SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ ટીકાર્થ : પ્રથમની ત્રણ ગાથા સુગમ છે. હવે વિશેષથી કુકડાને આશ્રયીને કહે છે. કોઈક કૌતુકીવડે લડાવાતા કુકડાઓમાંથી શત્રુકુકડાના તીક્ષ્ણ નખોના પ્રહારોથી તારી આંખો ફુટી અને શરીર પણ ભેદાયું. એમ બીજાના કૌતુકના કારણે હે જીવ ! તું અનંતવાર મરણ પામ્યો છે તેને ચિત્તમાં વિચારીને હવે એવું કાર્ય કર જેથી તું આવા પ્રકારના સ્થાનોમાં (ભવોમાં) કયારેય પણ ઉત્પન્ન ન થાય. હવે પોપટ આશ્રયીને કહે છે, ‘ીત્તે' એટલે પોપટના ભવમાં ‘હિઁ' એટલે પોપટના જન્મમાં, બાકી સ્પષ્ટ છે. અહીં પણ સંસારનું વિચિત્રપણું બતાવવાને માટે માતા પિતા વડે પોપટના વધ ભક્ષણ આદિને બતાવતા કહે છે કે - તે જ પોપટના ભવમાં મહા અટવીમાં દ્રાક્ષના લતા મંડપોમાં ભમતો પૂર્વભવના પિતાવડે પકડાયો છે અને પૂર્વભવની માતા જે બિલાડી થયેલી છે તેના વડે તું ભક્ષણ કરાયો છે તે જણાવવા કથાનક કહેવાય છે. વસુદત્ત સાર્થવાહનું કથાનક પૂર્વ દિશારૂપી વધૂની શોભા સમાન કંચનપુર નામનું શ્રેષ્ઠ નગર છે જે સુવર્ણથી નિર્મિત આભૂષણની જેમ સર્વશોભાના આશ્રયને (સ્થાનને) ઉત્પન્ન કરે છે. તે નગરમાં રિદ્ધિમાન વસુદત્ત નામનો સાર્થવાહ વસે છે અને તેની સર્વગુણોથી યુક્ત વસુમતી નામની સ્ત્રી છે અને તે બંનેને વરુણ નામનો પ્રાણોથી પણ પ્રિય એવો મોટો પુત્ર છે અને તે યૌવનપણાને પામેલો ક્યારેક વ્યાપાર માટે પરદેશ ગયો પછી ઘણાં દ્રવ્યને કમાઈને ખુશ થયેલો પાછો ફરતો શાર્દૂલસિંહ નામની મહા અટવીમાં આવ્યો અને તે અટવીમાં તેના શરીરમાં તીવ્ર રોગની પીડા થઈ. રોગની વેદનાથી ગાઢ આક્રંદ કરતો તે પણ વિચારે છે કે હા દૈવ ! તેં અકાળે આવો પ્રહાર કેમ કર્યો ? જેથી આ ભયંકર અરણ્યમાં ઘર પણ નથી, માતાપિતા પણ નથી અને સ્વજનો પણ નથી. (૬) અને આ વિભવ મારાવડે કષ્ટથી ઉપાર્જન કરાયો છે. હા ! હા ! મારા વિના આ વિભવનું શું થશે ? તે પત્ની, તે માતા, તે પિતા કયાં દેખાશે ? ઇત્યાદિ આર્તધ્યાનમાં ડૂબેલો તે જ અટવીમાં મરીને આર્ત્તધ્યાનને પરવશ તે ઉત્તમ પોપટપણે ઉત્પન્ન થયો. પછી તેનો ઘણો વિભવ પણ નાશ પામ્યો. તેમાંનો કેટલો વિભવ માતાપિતાને પહોંચ્યો ? અર્થાત્ કંઈ નહીં. પુત્રના મરણને સાંભળીને માતાને પણ હૃદયમાં તેવો આઘાત થયો જેથી તે પણ આર્દ્રધ્યાનમાં મરેલી બિલાડીપણામાં ઉત્પન્ન થઈ. (૧૦) વસુદત્ત પણ પુત્રના મરણ કાર્યને કરીને, કાળે કરીને શોક રહિત થયેલો વ્યાપાર અર્થે ક્રમથી દેશાંત૨માં જઈ કરીયાણાઓને વેંચીને, ધનને ઉપાર્જન કરીને જે અટવીમાં પૂર્વે પોતાનો પુત્ર ઉત્તમ પોપટ થઈને રહે છે તે જ અટવીમાં પાછો ફર્યો. અને તેણે આંબાની ડાળી ઉપર બેઠેલા પોપટને જોયો. પછી પોતાના માણસો પાસે કોઈક પાશના પ્રયોગથી પકડાવીને પાંજરામાં પુરાવ્યો. પછી સાર્થવાહ તે પોપટને પોતાના ઘરે લઈ ગયો અને આદરથી તેને ઘણું ભણાવ્યું. (૧૫) હવે કોઈક દિવસે ભર૨ાત્રીમાં લોકો સૂઈ ગયા ત્યારે બિલાડી થયેલી માતાએ છિદ્રમાં પગ નાખીને કોઈપણ રીતે પાંજરામાંથી પોપટને ખેંચ્યો અને ત૨ફડતા પોપટને ખાઈ ગઈ. પુત્રના મરણ કરતા પણ પોપટના મરણથી સાર્થ-વાહને વિશેષ અધિક શોક થયો. હવે કોઈક વખત તે નગરમાં કેવળજ્ઞાની ભગવંત પધાર્યા. સમગ્ર નગરનો લોક તેમની પાસે જાય છે. વસુદત્ત સાર્થવાહ પણ શંસયનું નિવારણ કરવા તેની પાસે જાય છે. તેણે કેવળજ્ઞાનીને પુછ્યું કે હે ભગવન્ ! મને તે પોપટ ઉપર આટલો બધો સ્નેહ કેમ થયો ? પછી કેવલી ભગવંત કહે છે કે હે ભદ્ર ! તે પોપટ તારા પૂર્વભવનો પુત્ર હતો. જેના વડે ભક્ષણ કરાયો તે બિલાડી તેની પૂર્વભવની માતા છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy