SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ : ભાવનાપ્રકરણ ભાગ - ૨ ૧૦૧ ભોગથી રહિત છે નૈવા વિભવથી શું? જો આ વિભવથી ધનવાનો* કહેવાય છે તો મેરુપર્વતની સત્તાથી સર્વ પણ લોક ધનવાન કહેવાશે. દાન ભોગ વિભવના ફળો છે. તે બે (દાન અને ભોગ) વિના વિભવનું ફળ નાશ જ બાકી રહે છે. (કારણ કે વિભવની ત્રણ જ ગતિ છે દાન, ભોગ અને નાશ. હવે જો વિભવનું દાન અને ભોગ કરવામાં ન આવે તો તેનો નાશ જ થાય છે, કેમકે તેની બીજી કોઈ ગતિ નથી. ફક્ત ક્લેશ ભાવને અનુભવીને જેઓ વડે ધન ઉપાર્જન કરાયું છે તેઓ ધન ઉપાર્જન નિમિત્તે પાપ જ ભેગું કરીને સંસારમાં ભમે છે. સંસારમાં ભમતા જીવો વડે અનંત સ્થાનોમાં ધન ભેગું કરાયું છે અને દાનને નહીં કરતા જીવો વડે તે ધન ભોગવ્યા વિના જ ત્યાગ કરાયું છે. (૩૭) તેથી તે ધનનો ઉપભોગ કર તથા ધનનો પાત્રમાં વિનિયોગ કર. પ્રયોજન વિના તારે આ બળદની પૂર્તિથી શું? પછી મમ્મણ રાજાને કહે છે કે હે દેવ ! હું આ જાણું છું પણ આ બળદને પૂર્ણ કર્યા વિના કોઈપણ સુખને પામતો નથી. પછી રાજા રાણીને કહે છે કે આવા પ્રકારના જીવો ઉપદેશને યોગ્ય નથી. તીક્ષ્ણ પણ તલવારની ધારા વજને વિશે બુઢાપણાને પામે છે. રાજા પોતાના સ્થાનમાં જાય છે અને મમ્મણે પણ ક્રમથી લાંબો સમય દુ:ખો અનુભવીને તે બળદને પૂર્ણ કર્યો. (૪૧) तदेवं सत्यपि विभवे प्रवर्द्धमानाकांक्षाः प्राणिनो दुःखिता एव भवन्तीति प्रतिपादितं, व्याधिविधुरिताश्चान्ये दुःखिता भवन्तीत्यभिधित्सुराह - તેથી આ પ્રમાણે વિભવ હોતે છતે પણ વધતી લાલસાવાળા જીવો દુ:ખી જ થાય છે એમ પ્રતિપાદન કર્યું અને બીજા વ્યાધિથી પીડાયેલા દુઃખી થાય છે તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે लद्धं पि धणं भोत्तुं न पावए वाहिविहुरिओ अन्नो । पत्थोसहाइनिरओ त्ति केवलं नियइ नयणेहिं ।।२८५।। लब्धमपि धनं भोक्तुं न प्राप्नोति व्याधिविधुरितोऽन्यः पथ्यौषधादिनिरत इति केवलं पश्यति नयनाभ्यां ।।२८५।। ગાથાર્થઃ વ્યાધિથી પીડિત બીજો પણ મળેલા પણ ધનને ભોગવવા પામતો નથી, પથ્ય, ઔષધાદિમાં નિરત થયેલ ફક્ત બે આંખોથી ધનને જુવે છે. (૨૮૫) ___पथ्यं चौषधं च आदिशब्दात् शस्त्रकर्मादिपरिग्रहस्तन्निरत इति कृत्वा तल्लब्धमपि धनं हृदये महदार्तध्यानमुद्वहन् केवलं नेत्राभ्यामेव निरीक्षते, न तु खादितुं पातुं वा तच्छक्नोति, तथा च सति महद् दुःखं तस्योपजायत इति भावः । शेषं सुगमं ।। अपरस्त्वपत्यदुःखेन दुःखितो भवतीति दर्शयति - ટીકાર્થ પથ્ય અને ઔષધ આદિ શબ્દથી શસ્ત્રકર્મ પણ ગ્રહણ કરવું અને તેમાં નિરત એવો જીવ હૃદયમાં મોટા આર્તધ્યાનને વહન કરતો ફક્ત બે આંખોથી જ તે મળેલા ધનને જુવે છે. પણ ખાવા-પીવામાં તે ધનનો ઉપભોગ કરી શકતો નથી અને નહીં ભોગવી શકતો હોવાથી તેને મોટું દુઃખ થાય છે એમ કહેવાનો ભાવ છે. * ધનને ભંડારમાં કે થાપણમાં રાખી મૂકવાથી જો લોક ધનવાન કહેવાતો હોય તો બધા લોકોએ સોનાના મેરુપર્વતને થાપણ તરીકે રાખેલ છે કેમકે મેરુપર્વતને કોઈ ઉપાડી જતું નથી. અને આમ હોય તો બધો લોક ધનવાન ગણાશે પણ તેમ નથી. પરમાર્થથી તો ધનવાન ત્યારે જ કહેવાય જ્યારે તે ધનને પોતાની મરજી મુજબ દાનમાં કે ભોગમાં વાપરી શકતો હોય. જો મરજી મુજબ દાન કે ભોગમાં ન વાપરી શકતો હોય તો તે ધનનો ગુલામ કહેવાય.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy