SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ પ્રશ્ન : ગર્ભમાં કેટલું દુઃખ હોય છે ! ઉત્તર : અગ્નિથી તપીને લાલચોળ થયેલી સોયો વૃદ્ધના શરીરમાં એકી સાથે સતત ભોંકવામાં આવે તેમાં જેટલું દુઃખ થાય તેના કરતાં આઠગણું દુ:ખ થાય છે. આ વ્યવહારથી કહ્યું છે નિશ્ચયથી આનાથી વધારે કે ઓછું પણ થાય છે જેના માટે શાસ્ત્રમાં સાક્ષી ગાથા આપવામાં આવી છે. भाओ नीहरंतस्स जोणिजंतनिवीलणे सय साहस्सियं दुक्खं कोडाकोडि गुणं पि वा ।। ગર્ભમાંથી જીવ જ્યારે નીકળે છે ત્યારે યોની રૂપી યંત્રના કોલુમાં પીડાય છે તે વખતે જે દુ:ખ થાય તે દુઃખ ગર્ભના દુ:ખ કરતા લાખગણું કે કોટાકોટિગણું થાય છે. પ્રશ્ન : આ પ્રમાણે દુ:ખિત જીવ કેટલો કાળ ગર્ભમાં વસે છે ? ઉત્તર : એ પ્રમાણે દુઃખી થયેલ કોઈ પાપકારી જીવ વાત-પિત્તાદિથી દૂષિત થયો હોય કે દેવાદિથી સ્તંભિત કરાયો હોય તેવો જીવ ગર્ભમાં બાર વરસ સુધી સતત રહે છે. પ્રશ્ન : કેવા પ્રકારના ગર્ભમાં રહે છે ? ઉત્તર ઃ શુક્ર અને શોણિત આદિ અશુચિ પદાર્થોમાંથી ઉત્પત્તિ છે જેની એવો જીવ શુક્ર-શોણિત-અશુચિવાળા અને મળ-મૂત્રરૂપી કાદવથી ખરડાયેલા ગર્ભમાં રહે છે. ૧૨ વર્ષ ગર્ભમાં રહેવું તે ભવસ્થિતિની અપેક્ષાએ છે. કાય સ્થિતિને આશ્રયીને કોઈ જીવ બાર વ૨સ જીવીને તેને અંતે મરીને તેવા પ્રકારના કર્મના વશથી તે જ ગર્ભ કલેવરમાં ઉત્પન્ન થઈને બીજા બાર વરસ સુધી જીવે છે એ પ્રમાણે જીવ ઉત્કૃષ્ટથી ચોવીશ વર્ષ સુધી ગર્ભમાં રહે છે. આ વાત સૂત્રની ગાથામાં નથી બતાવી પણ સ્વયં જાણવી. ગર્ભમાંથી યોનિમાર્ગ દ્વારા જીવનું નીકળવું બે પ્રકારે છે. (૧) સ્વાભાવિક સ્વરૂપથી (૨) અસ્વાભાવિક સ્વરૂપથી. (૧) ગર્ભમાંથી યોનિમુખ દ્વારા મસ્તકથી કે બે પગથી નીકળવું તે સ્વાભાવિક નિર્ગમ છે અને (૨) પગ અને મસ્તક સિવાય વાંકુ નીકળવું તે અસ્વાભાવિક નિર્ગમ છે જે બંનેના (માતા અને પોતાના) મરણનું કારણ થાય છે. હવે ગર્ભના દુ:ખો ભવનિર્વેદનું કારણ છે તેને બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર ઉદાહરણને કહે છેભાવાર્થ કથાનકથી કહેવાય છે તે આ પ્રમાણે - પદ્મકુમારનું કથાનક મગધદેશમાં કોલ્લાગ નામનું સન્નિવેશ પ્રસિદ્ધ છે. જે સજ્જનોનું આલય હોવા છતાં પણ અસજ્જનોએ આરંભેલા માર્ગનો ભંગ કરનાર છે. અને તે નગરમાં શ્રીદત્ત નામનો ધનસમૃદ્ધ કુલપુત્ર વસે છે જેણે સંસારના પરમાર્થને જાણ્યો છે, જેની મતિ જિનધર્મથી ભાવિત છે. અને તેની પત્ની કોઈ વખત મરણ પામી ત્યારે તે જ વૈરાગ્યથી જિનમતની દીક્ષા ગ્રહણ કરે છે. પછી સૂત્રને ભણીને તે દુષ્કર તપકર્મને આચરે છે. કષાયને જીતીને બાવીશ પરીષહોને સમ્યક્ સહન કરે છે. સંતોષને ધારણ કરી ઇન્દ્રિયોનું દમન કરે છે તેમજ સંસારના સ્વરૂપની ભાવના કરી મોટા સત્ત્વને ફોરવીને ઉપસર્ગોને સહન કરે છે. પછી વિચરતા ક્યારેક પણ કોઈક ગામની બહાર સ્મશાનમાં વીરાસનથી રાત્રીમાં રહ્યા. (૬)
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy