________________
ભવ ભાવાના પ્રકરણ ભાગ - ૨
૧૭.
શત્રુ પણ હજુ જીવે છે, ઇષ્ટ પુરુષ મરણ પામ્યો છે અને મારો સ્વામી રૂક્યો છે, શાહુકારો હમણાં કરજ પાછું માગે છે તેથી હમણાં ક્યાં જાઉં ? (૩૦૭)
એ પ્રમાણે હંમેશા જ મહાચિતા રૂપી અજગરથી ગ્રસિત ગરીબો કૌશાંબી નગરીના બ્રાહ્મણની જેમ શું સુખને અનુભવે છે ? (૩૦૮) આ નૃપણ ગાથાઓ સરળ છે. કૌશાંબી નગરીના વિપ્રનું કથાનક કહેવાય છે
કૌશાંબી નગરીના વિપ્રનું કથાનક વત્સાદેશમાં કૌશાંબી નામે શ્રેષ્ઠ નગરી છે જે રાજહંસના સમૂહોથી સહિત યમુના નદીથી શોભે છે અને તેમાં જન્મથી દરિદ્ર એવો સોમિલ નામનો બ્રાહ્મણ વસે છે તેને ભોજનાદિ ક્યારેય પણ પુરતા પ્રમાણમાં મળતું નથી. સ્ત્રી હંમેશા કચકચ કરે છે. છોકરાઓ સતત રડે છે. પ્રાર્થના કરતો હોવા છતાં પણ ઇચ્છિત અનાજ વગેરેની ભિક્ષાને પામતો નથી. દુ:ખી એવો આ સોમિલ બ્રાહ્મણ કાળ પસાર કરે છે ત્યારે ગર્ભવતી સ્ત્રી કહે છે કે ઘી-ગુડ આદિ લેવા માટે ક્યાંયથી પણ ધન લઈ આવો. ક્યાંયથી પણ ધન નહીં મળે છતે તે બ્રાહ્મણ ધન કમાવવા ઘરેથી નીકળી ગયો. દુ:ખી બ્રાહ્મણ ધન કમાવવા દેશોમાં ભમે છે પછી ભમતા એવા તેને જ્યારે પેટપુરતું પણ મળતું નથી તેટલામાં ખેદ પામેલો તે ભમતો કોઈ વિદ્યામઠમાં ગયો. (૯)
અને ત્યાં એક ઉપાધ્યાયે ઘણાં વિદ્યાર્થીઓને વિસ્તારથી નીતિશાસ્ત્ર કહે છે અને તેનો પ્રસ્તુત વિષયક આ છે. જાતિ, રૂપ અને વિદ્યા ત્રણેય પણ પર્વતની ગુફામાં પડો અને જેનાથી ગુણો પ્રગટ થાય છે તે ધન જ વધો. વિભવના ઉદ્યોત વિના બાકીના સર્વગુણોથી પૂર્ણ પણ પુરુષ રૂપી રત્નો દારિદ્રય રૂપી મહા અંધકારથી ઢંકાયેલ હોય તો પ્રકાશતા નથી. (દેખાતા નથી.) લોક ધનવાનોના ખોટા સગપણને પ્રકટ કરે છે. (અર્થાત્ કોઈ ધનવાન સ્વજન ન થતો હોય તો પણ ધની હોવાને કારણે આ મારો સ્વજન છે એવું જુઠું સગપણ લોક જગતમાં પ્રગટ કરે છે.) અને સગો ભાઈ પણ જો વિભવ રહિત હોય તો તેનાથી લજાને પામે છે. (૧૦) જો લક્ષ્મી હોય તો અસભૂત સર્વગુણો પણ પ્રગટ થાય છે અને જો લક્ષ્મી ચાલી જાય તો સબૂત સર્વપણ ગુણો નાશ પામે છે, તે લક્ષ્મી જય પામો જય પામો. સંપૂર્ણ મનોરથોને પૂરવા સમર્થ, સકળ લોકને સામાન્ય એવું ધન જેઓને સ્વાધીન છે તે જ આ જગતમાં જીવે છે. જે દીનમનવાળો સકળ દિશિમંડલોને શૂન્ય જુવે છે તે વિભવથી રહિત દરિદ્રી તે તે કાર્યોમાં કેવી રીતે પ્રાણ ધારણ કરે ? (અર્થાત્ તે તે કાર્યોમાં કેવી રીતે ઉત્સાહિત બને ?) (૧૩) અપુણ્યોને ધન દુર્લભ છે. ધન વિનાનાઓને સન્માન દુર્લભ છે, સન્માન વિનાના પુરુષોને એક ક્ષણ પણ સુખ દુર્લભ છે. ખરેખર ધનવાનો અમંગળના ભયથી ધનરૂપી પ્રાણથી મુકાયેલ દરિદ્ર રૂપી મૃતકને સ્પર્શ કરતા નથી અને દૂરથી જ તેનો ત્યાગ કરે છે. તેથી પ્રયત્નથી ધનને ઉપાર્જન કરો જેથી વિબુધતા નહીં હોવા છતાં સકળ લોકમાં ગુણસમૂહ પ્રાપ્ત થશે. એ પ્રમાણે સાવધાન મનથી આ સર્વ સાંભળીને દરિદ્રવિપ્ર પણ કહે છે કે સ્વયં અનુભવથી હું પણ આને જાણું છું. પરંતુ પ્રસન્ન થઈને તમે કંઈક ઉપાય બતાવો જેથી હું પણ ધનને ઉપાર્જન કરું. પછી ઉપાધ્યાય કહે છે કે આ** પણ શાસ્ત્રમાં કહેવાયું છે કે – . “શેરડીનું ખેતર, સમુદ્રનું સેવન, યોગિનું પોષણ અને રાજાની કૃપા ક્ષણથી નિશ્ચયથી દારિદ્રયને હણે છે. જો ધન હોય તો વ્યાપાર કરે, અલ્પ ધન હોય તો ખેતી કરે, ધનનો સંપૂર્ણ અભાવ હોય તો સેવા (નોકરી)
* બ્રાહ્મણ જે વખતે વિદ્યામઠમાં ગયો તે વખતે ચાલતો વિષય * આ એટલે ધન કેવી રીતે ઉપાર્જન કરવું તે