________________
૧૫૪
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
હવે કોઈક વખત સાકેતપુરની બહાર શ્રેષ્ઠમુનિઓથી યુક્ત કોઈ ચતુર્દાની મુનિમહાત્મા પધાર્યા. તેના વંદન નિમિત્તે સકળ લોક જાય છે ત્યારે મોટી વિભૂતિથી રથ પર આરૂઢ થયેલો પદ્મ પણ ત્યાં ગયો. તેની પાસે ધર્મ સાંભળીને સંવેગને પામેલો ગુરુને નમીને પૂછે છે કે હે ભગવન્! પૂર્વે મેં દીક્ષાનું પાલન કરી દેવલોકમાં સુખોને ભોગવ્યા અને નરકના દુઃખો સમાન ગર્ભમાં અનંત દુઃખોને સહન કર્યા. આ બધુ જે આપને કહેવાય છે તે તો સર્વ જ પુનરુક્ત* છે કારણ કે તમે સ્વયં જ પોતાના જ્ઞાનથી જાણો છો તો પણ મારા ઉપર અનુગ્રહ કરીને ભવરૂપી સમુદ્રમાંથી મને તારો. ગુરુ પણ કહે છે કે અહીં સુબુદ્ધિશાળીઓને પ્રમાદ કરવો યોગ્ય નથી. પછી માતાપિતા પાસેથી રજા મેળવી તે ગુરુની પાસે મહાવિભૂતિથી પશે દીક્ષા લીધી. (ધર્મને સાંભળીને ભવભયથી ઉદ્વિગ્ન થયેલા માતાપિતાથી અનુજ્ઞા કરાયેલ પદ્મ દીક્ષા લે છે અને વૈરાગ્યવાન ગુરુની સાથે વિહાર કરે છે.)
પછી થોડા દિવસોમાં સમગ્ર શ્રતને ભણી વિપુલ તપ કરી, ઘાતકર્મો ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, લાંબો સમય ભવ્ય જીવોને પ્રતિબોધ કરી, શેષ અઘાતકર્મો ખપાવી પરમ પદને પામ્યો. (૪૪) तदेवमभिहितं सोदाहरणं गर्भावस्थास्वरूपं, अथ जन्मतः प्रारभ्य बाल्यावस्थामभिधित्सुराह
એ પ્રમાણે ઉદાહરણપૂર્વક ગર્ભાવસ્થાના સ્વરૂપને કહ્યું. હવે જન્મથી માંડીને બાલ્યવસ્થા સુધીના સ્વરૂપને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
अइविस्सरं रसंतो जोणीजंताओ कह वि णिप्फडइ । माऊए अप्पणोऽवि य वेयणमउलं जणेमाणो ।।२७३।। अतिविस्मरं रसन् योनियन्त्रात् कथमपि निर्गच्छति
मातुरात्मनोऽपि च वेदनामतुलां जनयन् ।।२७३।। ગાથાર્થ ? યોનિ રૂપી યંત્રમાંથી નીકળતા માતાને અને પોતાને અતુલ વેદનાને ઉત્પન્ન કરતો અતિવિસ્વરને રડતો કોઈપણ રીતે બહાર નીકળે છે.
सुगमा ।। ननु नवमासमात्रान्तरितमपि प्राक्तनं भवं जीवः किं न स्मरति ? इत्याह - પ્રશ્નઃ જીવ માત્ર નવમાસના આંતરાવાળા પૂર્વના ભવને કેમ યાદ કરતો નથી ? ઉત્તરઃ આનો જવાબ નીચેની ગાથામાં આપે છે.
जायमाणस्स जं दुक्खं, मरमाणस्स जंतुणो । तेण दुक्खेण संतत्तो, न सरइ जाइमप्पणो ।।२७४।। जायमानस्य यद् दुःखं म्रियमाणस्य जंतो:
तेन दुःखेन संतप्तो न स्मरति जातिमात्मनः ।।२७४।। ગાથાર્થ જન્મતા અને મરતા જીવને જે દુઃખ થાય છે તે દુઃખથી સંતપ્ત જીવ પોતાના જન્મને યાદ કરી શકતો નથી.
પુનરુક્ત = જાણતા હોવા છતાં કહેવું અથવા એકવાર કહેવાઈ ગયું હોવા છતાં ફરીથી કહેવું.