________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૧૫૯
वहुँते उण अत्थे वड्डइ इच्छा वि कह वि तह दूरं । जह मम्मणवणिओ इव संतेऽवि धणे दुही होइ ।।२८४ ।। तरुणत्वे प्राप्तस्य धावति द्रविणमीलनपिपासा सा काऽपि यस्यां न गणयति देवं गुरुं धर्मं तत्त्वम् ।।२८२।। ततो मेलयति कथमपि अर्थं यदि ततो मुह्यति तमपि पालयन् बिभेति राजतस्करांशहारादिभ्यः नित्यमपि ।।२८३।। वर्द्धमाने पुनः अर्थे वर्धते इच्छापि तथा कथमपि दूरं
यथा मम्मणवणिगिव सति अपि धने दुःखीभवति ।।२८४।। ગાથાર્થ તરુણપણાને પામેલ જીવની પાછળ તેવી કોઈ દ્રવ્ય (ધનાદિ) મેળવવાની પિપાસા દોડે છે જેથી તે દેવ-ગુરુ-ધર્મ અને તત્ત્વને ગણતો નથી. અર્થાત્ સ્વીકાર કરતો નથી. (૨૮૨)
પછી કોઈપણ ઉપાયથી ધન મળી જાય તો તે ધનનું રક્ષણ કરતો મુંઝાય છે તથા રાજા-ચોર ભાગીદારીથી હંમેશા પણ ભય રાખે છે. (૨૮૩)
અને ધનની વૃદ્ધિ થયે છતે, ઇચ્છા પણ કોઈક તેવા પ્રકારની વધે છે જેથી મમ્મણ વણિકની જેમ ધન હોતે છતે પણ દુઃખી થાય છે. (૨૮૪). तिस्रोऽपि पाठसिद्धाः ।। कथानकं तूच्यते - ત્રણ પણ ગાથા સરળ છે. કથાનક કહેવાય છે
મમ્મણ વણિકનું કથાનક રાજગૃહ નામનું નગર હતું જેમાં જો હાથીના મદનું પાણી તે નગરમાં ઘોડાના ખુરથી ઉડેલી રજને ન શમાવતું હોત તો લોક ઘોડાના ખુરથી ઉડેલી રજને કારણે કંઈપણ જોઈ શકતો નથી. અર્થાત્ તે નગર ઘણાં ઘોડા અને હાથીઓ હોવાને કારણે અતિ સમૃદ્ધ હતું. શ્રેણીક રાજા તે નગરનું પાલન કરે છે. જેની દૃષ્ટિ અને ખગલતા પણ શત્રવર્ગના સૈન્યોને નીલકમળના દળ સમાન દુસહ છે. સર્વ અંત:પુરમાં પ્રધાન એવી ચેલણા તેની પટરાણી હતી. જે સુભટના હાથમાં રહેલ અસિલતાની જેમ પરપુરુષને માટે દુર્ધર હતી. એકવાર રાજા તેની સાથે ઝરુખામાં બેઠો છે અને આ બાજુ જેમ દુર્જનોની વાણીથી સંતાપ પામેલા લોકને સુવતીઓ અમૃત જેવી વાણીની ધારાઓથી આશ્વાસન આપે છે તેમ ઉનાળાના તાપથી સંતાપ પામેલા લોકને સજ્જન જેવો વર્ષાકાળ જળધારાઓથી આશ્વાસન આપતો અવતર્યો. સકલ લોકને પણ આશ્વાસન કરીને મહાપ્રતાપથી યુક્ત ગ્રીષ્મઋતુને હણીને ત્યાં વાદળાંઓ ધીર ગર્જના કરે છે. વિરહિણી વર્ગને ડસવાની (કરડવાની) ઇચ્છાવાળા જે કાળા સાપના જીભ જેવી વીજળીઓ ચારે બાજુથી એક સાથે ચમકે છે. (લપકારા કરે છે.) (૯) શાંત થયેલો સંતાપ પણ જે વિરહિણીઓને સંતાપ આપતો કહે છે કે લોકમાં એક સ્વભાવવાળી વસ્તુ નથી. નીચી અને ઊંચી ભૂમિ પર સમાન રીતે વર્ષતા વાદળાંઓ વડે નિરંતર એ જણાવાય છે કે સર્વનું સમાન