SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૧૫૧ હવે ગર્ભમાં ઉત્પન્ન થયા પછી કયા આહારને કરે છે તેને કહે છે- “સુ' ત્યા એટલે ગર્ભમાં જીવ શુક્ર અને શોણિતના મિશ્રણથી ઉત્પન્ન થયેલ અશુચિનો આહાર કરે છે. પ્રશ્ન તે આહાર ક્યારે કરે છે ? ઉત્તરઃ જીવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે આવો આહાર કરે છે પછી તેમાંથી શરીર બનાવે છે. ક્યા ક્રમથી શરીર બનાવે છે તેને જણાવતા કહે છે. પ્રથમ સાત દિવસ સુધી જીવ શુક્ર અને શોણિતના શિક્ષણના પ્રવાહી સ્વરૂપે હોય છે. પછીના સાત દિવસમાં તે અર્બદ રૂપે રહે છે પછી તે જ શુક્ર અને શોણિત કંઈક ઘટ્ટ બને છે. પછી પણ તે અર્બુદમાંથી માંસ પિડિકા સ્વરૂપ પેશી બને છે અને તેમાંથી ઘન સમચોરસ માંસનો ટુકડો થાય છે અને અહીં તે શુક્ર શોણિત પછી પછીના પરિણામને પ્રાપ્ત કરતો પ્રથમ માસના અંતે મગધ દેશમાં પ્રસિદ્ધ પોણો પલપ્રમાણ* થાય છે. અર્થાત્ ત્રણકર્ષનો થાય છે. બીજા મહીને ઘન-માંસ પેશી થાય છે અર્થાત્ સમચોરસ માંસ ખંડ થાય છે. ત્રીજા માસે માતાને દોહલો ઉત્પન્ન કરે છે. પછી ક્રમે ક્રમે માથા અને દાઢીના રોમને છોડીને નવાણું લાખ રોમવાળો થાય છે. પછી માથા અને દાઢીના રોમકૂપ સાડા ત્રણ ક્રોડ થાય છે. આઠમે માસે સંપૂર્ણ શરીરની રચના પૂર્ણ કરે છે. શુક્ર અને શોણિતના સમુદાયને “ઓજ' કહેવાય છે. તે મોજનો આહાર તે ઓજાહાર આદિ શબ્દથી લોમાહાર પણ ગ્રહણ કરવું. તે બધા પ્રકારોના આહારોથી શરીરને સંપૂર્ણ બનાવે છે. ગર્ભમાં રહેલો જીવ ગર્ભમાં બસો સાડાસતોત્તેર દિવસો રહે છે. અર્થાતુ નવમાસ અને સાડા સાત દિવસ વસે છે. પ્રખર કેટલા જીવો એક સ્ત્રીના ગર્ભમાં એક વખતે ઉત્પન્ન થાય છે?અને કેટલા પિતાનો એક પુત્ર થાય છે? - ઉત્તર: એક સ્ત્રીના ગર્ભમાં જઘન્યથી એક, બે કે ત્રણ જીવો અને ઉત્કૃષ્ટથી નવલાખ જીવો ઉત્પન્ન થાય છે. પણ ફળીભૂત તો એક કે બે થાય છે બાકીના બધા થોડો કાળ જીવીને મરણ પામે છે તથા ઉત્કૃષ્ટથી નવસો પિતાનો એક પુત્ર થાય છે. કહેવાનો ભાવ એ છે કે કોઈ એક દઢ સંઘયણવાળી કામાતુર સ્ત્રીનો બાર મુહર્તમાં નવસો પુરુષોની સાથે સંગ થાય છે ત્યારે તેના બીજમાં જે પુત્ર થાય છે તે નવસો પિતાનો પુત્ર કહેવાય છે. ગર્ભમાંથી પણ કેટલાક જીવો નરકમાં જાય છે અને કેટલાક જીવો દેવલોકમાં જાય છે. જેમકે પૂર્વભવની વૈક્રિય લબ્ધિથી યુક્ત કોઈપણ જીવ રાજપત્ની આદિના ગર્ભમાં ઉત્પન્ન થયેલો, પ્રૌઢતાને પ્રાપ્ત થયેલો પરચક્ર આવેલ છે એમ સાંભળીને ગર્ભમાં જ રહેલો બહાર આત્મ પ્રદેશો કાઢીને વૈક્રિય લબ્ધિથી હાથી, ઘોડા, રથ, પદાતિ વગેરેને વિક્ર્વીને યુદ્ધ કરીને રૌદ્રધ્યાનમાં પડેલો ગર્ભમાંથી પણ મરીને નરકમાં જય છે. અને મુનિ પાસે ધર્મશ્રવણ કરતી માતાના ગર્ભમાં રહેલો કોઈક જીવ તે ધર્મને સાંભળીને શુભઅધ્યવસાયને પામેલો જ મરીને દેવલોકમાં જાય છે. પ્રબઃ એક સ્ત્રીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી જે નવલાખ જીવો ઉત્પન્ન થાય છે તેમાંના કેટલા ફળીભૂત થાય છે અને કેટલા ગર્ભમાં મરે છે ? ' ઉત્તર : એક બે જીવો ફળીભૂત થાય છે બાકીના બધા નાશ પામે છે. પ્રશ્નઃ ગર્ભમાં કેવી રીતે રહે છે ? ઉત્તરઃ અશુચિથી ભરેલી, ઘોર અંધારી ઓરડીમાં જીવ જેમ રહે છે તેમ ગર્ભમાં રહે છે. • પલ = ચારક, પોણોપલ એટલે ત્રણ કર્ષ.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy