SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ભવ ભાવના પ્રકરણ ભાગ – ૨ વીંટળાયેલી પૃથ્વીરૂપી કામિનીનો સ્વામી થયો. તેણે રમ્ય જિનમંદિરોથી સકલ પૃથ્વીવલયને વિભૂષિત કર્યું. પ્રાય: સર્વ પણ લોકને જિનસાધુના ચરણના ભક્ત કર્યા. અને આ બાજુ તે વખતે યમ નામનો રાજા કલિંગદેશનો અધિપતિ છે. તે દેવતાના વરદાનની પ્રાપ્તિથી યુદ્ધમાં હારતો નથી. પછી દેશોને લૂંટતો એવો તે નૃપવિક્રમ રાજાના સીમાડા પર આવ્યો. માની (પરાક્રમી) એવા રૃપવિક્રમ રાજાએ સામે આવીને તેને ઘેરો ઘાલ્યો અને પહેલાં દિવસે તેનો સેનાની લડાઈમાં ઊતર્યો જે યમ રાજાવડે હત પ્રહત કરાયો અને તે સેનાની જલદીથી પલાયન થયો. પછી વ્યાકુલ થયેલ નૃપવિક્રમ રાજા પણ તેની શ્રેષ્ઠ લબ્ધિને જાણીને ત્રણ ઉપવાસ કરીને ધનંજય યક્ષને યાદ કરે છે અને તે યક્ષ તત્ક્ષણ ત્યાં આવ્યો. રાજાએ તેને સર્વ હકીકત જણાવી. પછી દેવે કહ્યું કે હે રાજન ! આ કેટલા માત્ર છે ? તેથી પ્રભાત સમયે તું જ સમરાંગણમાં ઝંપલાવજે. અજિતેન્દ્રિય જેમ કામદેવને વશ થાય તેમ હું આને તારે વશ કરી દઈશ. પછી દેવના વચનથી પોતાના સૈન્યના સમૂહથી ભુવનને ક્ષોભ પમાડતો પરાક્રમી નૃપવિક્રમ રાજા તેની સામે યુદ્ધમાં ઊતર્યો. પછી દેવે નૃપવિક્રમ રાજાના સૈન્યમાં એવું કર્યું કે જેથી કોઈપણ સૈન્યના શરીરને દુશ્મન સૈન્યવડે મુકાયેલ તોમર-કુંતાદિ એક પણ શસ્ત્ર લાગતું નથી. જ્યારે નૃપવિક્રમ રાજાના સૈન્યવડે યમના સૈન્યના શ્રેષ્ઠ હાથી આદિ પર ફેંકાયેલું તણખલું ઢેકું વગેરે પણ ઇન્દ્રના શસ્ત્ર વજ્રની જેમ પરિણામ પામે છે. એ પ્રમાણે યુદ્ધ કરતો યમ ક્ષણથી છિન્નભિન્ન સૈન્યવાળો થયો. પછી નૃપવિક્રમ રાજાએ બળાત્કારથી તેને પકડીને બાંધ્યો. પછી યમ દીનવચનોથી કહે છે કે દેવે મને વરદાન આપ્યું હતું અને વરદાનના બળથી પાપી એવા મેં આ સર્વ પાપ કર્યું. (૧૩૬) પરંતુ તે વરદાનનો હમણાં અંત થયો છે તેથી કૃપા કરીને મને છોડ. ફરી હું આવું પાપ નહીં કરું. પછી નૃપવિક્રમ રાજાએ કહ્યું કે મણિ-મંત્ર-ઔષધી-દેવ વગેરે ત્યાં સુધી સફળ થાય છે જ્યાં સુધી જીવ પુણ્યથી મુકાતો નથી. (અર્થાત્ જીવના પુણ્યોદયમાં જ આ બધી વસ્તુ અસ૨કા૨ક બને છે.) સોળ હજાર દેવોથી સેવાતા ચક્રવર્તીઓ પણ પુણ્યના નાશ સાથે નાશ પામે છે. રત્નોનો સમૂહ પણ વિફળ થાય છે તેથી અહીં શું રાગ કરવો ? પરંતુ હું દીનતાને પામેલા શત્રુઓ ઉપર પ્રહાર કરતો નથી આથી તું છોડી દેવાયો છે ફરીપણ તને જે શિખામણ આપી છે તે જ પ્રમાણે આચર. સુવર્ણ ઘોડાદિ આપીને કંઈક પણ સન્માન કરીને રાજાએ તેને રજા આપી. નૃપવિક્રમ રાજા પણ પોતાની રાજધાનીએ પાછો ફર્યો અને ઘણાં દેવોથી યુક્ત એવો આજ્ઞાકારી ધનંજય યક્ષ વિષમ કાર્યોમાં સાનિધ્ય કરે છે ત્યારે તે સુખપૂર્વક પૃથ્વીનું પાલન કરે છે. (૧૪૨) હવે એક વખત શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયેલો ઉત્તમ મનુષ્યો અને ક્રોડો સૈનિકોથી પરિવરેલો રાજા નગરમાંથી બહાર નીકળે છે ત્યારે જે ઘ૨ના તોરણ ૫૨ માળાઓ બંધાયેલ છે, જે ઉત્તમ કેસ૨ અને ચંદનના રસથી સિંચાયેલું છે એવા નગર શ્રેષ્ઠી ધનદ વણિકના ઘરને જુએ છે. શણગારોથી સજ્જ થયેલો, ગ્રહણ કરાયેલ છે શ્રેષ્ઠ રત્ન, સુવર્ણ, મણિથી નિર્મિત આભરણ જેના વડે એવો પ્રમુદિત ચિત્તવાળો નગરનો લોક નગ૨ શ્રેષ્ઠીના ઘરે પ્રવેશે છે. (૧૪૫) હર્ષના અતિરેકથી ડોલાયમાન થતા ગોળ સ્તનપરથી પડતી છે તૂટેલી હાર લતા જેની, ઊંચી ભુજાપર રણકાર કરતા છે મણિવલય જેના એવો સ્ત્રીવર્ગ પણ જ્યાં નૃત્ય કરે છે. કોકીલના કંઠને જીતી લીધો છે જેઓએ એવી સૌભાગ્યવંતી સ્ત્રીઓ મનોહર ગીત ગાય છે. કરાયું છે અત્યંત સુખાકારી ગીત અને નૃત્ય જેઓ વડે એવા હલકા કુળમાં જન્મેલાઓ જ્યાં પ્રવેશે છે. જેના આંગણામાં રહેલા સુવર્ણના પૂર્ણ કળશો વડે
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy