SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના પણ ભાગ - ૨ ૧૬૫ ટીકાર્થઃ બીજા કેટલાક જીવો પ્રથમ યૌવન આરંભમાં લાલ કાંતિવાળા નખોથી યુક્ત અને સર્વ લક્ષણોથી લક્ષિત હોય છે તથા કાચબાના પગોની જેમ ઉન્નત પગવાળા હોય છે તથા લાલ કમળના પગના જેવા કોમળ તળીયાઓથી યુક્ત હોય છે તથા ચરણના મણિબંધ સુશ્લિષ્ટ હોય છે તથા હરણની જંઘા જેવી જંઘાવાળા હોય છે તથા હાથીની સૂંઢ જેવા ગોળ અને આનુપૂર્વીથી પાતળા થતા સાથળવાળા હોય છે તથા સિંહના વિસ્તીર્ણ કટિતટ જેવા કટિવાળા હોય છે તથા ગંગાના પાણીના ભ્રમણથી ઉત્પન્ન થયેલા આવર્ત જેવા આવર્તવાળી નાભિવાળા હોય છે તથા શ્રેષ્ઠ રૂપની સંપદાવાળા હોય છે. વજના વળાંક જેવા સંક્ષિપ્ત મધ્યભાગવાળા હોય છે તથા ઉન્નત કુક્ષિવાળા તથા સુસંગત માછલાના પેટના જેવા પેટવાળા હોય છે તથા સુવર્ણ શિલા જેવા વિસ્તીર્ણ છાતીવાળા હોય છે તથા નગરના શેરીના દરવાજાના આગળીયા જેવા લટકતા ભુજદંડવાળા હોય છે તથા શ્રેષ્ઠ વૃષભની ખાંધ જેવા ઉન્નત ખંધવાળા હોય છે તથા ગોળાકાર ત્રણ રેખાથી અંકિત ચાર અંગુલ ઊંચી શંખની ડોક જેવા ડોકવાળા હોય છે તથા વાઘની દાઢી જેવા દાઢીવાળા હોય છે તથા બિંબીફળ જેવા લાલ હોઠવાળા હોય છે તથા મચકુંદના ફૂલ જેવા સફેદ દાંતવાળા હોય છે તથા ગરૂડની ચાંચ જેવી સરળતા હોય છે તેવા સરળ નાકવાળા છે. પદ્મદળની જેમ દીર્ઘ આંખવાળા હોય છે તથા આરોપિત કરાયેલ કામદેવના ધનુષ્યની જેમ કુટિલ ભૂકુટિવાળા હોય છે તથા કામદેવના હિંચકા સમાન કાનવાળા હોય છે તથા આઠમના ચંદ્ર જેવા ભાલતળ જેવા હોય છે તથા ચક્રવર્તીના છત્ર જેવા ગોળ મસ્તકવાળા હોય છે તથા કાજળ અને વાદળ જેવા શ્યામ અને મૃદુ વાળવાળા હોય છે. આવા પણ શરીરના રૂપ-ગુણવાળા જીવો જ્યારે કોઢ અને ક્ષય વગેરે રોગોથી આક્રમણ કરાય છે, ત્યારે વેદનાથી વિહ્વળ કરાય છે. જે સર્વલોકને દયાને પાત્ર બને છે. બાકીની ગાથાઓનો અર્થ સરળ છે. નૃપવિક્રમ રાજપુત્રનું કથાનક આ જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં પ્રકટ ગુણોના સમૂહવાળો તથા ઘણી રિદ્ધિથી યુક્ત કુસુમપુર નામનું નગર છે. જે કમળની નાળ જેવી મૃદુવાણીને બોલનારા ધનાઢ્યોથી સેવાયેલું છે. જે સજ્જનોના ગુણસમૂહથી સમારકીર્ણ છે. જે કૈલાસ પર્વતની જેમ શ્રેષ્ઠ શુદ્ધ સ્ફટિકનું ઘર છે, તેમાં મહાદેવની જેમ હરિતિલક નામનો રાજા શ્રેષ્ઠ આબાદી (સમૃદ્ધિ)થી શોભે છે અને તેને ગૌરી નામે અંતઃપુરમાં મુખ્ય દેવી છે અને આ બંનેને માનતાઓથી હમણાં ઉપરની પ્રસ્તુત ગાથામાં વર્ણન કરાયેલ ગુણોથી યુક્ત નૃપવિક્રમ નામે પુત્ર થયો. જે લોકોને અતિપ્રિય, રાજા અને રાણીના હૈયાને આનંદ આપનાર, કલાકલાપને ગ્રહણ કરીને આ યૌવનને પામ્યો. પછી મોટી વિભૂતિઓથી બત્રીસ રાજકન્યાઓને પરણ્યો અને તેના નિમિત્તે માતાપિતા મનોહર અને "ઊંચા બત્રીસ પ્રાસાદો કરાવે છે. જે મધ્યભાગમાં ઊંચા ભવનોથી યુક્ત છે અને તે ભવનોમાં પ્રિયાઓની સાથે જેટલામાં ભોગોને ભોગવે છે, તેટલામાં એકાએક તેના શરીરમાં સર્વ અંગમાં શ્વેત કોઢ વ્યાપ્યો. મસ્તક અને આંખની અતિ તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. તીવ્ર દાંત પીડા ઉત્પન્ન થઈ. ગળામાં રોગનો સમૂહ પ્રગટ થયો. જીભ અને તાળવું શોષાયા. ઓઠના પડ તૂટીને ટુકડા થયા. નાક ગળવાનું શરૂ થયું. કાનમાં પરુ ઝરવા માંડ્યું. ગળામાં ગંડમાળા (કંઠમાળ નામનો રોગ) વધવાથી ભૂજાઓ પકડાઈ ગઈ. હાથમાં તળીયાની કાંતિ ચાલી ગઈ. આંગળીઓ ગળવા માંડી, નખનો સમૂહ વધ્યો. શ્વાસ અને ખાંસી દારુણ વધ્યા. હૃદય રોગો ઉત્પન્ન થયા, પેટમાં મહાશૂળ ઉત્પન્ન થયું. જલોદર વધ્યું. પીઠ અને વાંસો સર્વથા પકડાઈ ગયા. સર્વપ્રકારે પ્રબળ વાથી કટિતળ શિથિલ થયું. તીવ્રદુઃખને ઉત્પન્ન કરનારી ગુદામાં ખીલા ભોંકવા જેવી વેદના ઉત્પન્ન થઈ, મહાભગંદર
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy