________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
अन्ये तु महामूढा लोहकीटादिखरंटनेन पलितानि 'गोपायन्ति, वलीश्च वस्त्रादिना 'गोपायन्ति, गण्डौ-कपोलो तयोवृद्धत्वेन पतितौ कूपो मौलिवस्त्रादिना वेष्टयन्ति, निजजन्म चिरकालीनमप्यासनकालं कथयित्वा गोपायन्ति, आदिशब्दादन्या अप्येवंप्रकारा मोहचेष्टा द्रष्टव्याः ।। किं पुनस्ते एवं कुर्वन्ति ? न पुनः सम्यगुपाये लगन्तीत्याह -
ટીકાર્થ જરાથી ભય પામેલા વરાકડા અવિવેકીઓ ગંધકાદિ રસાયણોનું સેવન કરે છે અને તે રસાયણોના સેવનથી પણ જરા નાશ થતી નથી અથવા ચાલી જાય તો પણ થોડા કાળ પછી ફરી પ્રગટ થાય છે માટે જરાને દૂર કરવાનો આ પરમાર્થથી ઉપાય નથી કેમકે તે ઉપાય અનેકાંતિક* અને અનાત્યન્તિક છે. પણ તપસંયમાદિનું આરાધન જરાના નાશનો સમ્યગુ ઉપાય છે કારણ કે તપ સંયમની આરાધના જરાના કારણભૂત કર્મોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ કરાવતી હોવાથી એકાંતિક કારણ છે. વળી એક વખત મોક્ષમાં ગયા પછી ફરી ત્યાંથી ક્યારેય પતન ન થતું હોવાથી હવે ક્યારેય પણ જરાનો સંભવ નથી તેથી તપ-સંયમાદિનું આરાધન જરાના નાશનું આત્યંતિક કારણ છે. પણ બીજા મહામુઢો લોખંડના કાટ આદિના ચોપડવાથી સફેદ કેશોને છૂપાવે છે અને કરચલીઓ વસ્ત્રોથી છૂપાવે છે. વૃદ્ધાવસ્થાના કારણે ગાલપર પડેલા ખાડાઓને મસ્તક પરના વસ્ત્રાદિથી ઢાંકે છે. ઘણાં વરસોથી પણ થયેલા પોતાના જન્મને ઓછા ઓછા વર્ષોનો કહીને ઉમરને છૂપાવે છે. આદિ શબ્દથી આવા પ્રકારની બીજી પણ મોહની ચેષ્ટાઓ જાણવી. તેઓ આવું શા માટે કરે છે ? અને સમ્યગુ ઉપાયમાં કેમ પ્રવૃત્ત થતા નથી તેને કહે છે
न मुणंति मूढहियया जिणवयणरसायणं च मोत्तूणं । सेसोवाएहिं निवारिया वि ढुक्कड पुणोऽवि जरा ।।४१।। न जानन्ति मूढहृदया जिनवचनरसायनं विमुच्य ।
शेषोपायैः निवारित अपि ढोकते पुनरपि जरा ।।४१।। ગાથાર્થ : જિનવચન રૂપી રસાયણને છોડીને બીજા ઉપાયોથી નિવારણ કરાયેલી જરા ફરી પણ . પ્રકટ થાય છે એમ મૂઢ હૃદયવાળા જીવો જાણતા નથી – (૪૧)
गतार्था ।। तर्हि जराभीतानां यत् सम्यक् कृत्यं तद्भवन्तोऽप्युपदिशंत्वित्याशङ्कय सदृष्टान्तं तदुपदिशबाह -
તો પછી જરાથી ભયભીત થયેલાઓનું જે સમ્યફ કર્તવ્ય છે તેનો તમે ઉપદેશ કરો એ પ્રમાણે શંકા કરીને દષ્ટાંત સહિત તેને ઉપદેશ કરતા કહે છે કે
तो जइ अत्थि भयं ते इमाइ घोराइ जरपिसाईए । जियसत्तु ब्व पवजसु सरणं जिणवीरपयकमलं ।।४।।
૨-૨. જો. - વા .. • જે ઉપાયથી જરાનું કારણ એવું કર્મ અવશ્ય નાશ પામે તે ઉપાય એકાંતિક કહેવાય છે. જે પુણ્ય કર્મના ઉદયથી જરા આવતી અટકે
તો પુણ્યકર્મનો ઉદય અનેકાંતિક ઉપાય છે. જે ઉપાયથી જરા પોતાના કારણભૂત કર્મો સહિત નાશ પામે તે ઉપાય આત્યંતિક (છેલ્લો) છે. જે પુણ્યકર્મના ઉદયથી તે ભવમાં આવતી જરા અટકે તે ઉપાય અનાત્યંતિક છે.