________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૯
ગાથાર્થ : તે જ કારણથી પ્રકૃતિ ભદ્રક, વિનયમાં તત્પર, વિગત મત્સર, સદાય જીવ સુનંદ રાજાની જેમ મનુષ્ય આયુષ્યને બાંધે છે.
गतार्थव । धरणिधरसुनन्दाख्यानकं तूच्यते - ધરણીધર અને સુનંદનું કથાનક કહેવાય છે
ધરણીધર સુનંદનું કથાનક ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ, લક્ષ્મીનું કુલભવન વીરપુર નામનું નગર છે જે ભરત ક્ષેત્રમાં જ નર કલભો લોકો વડે સંભળાય છે. સિંહની જેમ જીતી લીધા છે દુશ્મન રૂપી કલમોને જેણે એવો વજસિંહ રાજા તેનું પાલન કરે છે અને તેને શ્રેષ્ઠ ગુણથી યુક્ત રુક્મિણી નામની ભાર્યા છે. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે કોઈકવાર તેને આ દોહલો થયો કે હું સામંતોના લોહીથી સ્નાન કરીશ. આ દોહલો દુર્ઘટ છે એમ જાણીને કહેતી નથી. હવે કોઈક વખત આગ્રહથી પછાયેલી રાણીએ રાજાને દોહલો જણાવ્યો. ક્ષોભ પામેલા રાજાએ મંત્રીને જણાવ્યું. મંત્રીએ રાજાના મહેલના ઝરુખામાં પેટ પર અળતાના રસથી ભરેલા નાના પાત્રો બાંધીને સામંતોને રાખ્યા અને ભૂમિ પર રહેલી દેવીના મસ્તક પર અળતાના પાત્રમાં રહેલી સિરાઓ (નશો એટલે કે નળીઓ) છોડીને સ્નાન કરાવ્યું. પછી ભારંડપક્ષીએ રાણીને જોઈ અને માંસની બુદ્ધિથી ઊંચકીને લઈ ગયો. પછી હલનચલન થવાથી સચેતન છે એમ જાણીને મહારણ્યમાં છોડી દીધી. શરીરથી ધ્રુજતી એટલામાં ત્યાં જંગલમાં રહેલી છે તેટલામાં ક્યાંયથી પણ મહાવૃક્ષની ડાળી પરથી ક્ષણમાં ઊતરીને સન્મુખ આવતા એક મનુષ્યને જોયો. પછી શીલભંગની શંકા કરતી ઘણી ભયને પામી. આગંતુક પુરુષે આશ્વાસન આપીને કહ્યું કે હે ભદ્ર ! તું મારાથી : ભય ન પામ. (૧૦) કાંપીલ્યપુર નગરમાં ભરત નામના તારા પિતાને મલયકેતુ નામનો સુપ્રસિદ્ધ સામંત છે, મલયકેતુને પણ ચંદ્રસેન નામનો પુત્ર છે જે કળાઓમાં ઘણો નિપુણ છે. સર્વે રાજપુત્રી તેની પાસે કળાને ગ્રહણ કરે છે. હે રુકમણિ ! તેં પણ બાળપણમાં તેની પાસે અભ્યાસ કર્યો છે. પૂર્વભવના કોઈ વૈરી દેવે પત્ની સહિત અપહરણ કરીને તેને આ મહા-અરણ્યમાં મુક્યો છે. જંગલી પશુઓના ભયથી આ મહાવૃક્ષની ડાળીઓ પર ઘર બાંધીને રહે છે. વૃક્ષોના ફળો અને ઝરણાંના પાણીથી પોતાની આજીવિકા કરે છે. વિસ્મિત મનવાળા તેણે પણ અહીં તને જોઈ. વૃક્ષપરથી ઊતરીને તારી પાસે જે આવ્યો છે તે હું પોતે ચંદ્રસેન છું. તેથી તું ભય પામ નહીં અને પોતાના આગમનના વૃત્તાંતને કહે. (૧૯) પછી સ્વસ્થ થયેલી રાણીએ તેને ઓળખીને પોતાનો વૃત્તાંત કહ્યો. ચંદ્રસેન તેને પોતાને ઘરે લઈ ગયો. પછી રુક્મિણી રાણી તેને પિતા તરીકે સ્વીકારીને તથા તેની સ્ત્રીને માતા તરીકે સ્વીકારીને ત્યાં રહે છે. ગર્ભ સુખપૂર્વક વધે છે. યોગ્ય કાળે શ્રેષ્ઠ-રૂપ-લક્ષણ અને ગુણથી યુક્ત બે જોડીયા પુત્રને જન્મ આપે છે. યોગ્ય સમયે મોટાનું નામ સિંહ અને નાનાનું નામ સિંધુર રાખે છે. પછી મન અને આંખને આનંદ આપતા મોટા થાય છે. કુમારાવસ્થાન પામેલા ચંદ્રસેન પાસે કળાઓને શીખે છે અને નિર્ભય એવા તે બંને તે અરણ્યમાં ભમે છે. હાથીઓની સાથે રમે છે. વાઘ-સિંહાદિને પણ ત્રાસ પમાડે છે, ચિત્તા વગેરેને હણે છે પણ કોઈથી અલના પામતા નથી. ૨૨).
હવે પૂર્વભવમાં આભિયોગિક નામ કર્મ બાંધેલ શ્વેત ચાર દાંતવાળા હાથીનું યુગલ યૌવનને પામેલા એવા આઓની દૃષ્ટિમાં પડે છે. સ્વયં પણ હાથી યુગલ પીઠ ધરે છે તે પીઠ ઉપર ઉત્તમકુમારો આરૂઢ થાય છે. ઉદયાચલ પર્વત પર આરૂઢ થયેલા સૂર્ય-ચંદ્રની જેમ શોભે છે. હવે કોઈ વાર તે હાથી યુગલ પર આરૂઢ થયેલા ભમતા તે અરણ્યમાં ભયભીત થયેલ એક સાર્થને જુવે છે. સાર્થના લોકોએ તેઓને પણ જોયા અને હૃદયમાં