________________
૧૩૨
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
निपतति, तन्मध्ये च बुभुक्षितं तमनेकदिनानि धरन्ति, ततोऽतिसन्नमकिंचित्करं सन्तं ततः समाकृष्य राजसमीपं नयन्ति, तत्र च शुष्कवृक्षे चर्ममयमहानाडकनियंत्रितो दीनः प्रतिदिनं क्षीयते ।। 'दंतीति गजमेवाधिकृत्याऽऽत्मजीवं શ્ચિતનુશસ્તિ-શિતં-તીખંશ, શેષ સુi II તથા-"લોક' સુકાન | "fમસિ' સુમા | કપ - 'पडिकुंजर' प्रतिपक्षहस्ती तस्य सम्बन्धिनो कठिनी चिहुट्टो-शरीरैकदेशसनिमग्नो यो दन्तो तजनितक्षतेभ्यो गलितः पूयरुधिरोघो यस्य स तथा, अत एव तेषु क्षतेषु परिभ्रमत्कृमिजालो गतोऽसि तत्रैव-गजजन्मनि पञ्चत्वं मरणभावमिति ।। अथ गजमेवाधिकृत्योदाहरणगर्भामात्मानुशास्तिमाह - यथा मेघकुमारस्य गजयूथपतित्वे वनदवे प्रज्वलिते निष्कचवरस्थण्डिलस्थस्य निरालम्बोक्षिप्तैकचरणस्य दुःखमुत्पन्नं तथा तवापि जीव ! तथाविधं दुःखमनन्तशः समुत्पन्नं, अत एव तदवगम्य तथा यतस्व तथा पुनरप्येवंविधदुःखभाग् न भवसीति भावः ।। कः पुनरसो मेघकुमारः ? कथं यूथाधिपतेस्तस्य दुःखमुत्पन्नमिति, ? उच्यते -
ટીકાર્થ અહીં જંગલમાં મોટા હાથીઓને આવી રીતે પકડવામાં આવે છે- વારી નામનો એક મોટો ખાડો ખોદવામાં આવે છે અને તે ખાડો જીર્ણશીર્ણ લાકડાંઓથી તથા ઘાસ અને રજથી ઢાંકવામાં આવે છે અને વારીના સામેના ભાગમાં એક હાથીણીને ઊભી રાખવામાં આવે છે. તેના સ્પર્શમાં લુબ્ધ જંગલનો હાથી દોડે . છે અને તે રાગાંધ હાથી ખાડાને નહીં જોતો તેમાં નીચે પડે છે. તે ખાડામાં પહેલાં હાથીને અનેક દિવસો સુધી ભુખ્યો રાખવામાં આવે છે. પછી અતિકૃશ અને કંઈપણ કરવા અસમર્થ થયેલા તેને તેમાંથી બહાર ખેંચીને રાજાની પાસે લઈ જાય છે અને ત્યાં સુકાઈ ગયેલા ઝાડમાં ચામડાના મોટા દોરડાથી બાંધેલ દીન થયેલો પ્રતિદિન ક્ષીણ થાય છે.
‘તિ તિ' એ પ્રમાણે હાથીને આશ્રયી કોઈક પોતાના આત્માને શિખામણ આપે છે. શિત એટલે તીક્ષ્ણ અંકુશ. બાકીનું સુગમ છે તથા સોડા ' અને મિસિળી એ બે ગાથા સુગમ છે.’
અને બીજું, ‘ડિવુંગર” દુશ્મન હાથી અને તેના સંબંધી બે કઠણ દાંત જે તેના શરીરના એક દેશ (ભાગ)માં લાગેલા છે તે બે દાંત વડે કરાયેલ જખમમાંથી પરુ અને લોહીનો સમૂહ ગળે છે જેનો અને આથી જ તે જખમમાં ઉત્પન્ન થયેલ અને સળવળતા કૃમિના સમૂહવાળો તું પોતે તે ભવમાં જ મૃત્યુ પામ્યો એમ કહેવાનો ભાવ છે.
હવે હાથીને આશ્રયીને ઉદાહરણપૂર્વક આત્માને શિખામણ આપતા કહે છે - જેમ મેઘકુમારને હાથીના યૂથપતિના ભવમાં દાવાનળ પ્રજ્વલિત થયે છતે ઘાસ વિનાના માંડલાની અંદર નિરાલંબન એક પગ ઊંચો કરીને જે દુઃખ થયું તેમ તારે પણ હે જીવ! તેવા પ્રકારનું દુઃખ અનંતવાર ઉત્પન્ન થયું. આથી જ તેને જાણીને તેવી રીતે પ્રયત્ન કરી જેથી ભવિષ્યમાં આવા પ્રકારના દુ:ખને પ્રાપ્ત ન કરે. એ પ્રમાણે કહેવાનો ભાવ છે. પણ આ મેઘકુમાર કોણ છે ? કેવી રીતે તે યુથાધિપતિને દુઃખ ઉત્પન્ન થયું ? તે કહેવાય છે
મેઘકુમારનું કથાનક મગધ દેશમાં રાજગૃહ નામનું શ્રેષ્ઠ નગર હતું. જેમાં સ-અર્થવાળો (નીતિથી ઉપાર્જન કરેલ ધનવાળો) પણ સંખ્યાતીત (અસંખ્ય) લોક વસે છે જેમાં દ્વારપાળો જ પરના (=) દરવાજાઓનું સેવન કરે છે, પણ લોકો (ારાડું =) પરસ્ત્રી સેવન કરતા નથી. તથા જેમાં લોકોનો પ્રદ્વેષ અકાર્યને વિશે છે પણ પરસ્પરને વિશે નથી. રાજગૃહમાં શ્રેણીક નામનો રાજા છે જે સમ્યક્તને વિશે દૃઢ છે, જેણે વીર જિનેશ્વરના