SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ આ રીતે વિપુલ અર્થના સારવાળા વચનો વડે કુમારે યક્ષને નિરુત્તર કર્યો. તેથી ગુસ્સે ભરાયેલો યક્ષ કુમારના શરીરમાં મસ્તક-આંખ-કાન-પેટ-દાંતમાં તીવ્રવેદનાઓ ઉત્પન્ન કરે છે. આમાંની એક પણ વેદના નિશ્ચયથી સામાન્ય પુરુષના પ્રાણને હરનારી છે તો સર્વ વેદનાના દુ:ખથી પીડિત થયું છે શરીર જેનું એવો તે કુમાર સર્વથા ચેષ્ટા રહિત થયો તો પણ વિપુલ સત્ત્વનાં સારવાળો વિચારે છે કે જીવ! ભવરૂપી અરણ્યમાં પૂર્વે નહીં પ્રાપ્ત કરાયેલા એવા શ્રી સર્વજ્ઞ દેવ નિવૃત્તિપુરીના મુસાફર એવા તાર વડે સાર્થવાહ સ્વરૂપે પ્રાપ્ત કરાયા છે તેથી જો આ સર્વજ્ઞ ભગવાન તારા ચિત્તમાં વસેલા છે તો તારું મરણ પણ કલ્યાણકારી છે અને આ ભગવાન જેના હૃદયમાં ન વસેલા હોય તે જીવતો હોય તો પણ અનાથ છે. જ્યારે તને જિનશાસનની પ્રાપ્તિ થઈ ન હતી ત્યારે નરકમાં તારા વડે અનંતપુદ્ગલ પરાવર્ત સુધી જે દુ:ખ પ્રાપ્ત કરાયું છે તેની વિસાતમાં આ દુ:ખ કેટલા માત્ર છે ? (૧૦૪). એ પ્રમાણે કુમારની દૃઢતાને અવધિજ્ઞાનથી જાણીને અધિક ગુસ્સે ભરાયેલો તે યક્ષ આકાશમાં મોટી શિલાને વિદુર્વે છે. અને કહે છે કે અરે ! હે કુમાર !પરિવાર સહિત એવો તું પોતાનો વિનાશ કરશે હમણાં પ્રણામમાત્રથી હું તને જીવિત તથા રિદ્ધિને આપું છું. પછી વિશ્વાસપૂર્વક કુમાર કહે છે કે મિથ્યાભિનિવેશી એવો તું જો કોઈપણ રીતે આ બાહ્ય ક્ષણ ભંગુર દેહનો વિનાશ કરશે તો પણ જિનચરણ રૂપી કમળમાં લીન થયેલા એવા મારા અંતરંગ શરીરનો તું, ઇન્દ્ર કે બીજો કોઈ પણ નાશ કરી શકશે નહીં અને તે અંતરંગ શરીર નાશ નહીં થયે છતે મારું કંઈ પણ નાશ નહીં થાય તેથી તને જે રૂચે તે કર. અહીં તને કોણ રોકનાર છે ? એ પ્રમાણે કુમારના સાહસ અને નિશ્ચલ સમ્યક્તને જાણીને વિસ્મિત મનવાળો, ઓગળી ગયું છે મિથ્યાત્વ જેનું એવો તે યક્ષ વિચારે છે કે અહો ! આનું સત્ત્વ કેવું છે ? અહો ! આની બુદ્ધિ ધર્મમાં કેવી નિશ્ચલ છે ? અને મારું અનાર્યકાર્યમાં અપુર્વ પ્રવર્તન તો જુવો કેવો છે ? અને આ કેવો જીવદયાળું છે કે શરીરને માટે પણ જીવોને હણતો નથી અને મારે જીવ વધનું પ્રયોજન નહીં હોવા છતાં જીવ વધમાં કેવો કદાગ્રહ છે ? તેથી જે દેવ આને સ્તોતવ્ય છે તેની વાત તો દૂર રહો પણ સત્ત્વમાં એકસારવાળા એવા આનાવડે હું ગુણોથી જીતાયો છું. (૧૧૩) તેથી ફક્ત ગુણોથી નિર્મિત (ગુણોનો ભંડાર) એવો આ ગુણના લેશથી રહિત એવા મને પ્રણામ નથી કરતો તે યોગ્ય જ છે. એ પ્રમાણે કુમારના નિર્મળ ગુણોના સમૂહથી રંજિત થયેલો તે યક્ષ ઉત્સુકતાથી ઉપસર્ગોને સંહરીને અને તેના જ પગમાં પડીને કહે છે કે તું ધન્ય છે. તે જ જગતમાં પ્રશંસનીય છે કે જે તારી વીતરાગના ચરણોમાં નિશ્ચલ ભક્તિ છે. આજથી માંડીને મારા પણ તે જ દેવ છે, ગુરુ પણ તે જ છે અને તે ધીર ! તત્ત્વ પણ તે જ પ્રમાણ છે જે તારાવડે સ્વીકારાયું છે અને આથી જ ગુણનિધિ એવા તારી જ આજ્ઞાને કરનારો છું. મારો ધર્મગુરુ તું જ છે તથા મારો પરમબંધુ પણ તું છે. એ પ્રમાણે સ્તવના કરાતો પણ કુમાર મધ્યસ્થ ભાવથી રહે છે. પછી નમીને દેવ કહે છે કે જો કે હે મહાત્મનુંતું નિસ્પૃહ છે તો પણ મારા પર અનુગ્રહ કરીને વિષમ દશામાં તું મને યાદ કરજે. નિસ્પૃહ પણ ઉત્તમ પુરુષો પ્રાર્થના કરનારાઓ ઉપર કરુણાવાળા હોય છે. (૧૨૦) પછી કુમારે કહ્યું કે હે ભદ્ર ! જિનધર્મમાં ઉદ્યમ કરતા તારાવડે અમારું સર્વ પણ હિત કરાયું છે. બીજા ઉપકારથી શું? પછી કુમારના ગુણોથી આકર્ષિત થયું છે હૃદય જેનું એવો તે યક્ષ કુમારને ઘણું ખમાવીને સ્વસ્થાને ગયો. કુમાર પણ પોતાના ઘરે ગયો. (૧૨૨) હવે કોઈ વખત રાજા મૃત્યુ પામે છતે નૃપવિક્રમકુમાર મહાસમૃદ્ધિવાળા રાજ્ય પર સ્થાપન કરાયો. ફેલાયો છે શ્રેષ્ઠ પ્રતાપ જેનો, પ્રવર્તિત કરાયો છે સંપૂર્ણ ન્યાય માર્ગ જેનાવડે એવો કુમાર ચાર સમુદ્રરૂપી કંદોરાથી
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy