________________
૧૭૨
ભાવ ભાવના પ્રકરણ ભાગ- ૨
જન સંચાર રુંધાયો છે. ખુશ થયેલ બંદીજન દરવાજા પર રહી કાનને સુખકારક વાક્યો બોલે છે. ત્યાં મહાદાનો અપાય છે, વિવિધ પ્રકારના ખાદ્યો ખવાય છે, પીણાઓ પીવાય છે, વૃદ્ધ જનોનું સન્માન કરાય છે, મણિ અને સુવર્ણના કળશોથી કુંકુમ જળવડે સર્વ જનનો છંટકાવ કરાય છે, કુસુમ વિલેપન-તંબોલ અને શ્રેષ્ઠ વસ્ત્રો અપાય છે. તથા હર્ષ પામેલ સર્વ લોક તેના ઘરે ભમે છે. પોતાને અવશ એવો લોક પોતે કોણ છે એમ જાણતો નથી. (અર્થાત્ હર્ષના અતિરેકથી લોક પોતે કોણ છે તેનું ભાન રહ્યું નથી.).
તે પ્રમાણેનું વાતાવરણ જોઈને રાજાએ પુછ્યું કે અહીં હર્ષનું કારણ શું છે ? કોઈકે કહ્યું કે હે દેવ ! આ શ્રેષ્ઠીના ઘરે ગઈકાલે પુત્રનો જન્મ થયો છે. (૧૫)
એ પ્રમાણે સાંભળીને રાજા બહાર આવ્વવાહિની (વાહલી) કરીને તથા નગરના ઉદ્યાનની શોભા જોઈને જેટલામાં પાછો ફર્યો તેટલામાં તે ઘરે તે જ લોક અરેરે ! આ શું થયું એમ બોલતા મોટા અવાજથી કરુણ સ્વરે વિલાપ કરે છે, છાતી કૂટે છે, મૂચ્છ પામે છે, પડે છે, ઊભો થાય છે, માથા પર તાડન કરે છે, આભૂષણો તોડે છે, વસ્ત્રોને ફાડે છે. એ પ્ર
એને ફાડે છે. એ પ્રમાણે ગ્રહથી ગ્રહણ કરાયેલા શરીરવાળા. પરવશ એવા તે લોકોને જોઈને વિસ્મિત હૃદયવાળો રાજા પૂછે છે કે અરે ! આ શું થયું ? પછી કોઈકે કહ્યું કે હે દેવ !અપુત્ર ધનદ શ્રેષ્ઠીને ત્યાં સેંકડો માનતાઓ પછી જે પુત્ર જન્મ્યો હતો તે કોઈક રોગથી અડધી ક્ષણથી અહીં મરણ પામ્યો છે ત્યાર પછી હૈયામાં ધ્રાસકો પડવાથી ધનદ શ્રેષ્ઠી પણ મરણ પામ્યો. (૧૫૮).
એ પ્રમાણે અણઘટતું સાંભળીને વૈરાગ્ય પામેલો રાજા કહે છે કે અંતમાં વિરસ એવા ભવના વિલાસોને ધિક્કાર થાઓ ! જેઓએ વચનોથી પ્રશંસા કરી હતી તેઓ જ હમણાં રડે છે. ખરેખર ઇન્દ્રજાળ પણ આવી વિચિત્ર હોતી નથી. પછી સચિવે રાજાને વિનંતિ કરી કે હે દેવ ! જેટલામાં કસાય વસ્ત્રોથી મંડિત શબયાન (મડદાને લઈ જનારું વાહન) અહીંથી નીકળે નહીં તેટલામાં આપણે અહીંથી આગળ જઈએ. પછી ભયથી વિરક્ત ચિત્તવાળો રાજા સ્વયં ઘરે ગયો અને તે મરણને ચિંતવતો દિવસ અને રાત્રીને કોઈપણ રીતે પસાર કરે છે. (૧૬૨).
એટલામાં રાજાને દીક્ષા લેવાનો સમય થયો છે એમ જાણીને સમ્યક્તદાયક કેવળી ભગવંત વિચરતા ફરી પણ ત્યાં પધાર્યા. પછી હર્ષિત ઉદ્યાનપાલકે રાજાને વધામણી આપી અને રાજા તેને વિપુલ પારિતોષિક દાન આપે છે. પોતાની મોટી વિભૂતિથી સહિત તેમજ મોટા પ્રમોદથી રાજા તે મુનિના વંદન માટે ચંદ્રોદય ઉદ્યાનમાં ગયો. ત્રણ પ્રદક્ષિણા આપીને, વિધિથી નમીને, ઉચિત દેશમાં બેઠેલા રાજાને કેવલી ભગવંત ધર્મનો ઉપદેશ આપે છે. (૧૬)
હવે અવસરે રાજા પૂછે છે કે હે ભગવન્! ધનદના ઘરે અતિવિસ્મયને ઉત્પન્ન કરનાર અણઘટતો બનાવ કેમ બન્યો ? પછી કેવળીએ કહ્યું કે હે રાજન્ ! અનંત ચારિત્રવાળા અંતરંગલોકના કેટલા માત્ર વિલાસને તું પૂછે છે? રાજા પૂછે છે કે હે ભગવન્! આ અંતરંગ લોક કોણ છે? કેવળીએ કહ્યું કે હે મહારાજ ! સાવધાન થઈને સાંભળો.
અહીં ભવાર્તપુર નગરમાં મોહરાજ નામનો રાજા છે. પછી રાજાએ સકૌતુક ઉત્સુક્તાને પામીને પુછ્યું કે હે ભગવન્!પછી-પછી શું? કેવળીએ કહ્યું કે હે મહારાજ !તે રાજાને અતિપ્રિય હંમેશા પાસે રહેનારો, પાડાવિષ-સર્પ અને વાદળની જેવી કાંતિવાળો પ્રકૃતિથી સમુદ્ધત સ્વરૂપવાળો, ગર્વિષ્ઠ હૃદયવાળો, વક્રગતિવાળો મિથ્યાભિમાન નામનો અંતરંગ મહાસુભટ છે અને મિથ્યાભિમાન વડે આક્રાંત કરાયેલ આ સંસારી જીવો