SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ પ્રાણો ત્યજીને જ મરણના દુ:ખોને અનુભવીને એ પ્રમાણે અનંત અવસર્પિણી કાળમાં અનંત જન્મ મરણથી પીડાઈને, સ્થાને સ્થાને ન વર્ણવી શકાય તેવા અનંત દુ:ખોને અનુભવીને સંસાર રૂપી સમુદ્રમાં અવગાહના કરીને, આનાથી આગળના ભવમાં વસંતપુર નગરમાં સિંધુદત્ત નામના ગામમુખીના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થઈને, મધ્યવયમાં તાપસવ્રત સ્વીકારીને અને તે ભવમાં અજ્ઞાન તપ તપીને તે આ હમણાં તારા પુત્રપણાથી ઉત્પન્ન થયો છે તેથી હે દેવાનુપ્રિય ! આ અનાદિમિથ્યાદ્દષ્ટિ* જીવે ઋષિનાઘાતથી તથા પ્રવચનની પ્રત્યેનીકતાથી (દુશ્મનાવટથી) તીવ્રકર્મ ઉપાર્જન કરીને પછી અનંતભવોમાં તે કર્મના ફળ સમુદાયને ભોગવીને તે કર્મનું જે કંઈ ફળ બાકી રહ્યું છે તેને હમણાં વ્યાધિની વેદનાના પ્રકારમાત્રથી ભોગવે છે એ પ્રમાણે થોડા દિવસોમાં પૂર્વના બાકી રહેલ કર્મને ભોગવીને પછી આ રોગોથી તે મુકાશે. આવી દેશના સાંભળીને ભય અને સંવેગથી વ્યાકુળ થયેલો તત્ક્ષણ કંઈક રોગોથી મુકાયેલ દેહવાળો કુમાર મુનિને નમીને કહે છે કે હે સ્વામિન્ ! અજ્ઞાનથી મૂઢ થયું છે હૃદય જેનું એવા મારાવડે આવા પ્રકારનું ધોર પાપ કરાયું છે તેથી હે નાથ ! પ્રસન્ન થઈને અજ્ઞાનથી અંધ એવા મને તે કર્મના વિધાત કરવામાં સમર્થ એવા દેવ, ગુરુ, ધર્મ તત્ત્વને કહો. પછી કેવળીએ શેષ વિસ્તારથી સર્વજ્ઞ દેવનું વર્ણન કર્યું ત્યારે કુમારે સમ્યક્ત્વ તથા દેશવિરતિનો સ્વીકાર કર્યો. ત્રિવિધ-ત્રિવિધ મિથ્યાત્વનો ત્યાગ કર્યો. ભદ્રકભાવને પામેલો રાજા પણ ભક્તિથી તે મુનિવરને પ્રણામ કરીને ખુશ થયેલો કુમારની સાથે નગરમાં ગયો. કેવળી ભગવંતે અન્યત્ર વિહાર કર્યો, રાજપુત્ર પણ ભક્તિથી સર્વજ્ઞને પૂજતો, સાધુઓને દાનાદિને આપતો, હંમેશા ચૈત્યઘરોમાં રથયાત્રાદિ પ્રભાવનામાં નિરત, હંમેશા પણ શ્રુતધરોની પાસે ધર્મ સાંભળતો, પ્રયત્નથી પરતીર્થિક તથા કુતીર્થિકના સેવનને ત્યાગતો, બહાર રોગોથી મુકાયો અને અંદર અશુભ કર્મોથી મુકાયો. (૫૮) પછી હમણાં જ પોતે જન્મ્યો છે એમ માનતો દૃઢશ૨ી૨ી, સ્થિરસમ્યક્ત્વી સર્વજનને પ્રશંસનીય એવા ધર્મને આરાધે છે. પછી કોઈ વખત ધનંજય યક્ષ યોગ્ય પાત્રમાં અવતરીને કહે છે કે હે કુમાર ! તારું શરીર મારા વડે સારું કરાયું છે તેથી જો તું સત્યવચની છે તો પહેલાં સ્વીકારેલ સો પાડાના બલિને મને આપ તથા દરરોજ યાત્રા અને વંદન કર. પછી કંઈક હસીને, કુમારે મહાયક્ષને કહ્યું કે તે જ્ઞાનીની કૃપાને છોડીને ભુવનમાં કોઈની કૃપા (ઉપકાર) નથી. કેમકે તે જ્ઞાનીવડે મારું શરીર રોગોથી મુક્ત કરાયું છે અને હમણાં.હું મનથી પણ કુંથુઆનું પણ અહિત વિચારતો નથી તો પછી પાડાનું બિલ કેવી રીતે ધરું ? (૬૩) અને મારું મસ્તક રાગાદિ દોષથી મુકાયેલ દેવ તથા પંચમહાવ્રતધારી સાધુઓને છોડીને બીજા કોઈને નમતું નથી. એ પ્રમાણે જ્યારે રાજપુત્રે કહ્યું ત્યારે ધમધમતા ક્રોધથી દુ:ખે કરીને જોઈ શકાય તેવો યક્ષ કહે છે કે હે દુષ્ટ ! તારી જો એ પ્રમાણે સમજણ છે (અર્થાત્ તારા મનમાં નહીં નમવાનું અભિમાન છે) તો કૂટ-ધર્મથી વ્યામોહિત થયેલા અને એકમાત્ર ખોટા વચનમાં નિરત એવા તારા માન રૂપી વૃક્ષને જો હું ન મરડું તો હું દેવ નહીં ! શું તારા શરીરના અંગોને મેં સાજા નથી કર્યા ? એમ બોલીને દેવ ક્યાંય પણ ચાલી ગયો. અનાકુલ ચિત્તવાળો, સ્થિર સત્ત્વવાળો રાજપુત્ર પણ ધર્મને આરાધે છે. યક્ષ પણ તેના છિદ્રોને જુએ છે અને સેંકડો ભયોને દેખાડે છે. સત્ત્વ છે એક માત્ર ધન જેનું અને ધર્મમાં નિરત એવા રાજપુત્રપર ડરામણીની (ભયની) કોઈપણ અસર થતી નથી. પછી તે યક્ષ કુમાર પર અધિક રોષને ધારણ કરે છે. (૬૯) તે નગરની બહાર અમરનિકેત નામના ઉદ્યાનમાં મણિ-કંચણથી રચિત, વિશાળ અને ઊંચું જિનમંદિર છે. અનાદિ મિથ્યાદૃષ્ટિ = અનાદિ કાળથી આજ સુધીમાં જેણે ક્યારેય પણ સમ્યક્ત્વને સ્પર્શ નથી કર્યો તેવો જીવ અનાદિ મિથ્યાદ્દષ્ટિ કહેવાય છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy