગ્ર સૈન્ય લઈને આવ્યો. કુમારોની પાસે એક સૈનિકને મોકલે છે અને આ (સૈનિક) પણ જઈને કહે છે કે સિંહની જેમ શ્રી વજસિંહ રાજા જય પામે છે જેના શબ્દથી વિચલિત મદવાળા શત્રુરૂપી હાથીનો સમૂહ પરવશ થઈ નાશી જાય છે. ગંધહસ્તિઓ પણ મુકાયેલી છે જીવિતાશા એવા તેની ગંધને સહન કરતા નથી તે સિંહની ગણના શિયાળોની સાથે કેવી રીતે થાય ? અથવા ભાગ્ય પરાગમુખ થયે છતે કોની બુદ્ધિ વિચલિત નથી થતી ? શું પતંગીયા સ્વયંપણ અગ્નિની જ્વાળાઓના સમૂહમાં નથી પડતા ? એ પ્રમાણે બોલતા ભટ્ટને રુક્મિણીએ સાંભળ્યો અને કોઈક રીતે ઓળખ્યો અને તેનું મોટું સન્માન કર્યું અને પુત્રોને વિરોધનું કારણ પૂછ્યું. પુત્રોએ વિરોધનું કારણ જણાવ્યું. પછી રુક્મિણીએ કહ્યું કે હે વત્સ ! આ તમારા પિતા છે. (૪૯) પછી પુત્રો પૂછે છે કે કેવી રીતે પિતા થાય ? પછી તે પણ ખાતરીપૂર્વક સર્વ હકીકત કહે છે. પછી કુમારોએ કહ્યું કે તો પણ અમે તેમની સાથે યુદ્ધને ટાળશું નહીં કેમકે લોક પણ “અમે કાયર છીએ, નાટક કરીને રહ્યા છીએ એવા અપવાદને બોલશે” પછી તે (રૂક્મિણી) રાજાની છાવણીમાં જાય છે. રાજાએ તેને ઓળખીને ગદ્ગદ્રસ્વરે પુછ્યું. રાણી પણ અનુભવેલ સર્વ વ્યતિકર રાજાને કહે છે. હર્ષથી પરવશ હૃદયવાળો કેટલાક સૈન્યથી યુક્ત રાજા ઉત્કંઠાથી કુમારની પાસે ચાલ્યો. હવે રુક્મિણી પુત્રોની પાસે જઈને કહે છે. તેઓ પણ રાજાની સામે આવે છે. દળ-દળ વહેતા આનંદના આંસુસાથે રાજા તેઓને આલિંગન કરે છે. પછી 'કુમારોએ સર્વ પણ રિદ્ધિ પિતાને અર્પણ કરી. પિતાએ પણ ખુશ થઈને આ રિદ્ધિ ઉપરાંત બીજી રિદ્ધિ પણ