________________
૧૮૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
અને વૃદ્ધાવસ્થામાં પુત્ર-પુત્રીઓ-સ્ત્રીઓ, પુત્રવધૂઓ જિનદત્તશ્રાવકની જેમ અતિદુસહ પરાભવને કરે છે. (૩૧૩)
तिस्रोऽपि सुगमाः । नवरं वृद्धत्वे एतत् प्राक्तनगाथाद्वयेऽपि सम्बध्यते ।। जिनदत्ताख्यानकमभिधीयते -
ટીકાર્ય : આ ત્રણેય ગાથાઓ સુગમ છે, પરંતુ વૃદ્ધત્વમાં પૂર્વની બે ગાથાઓની સાથે સંબંધ કરાય છે (અર્થાત્ પૂર્વની બે ગાથા સાથે આનો સંબંધ કરવો.)
જિનદત્ત કથાનક શ્રાવસ્તી નામે નગરી છે જેમાં હંમેશા ઉન્મત્ત હાથીઓના સમૂહવડે જેમ ટ્રાફિંમદ વગેરે આશ્રય કરાય છે તેમ યાચકોના મુખોવડે પણ રાણાડું દાનાદિ આશ્રય કરાય છે અર્થાત્ તે નગરીમાં યાચકો દાનાદિની પ્રશંસા કરે છે. તે નગરીમાં ઋદ્ધિ સંપન્ન જિનદત્ત નામનો શ્રેષ્ઠી વસે છે. જે શ્રાવક હોવા છતાં પણ હંમેશાં આપત્તિથી રહિત કાળને પસાર કરે છે. તેને ઘણી માનતાઓથી ચાર પુત્રો ઉત્પન્ન થયા, થોડા દિવસોમાં કળાઓ ભણીને ક્રમથી પરણ્યા. યૌવનને પ્રાપ્ત થયેલા ગૃહકાર્યને સંભાળે છે અને સકળ વ્યવહાર ચલાવે છે વધારે શું? પોતાનો પિતા સર્વ વ્યાપારોથી નિશ્ચિત કરાયો. તે નગરમાં જિનદત્તનો વિમલ નામે મિત્ર છે તેણે જિનદત્તને એકાંતમાં કહ્યું કે વૃદ્ધાવસ્થામાં તારા સર્વપુત્રો અલગ થઈને રહેશે તેથી તારા સર્વ પણ ધનની વાત તેઓને ન કરવી નહીંતર પછી તું વૃદ્ધાવસ્થામાં શોક કરીશ. જિનદત્ત કહે છે કે મારા પુત્રો આવું ક્યારેય પણ નહીં કરે. પછી વિમલ પણ તેને કહે છે કે હું વધારે શું કહું? તું સ્વયં જ અનુભવ કરશે. પછી મિત્રની સલાહને અવગણીને જિનદત્તે પોતાનો સર્વ પણ વિભવ પુત્રોની પાસે પ્રકટ કર્યો. તે પુત્રોએ સર્વ વાત પોતાની સ્ત્રીઓને કરી. પુત્રવધૂઓ ભોજન શયનાદિથી સસરાનો ઘણો વિનય કરે છે. (૯) પછી અતિવૃદ્ધાવસ્થામાં જેટલામાં ખાંસી ખાતો રહે છે તેટલામાં પુત્રવધૂઓ પુત્રોના જન્મ થવાથી પ્રૌઢતાને પામી. સર્વ પુત્રવધૂઓ સસરાના વિનયમાં પ્રતિદિન શિથિલ બને છે. સીદાતો જિનદત્ત પોતાનું દુઃખ પુત્રોને કહે છે. પછી જેટલામાં પુત્રવધૂઓ પુત્રોવડે તર્જના કરાય છે તેટલામાં કલકલ કરતી પુત્રવધૂઓ ભેગી થઈને ઠપકો આપતી વઢે છે કે આ ડોસો (જિનદત્ત) અતિવૃદ્ધ થયો હોવાથી અમારી કરેલી સેવાનું પાણી ઢોળ કરે છે. અમારી કરેલી સર્વ પણ સેવાને વિપરીત ગણે છે. ખામી વિના વિનયને કરતી એવી અમને આ પ્રમાણે આળ આપે છે. પછી પુત્રોએ પરસ્પર વિચારણા કરીને તેની તપાસ માટે એક ગુપ્ત પુરુષને રાખ્યો. પછી ધૂર્ત પુત્રવધૂઓએ તે ગુપ્ત પુરુષ અમારા વિનયને જાણવા રખાયો છે એમ જાણ્યું. તે ગુપ્ત પુરુષ પુત્રવધૂઓના દુષ્ટભાવને જાણી ન જાય એટલે પુત્રવધૂઓ ફરી પણ સસરાનો પૂર્વની જેમ વિનય કરે છે અને તે ગુપ્ત પુરુષનો પણ ભોજન તંબોલાદિથી વિનય કરે છે. પછી તે ગુપ્તપુરુષ શ્રેષ્ઠીપુત્રોને વિશેષથી કહે છે કે આ વરાકીઓ (પુત્રવધૂઓ) સસરાનો કંઈપણ ન્યૂન વિનય કરતી નથી (અર્થાત્ વિશેષથી વિનય કરે છે.) (૧૯) તે પુરુષના વચનથી ભાવિત થયેલા પુત્રોએ પિતાને પુછ્યું કે હવે તો પુત્રવધૂઓ તમારી બરાબર સેવા કરે છે ને ? પૂર્વે ઉદ્વેગ પામેલો હોવાથી પિતાએ કહ્યું કે મારી કંઈપણ સેવા કરતી નથી. આ પુત્રવધૂઓ માયાવી તથા દુર્વિનીત છે તેઓથી મારો કેવી રીતે નિભાવ થાય ? પછી પુત્રોએ વિચાર્યું કે સ્ત્રીઓએ જે પ્રમાણે કહ્યું હતું તે તેમજ છે કારણ કે આ વિકલ (૯ષવાળા) પિતા વિપરીત જ ગ્રહણ કરે છે પછી પુત્રો પણ પિતાની ઉપેક્ષા કરનારા થયા. (૧૯)