________________
૧૭૮
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ કરે. અને પોતામાં સત્ત્વ (બળ અને બુદ્ધિ) હોય તો સાહસ પણ કરે. (૨૦) એ પ્રમાણે સાંભળીને મારે સાહસ ઉચિત છે એમ નિશ્ચય કરીને ભમતો બ્રાહ્મણ વ્યાપાર વિનાના અને દાન-ભોગથી સહિત એક યોગીને જુવે છે પરમવિનય કાર્યથી તેની આરાધના કરે છે અને લાંબા કાળ પછી તે યોગી પ્રસન્ન થયો અને તે બ્રાહ્મણને કહે છે કે હે વિપ્ર ! તું મારી સેવા શા માટે કરે છે ? પછી બ્રાહ્મણ કહે છે કે હું જન્મથી માંડીને દરિદ્રી છું, દુ:ખીઓ એવો હું તારી સેવા કરું છું. પછી યોગી તેને કોઈક દુર્ગમ પર્વત પર લઈ ગયો અને ત્યાં બખોલા બતાવીને તેના હાથમાં એક કલ્પ (તુંબ) આપ્યું અને કહ્યું કે તને અહીં અમુક અમુક ઉપસર્ગો થશે, તારે તેનાથી ડરવું નહીં અને તે સ્થાન પર પહોંચેલો શમીવૃક્ષના પાંદડામાંથી બનાવેલ ખેલણથી* રસને લઈને આ તુંબડીને ભરજે અને તે રસના પ્રભાવથી આ લોહાદિ ધાતુઓ સુવર્ણ થશે એટલે તું દારિક્ય રૂપી વૃક્ષને મૂળમાંથી છેદીને મહાઋદ્ધિવાળો થશે. એ પ્રમાણે શિખામણ લઈને મોટા સાહસનું આલંબન લઈ તે બ્રાહ્મણે કહેલી વિધિથી રસને લઈને બિલમાંથી નીકળતો જોગી વડે કહેવાયો અરે ! મહાપ્રયત્નથી આની રક્ષા કરજે આ રસ અતિદુર્લભ છે અને દારિદ્રયના દુ:ખોનું નિર્મથન કરનાર છે. (૨૯) બ્રાહ્મણે આ વાતનો સ્વીકાર કર્યો તો પણ ફરીથી તેને શિખામણ આપવામાં આવી, ફરી પણ તેણે શિખામણનો સ્વીકાર કર્યો, ફરી પણ અર્ધીક્ષણ પછી તેને એજ શિખામણ આપવામાં આવી એમ જોગી તેને વારંવાર શિખામણ આપે છે ત્યારે બ્રાહ્મણના પાપના ઉદયથી તેના મનમાં કોપ ઉત્પન્ન થયો. સાગના પાંદડાના બનાવેલ દળીયામાં રહેલા સમગ્ર રસને ઊંધોવાળી ઢોળી નાખ્યો. પછી આ અયોગ્ય છે એમ જાણીને યોગીએ તેનો ત્યાગ કર્યો. પછી એક ગામથી બીજે ગામ ભમતો ક્યાંય પણ ભિક્ષાને નહીં મેળવતો દારિદ્રયથી દુ:ખી થયેલો દીનમનવાળો ઘરે આવ્યો. ભાર્યાવડે પુછાયેલા એવા તેણે સર્વવ્યતિકર કહ્યો. પછી સ્ત્રીએ કહ્યું કે હે અભાગીયા ! તેં આવું વર્તન કેમ કર્યું ? (૩૪) જો તારા જ હિત માટે યોગીએ તને શિખામણ આપી તો પછી તે પાપીષ્ઠ ! અજ્ઞાની ! કુતબી! તું કોપને કેમ પામ્યો ? પરંતુ તારા હાડકામાં પણ કોઈ લક્ષણ દેખાતા નથી જેથી ક્યારેક પણ આ દારિદ્રયના સેંકડો દુ:ખોથી ક્ષણ પણ મુકાય (મુકાશે) એ પ્રમાણે સ્ત્રી વડે ઘણાં દુઃસહ વચનોથી નિર્ભર્સના કરીને ઘરમાંથી બહાર કરાયેલો તે દીન ઘરમાંથી નીકળી ગયો. પશ્ચાત્તાપને કરતો પોતાને નિંદતો દેશોમાં ભમે છે. દારિડ્યું અને દુ:ખોથી પરાભવ પામેલો ભુખથી મરણને પામ્યો. (૩૮) तदेवं सर्वप्रकारैस्तारुण्यावस्थायां सुखाभावमुपदोपसंहरन् वृद्धावस्थां चामिधातुकाम आह -
એ પ્રમાણે સર્વ પ્રકારોથી તારુણ્યાવસ્થામાં પણ સુખના અભાવને બતાવીને ઉપસંહાર કરતા અને વૃદ્ધાવસ્થાના દુઃખોનું વર્ણન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
इय विहवीण दरिदाण वा ति तरुणत्तणे वि किं सोक्खं ? दुहकोडिकुलहरं चिय वुड्डत्तं नूण सव्वेसिं ।।३०९।। इति विभविनां दरिद्राणां वाऽपि तरुणत्वेऽपि किं सौख्यं ?
दुःखकोटिकुलगृहमेव वृद्धत्वं नूनं सर्वेषाम् ।।३०९।। ગાથાર્થ એ પ્રમાણે વિભવીઓને કે દરિદ્રોને શું તરુણાવસ્થામાં પણ કંઈ સુખ હોય છે ? ખરેખર બધાને (વિભવીઓને કે દરિદ્રોને) વૃદ્ધાવસ્થા ક્રોડો દુ:ખોનું જ ઘર છે. (૩૦૯) • ખેલણ એટલે વૃક્ષના પાંદડામાંથી બનાવેલ એક પ્રકારનું સાધન જે રસને ભરવામાં કામ આવે.