SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ સ્વીકાર ન કર્યો. તેથી પ્રસન્નચંદ્ર જ્યાં સુધી પ્રજાનું પાલન કરવા સમર્થ ન થાય ત્યાં સુધી તે પ્રજાનું પાલન કર હું તો દીક્ષા ગ્રહણ કરું છું (૧૫) હવે દેવી રાજાને કહે છે કે શું ચંદ્ર વિના પણ જ્યોત્ના હોય છે ? અથવા કોઈવડે કયાંય પણ સૂર્યથી ભિન્ન સૂર્યની પ્રભા જોવાઈ છે ? તેથી મારે પુત્રથી કોઈ કાર્ય (પ્રયોજન) નથી તમને જે અનુમત છે તે માટે પણ કરવું જોઈએ. આ પ્રમાણે તેના આગ્રહને જાણીને રાજ્યપર પુત્રને મૂકીને ધારિણીની સહિત રાજાએ તાપસ દીક્ષાને સ્વીકારી. રાણી ગર્ભવતી હોવાને કારણે યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. પછી રાણી મરીને જ્યોતિષમાં દેવીપણે ઉત્પન્ન થઈ અને જંગલી ભેંસનું રૂપ લઈને સ્નેહથી પુત્રના મુખમાં દૂધ રેડે છે. પછી પુત્ર મોટો થયો. વલ્કલોથી (વૃક્ષની છાલના વસ્ત્રોથી) વીંટળાયેલો હોવાથી વલ્કલચીરી એ પ્રમાણે તેનું નામ સ્થાપન કરાયું. (૨૦). - હવે કેટલાક વર્ષો પછી પ્રસન્નચંદ્ર રાજા તેના અનુત્તર રૂપ લાલિત્યને સાંભળીને ગુપ્ત રીતે નવા ઉત્પન્ન થયેલા યૌવનના સમૂહવાળી અતિશય રૂપવાળી વેશ્યાઓની પુત્રીઓને, તાપસીઓનો વેશ પહેરાવીને શ્રેષ્ઠ દ્રવ્યોથી ખાંડના લાડુ બનાવી તેઓના હાથમાં આપીને ઘણાં સૈનિકોથી યુક્ત ત્યાં મોકલાવી. પછી કુલપતિ લાકડા લેવા જાય છે ત્યારે ફલને અનુકરણ કરનારા અર્થાત્ ફળ જેવા લાડુઓ વલ્કલચીરીને આપે છે. તે લાડુ ખાઈને કયા આશ્રમમાં આવા મધુર ફળો થાય છે એમ વલ્કલચીરી પૂછે છે. તેથી વેશ્યાપુત્રીઓ કહે છે કે પોતનપુર નામના આશ્રમમાં આવા ફળો હંમેશા થાય છે. અમે પણ તાપસો ત્યાં વસીએ છીએ તેથી તું પણ ત્યાં આવી જેથી હંમેશા પણ આવા ફળો ખાવા મળશે અને તેઓ એકાંતમાં સુકુમાલ ઉન્નત સ્તનને સ્પર્શ કરાવીને લોભાવે છે. (૨૭) પછી તાપસની સામગ્રી લઈને તે તેઓની સાથે ચાલ્યો. આ બાજુ વૃક્ષ ઉપર ચઢેલા ચરપુરુષો (ગુપ્તચરો) એ કહ્યું કે તે તાપસઋષિ આવે છે તેથી ભય પામેલી વેશ્યાપુત્રીઓ પરિજનની સાથે ભાગી ગઈ. વલ્કલચીરી પગમાર્ગને અનુસરતો જાય છે પણ તાપસીઓને કે પિતાને ક્યાંય મળ્યો નહીં. માર્ગમાં ભમતા વલ્કલચીરીને એક રથિકે જોયો. કરુણાથી રથિકે તેને રથ ઉપર બેસાડ્યો અને પુછ્યું કે તું ક્યાં જાય છે ? તેણે કહ્યું કે પોતનપુરના આશ્રમમાં જઈને મધુર ફળોને હું ખાઈશ એમ સત્ય હકીકત જણાવી તે રથિકની સ્ત્રીની સામું જોઈને આ સરળ સ્વભાવી વલ્કલચીરી કહે છે કે (૩૨) હે તાત ! હું તમને અભિવાદન કરું છું. ત્યારે આ શું બોલે છે ? એમ રથિકની સ્ત્રી પ્રિયતમને પૂછે છે. રથિક કહે છે કે આ . હંમેશા સ્ત્રી વિનાના આશ્રમમાં વસેલો છે તેથી તે સર્વને પિતા જ માને છે તેથી તારે આના પર ગુસ્સે ન થવું રથિકની પાસે પણ ઉત્તમ લાડુઓ હતા (૩૪) તેણે પણ તેને લાડુ આપ્યા અને વલ્કલચીરીને લઈ જઈને પોતનપુરના નજીકના પ્રદેશમાં મુક્યો અને તે કોઈક રીતે નગરની મધ્યમાં રિદ્ધિ-સમૃદ્ધિથી યુક્ત લોકપ્રસિદ્ધ એવી એક વેશ્યાના ઘરે પહોંચ્યો. તેના ઘરમાં પુરુષના વેશવાળી (ઢષવાળી) એક પુત્રી છે. પૂર્વે નૈમિત્તિકવડે કહેવાયેલો તે વલ્કલચીરી તેઓ વડે જોવાયો અને વસ્ત્ર તથા આભૂષણોથી તેને ભૂષિત કર્યો અને સ્નાન તથા - વિલેપન કરાવ્યું. ઉત્પન્ન થયેલા અનુરાગવાળી પુત્રીની સાથે રાત્રીમાં પાણિગ્રહણ કરાવ્યું. પછી મંગળ ગીતો ગવાય છે અને વાજિંત્રો વગાડાવાય છે. (૩૮) આ બાજુ વેશ્યાઓએ રાજાને પણ જણાવ્યું કે અમારાથી અને પિતાથી છૂટો પડેલો વલ્કલચીરી અરણ્યમાં ભમે છે. આ સાંભળી રાજાને અતિદુ:ખ થયું અને પ્રભાત સમયે ગુસ્સે થયેલા રાજાએ વેશ્યાને બોલાવીને કહ્યું કે મારા આવા દુ:ખમાં તારા મનોરથ પૂર્ણ થયા છે જેથી આ પ્રમાણે તે ઘણા ખુશી થયેલ લોકો વડે ગીતો ગવડાવે છે અને વાજિંત્રો વગડાવે છે તેથી ભયપામેલી વેશ્યાએ નિમિત્તિયાનું વચન રાજાને કહ્યું અને તાપસકુમારનું આગમનાદિ બધું જણાવ્યું. (૪૨) આપને કુમારના વિયોગથી થયેલ દુ:ખને અમે ન જાણ્યું તેથી * ક્ષમા કરો. પૂર્વે જે પુરુષો વડે તે જોવાયો હતો તે પુરુષોને રાજાએ વેશ્યાના ઘરે મોકલ્યા. તેઓ પણ તેને
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy