SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ભલ ભાવનાપ્રહ ભાગ - ૨ ૧૧૯ કલ્યાણકાદિ દિવસે મંદિરમાં મહિમાને કરીને, ઘણાં પરિજનથી યુક્ત કુમાર કોઈ એક સંધ્યાએ પાછો ફરતો માર્ગમાં રહેલા તે ધનંજ્ય યક્ષના ભવનમાં જેટલામાં દૃષ્ટિને પણ નાખ્યા વિના ઓળંગીને ચાલ્યો તેટલામાં દોડીને ક્રોધી યક્ષે તેના સર્વ પણ પરિજનને થંભાવી દીધો અને મુખમાંથી લોહીની ઊલટી કરાવે છે. પછી આકાશમાં રહીને દેવે કુમારને હાંક પાડીને કહ્યું કે હે કુટધર્મથી ગર્વિત ! તું મને પ્રણામ પણ કરતો નથી ? મને સો પાડા આપવાની માનતા તે પૂરી કર નહીંતર પરિવાર સહિત તને જ મારીને હું ભૂતના સમૂહને બલિ ચડાવીશ. પછી તે દેવને ક્યાંય પણ નહીં જોતો કુપિત થયેલો કુમાર દેવને કહે છે કે જ્યારે આયુષ્ય બળવાન છે ત્યારે તું કોઈને પણ નહીં મારી શકે. હવે કોઈપણ રીતે જો આયુષ્ય તુટ્યું છે તો જન્મેલો કોઈ પણ રીતે મરવાનો છે તેથી અનંતકાળ પછી પ્રાપ્ત થયેલા જિનધર્મને કોણ મલીન કરે ? પછી ક્રોધથી બળતા તે દેવે કુમારને ઊંચકીને નજીકમાં રહેલી પર્વતની શિલા ઉપર અફાળ્યો. (૭૮) પછી મૂર્છાના વશથી ચકળવકળ થતી આંખવાળો વેદનાથી પરાભૂત થયેલો, કાષ્ઠની જેમ ચેષ્ટા રહિત થયેલો ત્યાં એક ક્ષણ રહ્યો અને કોઈક રીતે ચેતનાને પ્રાપ્ત કર્યા પછી કુમરને ફરી પણ તે દેવ કહે છે કે અરે ! જીવઘાતનો ભીરુ એવો તું સો પાડાનું બલિ ન આપતો હોય તો ન આપ પણ મને દરરોજ ફક્ત પ્રણામ કર જેથી આજે પણ પરિવાર સહિત તારું સુહિત કરું. (૮૧) વિનયથી આરાધન કરાયેલો હું મનુષ્યોને રાજ્ય આપું છું અને વિપુલ લક્ષ્મી તથા આરોગ્યાદિ હું મેળવી આપું છું તેથી મને છોડીને ત્રણ ભુવનમાં બીજો કોણ દેવ છે? મને નમસ્કાર કરવાનું ભૂલી ગયેલો એવો તે પોતાની વિડંબના કરે છે. કુમારે દેવને કહ્યું કે દયાળુ એવો હું તને પાડાનું બલિદાન નહીં આપું પણ તે જીવદયા જે દેવવડે ઉપદેશાયેલ છે તે દેવને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું, અને તેનો જ હું કિંકર છું પણ જે તે સ્વયં જ વધ માટે પશુઓની પ્રાર્થના કરે છે તેને હું પ્રણામ કેવી રીતે કરું ? કારણ કે સામાન્ય લોકમાં પણ દયાળુ યતિઓ પુજાય છે માચ્છીમારો નહીં. અને બીજું તું મારું સુહિત કેવી રીતે કરીશ ? હે મહાભાગ ! રાગદ્વેષને વશ થયેલો તે પોતે સ્વયં દુઃખી જ છે અને નિર્ગુણ એવાં પોતાના વિશે તેમજ પોતાને પ્રણામ કરતા અમારા જેવા લોકોને વિશે તારો રાગ છે તથા ચંદ્રના કિરણ જેવા નિર્મળ જિનધર્મ પર તને દ્વેષ છે. અને રાગદ્વેષનું પરાધીનપણું જીવોના સર્વ દુઃખનું કારણ છે એમ તું જાણ અને મારે સંસારના દુ:ખના કારણભૂત રાજ્યાદિનું કોઈ પ્રયોજન નથી. તે રાજ્યાદિ તારાવડે કંઈ અપાતા નથી પણ જન્માંતરમાં કરેલા સુકૃતથી મળે છે અને જિનશાસનમાં રત જીવોને તે સુકૃત સારી રીતે થાય છે. (૯૦) મારું મને એક માત્ર મોક્ષસુખમાં છે અને મોક્ષ સુખ, ભવના દુ:ખથી મુકાયેલા જિનેશ્વરને છોડીને બીજો કોણ આપી શકે? અર્થાત્ બીજો કોઈ ન આપી શકે તો તું મને કેવી રીતે આપી શકે ? તેથી જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને પછી શું ત્રણ ભુવનમાં બીજો કોઈ નમસ્કરણીય છે કે જેને નમસ્કાર કરાય? અર્થાતુ ન કરાય. કારણ કે જેણે ક્ષીરસમુદ્રનું પાણી પીધું છે તે લવણ સમુદ્રના પાણીની ઇચ્છા કરતો નથી. અને તે પોતાની પ્રશંસા કરે છે તે અસ્થાને છે તે મોટા અંતરથી ભુલ્યો છે. આંબલીના ભક્ષણથી આંબાની ઇચ્છા નિવૃત્ત થતી નથી. કંઈક ખીલેલી મોગરાની કળીના મકરંદના પાનથી પરિતુષ્ટ થયેલો એવો તે ભમરો પણ શું ધોળા-ખેરવૃક્ષના ફુલોથી વિકારી કરાય છે ? અર્થાત્ ભમરો ખેરવૃક્ષના ધોળા ફુલોમાં રાગી થતો નથી. લીલાથી હાથીણીની સૂંઢમાંથી ગ્રહણ કરેલ સરસ સલ્લકીના દળની કુંપળોમાં વિલાસ કરતું મદનીયું શું અતિ નીરસ અને કઠોર ઘાસથી આકર્ષાય છે ? જો તું શ્રેષ્ઠ દેવ છે અને સર્વે પણ દેવગુણો તારામાં છે તો મને બળાત્કાર કેમ પ્રણામ કરાવે છે? મહાપુરુષો પોતાના ગુણોને સ્વયં જ પ્રકાશતા (પ્રકટ કરતા) નથી. નદીઓ પાત્રભૂત સમુદ્ર પાસે સ્વયં જ જાય છે. સામાન્ય પુરુષો જો મોટાના ગુણોનું બહુમાન કરતા નથી તો તે વખતે મોટાના ગુણોની શું હાની થાય છે ? જો ઘુવડ સૂર્યનું બહુમાન કરતું નથી તો સૂર્યનું શું કંઈ બગડી જાય છે ? (૯૮)
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy