SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ तस्मात् यदि अस्ति भयं ते अस्या घोराया जरापिशाच्याः । जितशत्रुरिव प्रपद्यस्व शरणं जिनवीरपदकमलं ।।४२।। ગાથાર્થ ? તેથી જો આ ઘોર જરારૂપી પિશાચીથી ભય ઉત્પન્ન થયો હોય તો જિતશત્રુરાજાની જેમ શ્રીવીર જિનેશ્વરના ચરણ રૂપી કમળનું શરણ સ્વીકારો. (૪૨) प्रकटार्था । नवरं जितशत्रुरित्ययं गुणत एव द्रष्टव्यो, बहूनां शत्रूणामनेन जितत्वात्, नामतस्तु सोमचन्द्राभिधानोऽसौ मन्तव्यः, शास्त्रान्तरे च क्वचिद् गुणमाश्रित्य जितशत्रुतयाऽसौ लिखितो दृष्ट इतीहापि तथैवोक्तः, आवश्यकादिषु तु सोमचन्द्रनामतयैव प्रसिद्धः, अनेन च जराभीतेन प्रथममज्ञानात्तापसी दीक्षा प्रतिपन्ना, पश्चात्तु श्रीमन्महावीरचरणयुगलमनुसृतं, तदैव च सम्यगुपायता द्रष्टव्या इति संक्षेपार्थः ।। विस्तरार्थस्तु कथानकेनोच्यते, तच्छेदम् - ટીકાર્થ : અહીં જિતશત્રુ નામ જે કહેવાયું છે તે ગુણથી જ જાણવું કેમકે આના વડે ઘણાં શત્રુઓ જીતાયા છે પણ નામથી તો આ રાજા સોમચંદ્ર છે એમ જાણવું. બીજા શાસ્ત્રોમાં કયાંક ગુણને આશ્રયીને આ જિતશત્રુપણાથી લખાયેલો જોવાયો છે તેથી અહીં પણ તે પ્રમાણે જ લખ્યું છે પણ આવશ્યકાદિ ગ્રંથોમાં સોમચંદ્રના નામથી પ્રસિદ્ધ છે. જરાથી ભયભીત થયેલા આણે પ્રથમ અજ્ઞાનથી તાપસ દીક્ષા ગ્રહણ કરી પણ પાછળથી શ્રીમદ્ મહાવીર જિનેશ્વરના ચરણ યુગલને અનુસર્યા અને તે જ સમ્યગુ ઉપાય જાણવો. આ પ્રમાણે સંક્ષેપ અર્થ છે પણ વિસ્તારાર્થ કથાનકથી કહેવાય છે અને તે આ પ્રમાણે છે સોમચંદ્ર રાજાનું કથાનક પોતનપુર નામનું નગર હતું, જેમાં પુત્રી લક્ષ્મીને રહેતી જાણીને જાણે સમુદ્રવડે મોકલાયેલા રત્નસમૂહો દેખાય છે અને તે નગરમાં કુમુદનો ભાઈ એવા ચંદ્રની જેમ સોમચંદ્ર રાજા હતો અને સકલગુણોથી યુક્ત ધારિણી નામે તેની પ્રિય રાણી હતી અને કોઈક વખત ગવાક્ષમાં બેઠેલા રાજાના કેશને ઓળતી રાણી સફેદ વાળને જોઈને હે દેવ ! દૂત આવ્યો છે એમ બોલે છે. (૩) તેથી સંભ્રાન્ત થયેલો રાજા ચારે તરફ જુએ છે અને વિચારે છે કે હું અંત:પુરમાં રહેલ હોવા છતાં સંભાળ્યા વિના દૂત કેવી રીતે આવ્યો ? મારા દ્વારપાળો શું દરવાજા પર નથી ? આ પ્રમાણે સંભ્રાન્ત થયેલ રાજાને જોઈને હસીને દેવી કહે છે. “તું ધર્મ કર.” એમ કહ્યા વિના આ હું જરા આવી ગઈ છું એમ તું કહેશે તેથી તને જાણ કરવાને માટે જાણે દૂત હોય તેમ જરાએ પલિત (સફેદ વાળ) મોકલ્યો છે. તે પલિતને જોઈને રાજા વિચારે છે કે નક્કી આ જરારાક્ષસીનો દૂત છે અને તે જરા પણ મરણ ધાટીની નાયિકા જ છે. જરાથી ગ્રસિત થયેલા જીવો એવો કોઈ પરાભવ નથી કે જેને ન પામતા હોય ! ધર્મ-અર્થ-કામોથી રહિત જીવો જીવતા પણ મરેલા જ છે. આથી જ અમારા પૂર્વપુરુષો એ પલિતને જોયા પૂર્વે જ વ્રતગ્રહણ કર્યું છે પરંતુ હીનસત્ત્વવાળા મારો આટલો કાળ ફોગટ જ ગયો અને મારો પલિત જોવાયો. હમણાં પણ મારો પુત્ર પ્રસન્નચંદ્ર હજ બાળક છે તેથી હું શું કરું ? (૧૦) એ પ્રમાણે વિચારતા અતિ ઘણાં વિષાદથી દુ:ખી થયેલું છે મન જેનું એવા રાજાના આંખમાંથી આંસુ પડ્યા. પછી ઉત્તરીયવસ્ત્રના છેડાથી રાજાના આંસુને લૂછીને દેવી કહે છે કે હે દેવ ! જો વૃદ્ધપણાથી તમને લજ્જા થતી હોય તો આ રહસ્ય હું કોઈને પણ જણાવીશ નહીં. પછી રાજા કહે છે કે હે દેવી ! અહીં અવસ્થિત ભાવમાં મનુષ્યોને લજ્જા કેવી ? પણ પુણ્યહીન- એવા મારે આ લજ્જાનું કારણ મોટું એ માટે છે કે પૂર્વ પુરુષો વડે આચરિત નિર્મળ માર્ગને ન પામ્યો અર્થાત્ મેં સંયમનો
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy