________________
૧૩૪
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
ઘરો ઉપર પાણીના ફુવારા ફરી રહ્યા છે તેવા ઘરોનું) સેવન કરે છે. જેમાં પાકેલા ફળોના સમૂહથી નમેલા આંબાના વનોમાં વિશ્રામ કરતા મુસાફરોને ગમનમાં (ઇચ્છિત સ્થળે પહોંચવામાં) ઘણો અંતરાય થાય છે. (૩૨) જેમાં નવમલ્લિકાનો એક ગુચ્છો પણ કામિજનને કામાધીન કરે છે તો પછી સુગંધથી વાસિત કરાયું છે દિશાઓરૂપી અંત જેનાવડે એવા શ્રેષ્ઠ પાટલ પુષ્પોની સહાય હોય ત્યારે શું વાત કરવી ? જે ઉનાળો શ્વેતમલ્લિકાના ફુલના બાનાથી હા હા હા એ પ્રમાણે કરતો વૃક્ષોની છાયામાં આળોટતા સકલ મુસાફર લોક પર જાણે હસે છે. જંબુ વૃક્ષના ફુલોનો સમૂહ પોતાનાથી ઉત્પન્ન થયેલા ફળો વડે પડાય છે અંગથી ઉત્પન્ન થયેલા પણ પ્રતિકૂળ સમયે અનુચિત આચરણ કરે છે. ધૂલીકદંબ પુષ્પોનો સુગંધ વિરહિણી વર્ગને સંતાપે છે. દુર્જનની મૈત્રીની જેમ રાત્રીઓ ક્રમથી ક્ષીણ થાય છે. (૩૬) સૂર્યને ઉત્તર ઉત્તર દિશામાં અયન કરતા જોઈને તથા દક્ષિણ દક્ષિણ દિશાના માર્ગને છોડતા જોઈને દિવસો હર્ષથી વર્ધિત થયા. (અર્થાત્ દિવસો મોટા થયા.) જ્યાં શીતળ નદી વગેરેના કાંઠા પર રહેલા કેળ અને લવલીના લતા ઘરોમાં પાથરેલા કમળના પાંદડાની શૈય્યાઓ ઉ૫૨ યુગલો ક્રીડા કરે છે. (૩૮) વંટોળીયાઓ વાય છે, દાવાનળનો અગ્નિ અરણ્યોને બાળે છે, કુમતિઓમાંથી ગુણોનો સમૂહ નાશ પામે છે તેમ વનના પાંદડાંઓનો સમૂહ ખરી પડે છે. ઋતુમતી સ્ત્રીઓની જેમ ૨જવાળી દિશાઓ ઉદ્વેગને ઉત્પન્ન કરે છે. ક્ષુધા અને તાપથી સંતપ્ત થયેલો દરિદ્રનો સમૂહ પરિભ્રમણ કરે છે અને ત્યાં ઉનાળાની ઉગ્રતા વધી ત્યારે ક્યારેક ચારે બાજુથી કઠોર પવનથી પ્રેરાયેલા દાવાનળવડે અરણ્ય પ્રજ્વલિત થયો ત્યારે સર્વદિશાઓ માળાથી વ્યાકુળ થઈ, જંગલી પશુઓનાં સમૂહો દાઝ્યા, ભયંકર સૂંઢને સંકોચીને પૂંછડીને ઊંચી કરીને ભયથી ત્રાસ પામેલો, વૃક્ષ સમૂહને ભાંગતો. વેલડીઓની વાડોને ચૂરતો, લાદ (વિષ્ટા)ના સમૂહને મૂકતો, જરાથી જીર્ણ થયેલો એવો યૂથપતિ હાથી પોતાના હાથી-હાથીણીઓની સાથે ભાગતો એક સરોવર પાસે ગયો અને તે સરોવરમાં અલ્પપાણી હોવાથી અને પોતે વૃદ્ધ થયો હોવાથી તેમાંથી નીકળવા સમર્થ ન થયો. તે વખતે પોતાના યૂથમાંથી હાંકી કઢાયેલા એક શ્રેષ્ઠ હાથીવડે તે જોવાયો. પછી વેરને યાદ કરીને તેણે તને તીક્ષ્ણ દાંતોથી વીંધ્યો. (૪૫) પછી સાત-દિવસ રાત તીવ્ર વેદનાથી આક્રાંત થયેલો સર્વ એકસો વીશ વર્ષનું આયુષ્ય પાળીને, આર્ત્તધ્યાનને પામેલો, તિર્યંચનું આયુષ્ય બાંધીને અંતે મરીને આજ ભરત ક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં ચારદાંતવાળો, શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત, સાતસો હાથીઓના યૂથનો નાથ એવો તે મેરુપ્રભ નામનો ગંધહસ્તી થાય છે અને ગિરિ-પર્વત તથા જંગલોમાં ભમે છે. કોઈક વખત ઉનાળામાં વનમાં ઘણી વ્યાકુળતા કરનારો દાવાનળ ઉત્પન્ન થયો. (૫૦) આ વ્યાકુળ કરનારો અગ્નિ મારાવડે શું પૂર્વે ક્યાંય જોવાયો છે ? એ પ્રમાણે ઊહાપોહ કરતાં તંને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમ વરસાદ શરૂ થયો ત્યારે કોઈ એક પ્રદેશમાં તે ઘણાં હાથી આદિઓની સાથે પહોંચ્યો અને વૃક્ષ-ઘાસ-લાકડા વગેરેને ઉદ્ધરીને (ઉખેડીને) એક છેડે દૂર કરાવીને મોટું માંડલું કરાવે છે. દવના ભયમાં પોતાના યૂથને રહેવાને માટે ચોમાસાના મધ્યમાં બીજા માંડલાને પણ કરાવે છે અને ચોમાસાની પૂર્ણાહુતિમાં ત્રીજું માંડલું ાય છે. (૫૪) પછી ઉનાળામાં ફરી દાવાનળ સળગ્યો ત્યારે તે હાથી તે જ રીતે ભાગીને પ્રથમ માંડલામાં જેટલામાં પહોંચ્યો તેટલામાં તે માંડલું ચિત્તા-વરુ-વાઘ- અને હરણોથી ભરાઈ ગયું હતું. તેવી જ રીતે બીજું માંડલું ભરાઈ ગયું હોવાથી કરુણાથી તેને પણ છોડીને ત્રીજા માંડલામાં જઈને પરિવાર સહિત રહ્યો. પછી ખંજવાડવા માટે પગને જેટલામાં ઊંચકે છે તેટલામાં તે સ્થાનમાં સસલો આવીને રહ્યો અને તેણે સસલાને કરુણાથી જોયો અને પગ નીચે ન મુક્યો અને ધીર એવો તે પગ ઊંચો કરીને રહ્યો. સસલાની અનુકંપાથી મનુષ્ય આયુષ્ય બાંધ્યું અને સંસાર પરિમિત કર્યો. હવે તે વનનો દાવાનળ અઢી રાત દિવસ સુધી સળગીને શાંત પડે છે ત્યારે અગ્નિના ભયથી મુક્ત થયેલા જંગલીપશુઓના સર્વ સમૂહો માંડલાઓને છોડીને જાય છે.