________________
૧૩૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
મારીને અગ્નિમાં શેકીને બહાર જ ભોજન કરતો આ અતિશય-જ્ઞાની એવા મુનિવરથી જોવાયો. ભોજન કર્યા પછી મુનિએ કહ્યું કે અહો હો ! સંસારના વિલાસોને તો જુઓ જેમાં નિવૃણ એવા સ્વપુત્રવડે મારીને પિતાનું ભક્ષણ કરાય છે. (૪૮).
હે મુનિવર ! આવું કોણ કરે છે એમ શૂરે પુછ્યું ત્યારે મુનિ કહે છે કે જે દઢરથ નામનો તારો પિતા હતો તે સ્વકર્મદોષથી આ ડુક્કરના ભવમાં ઉત્પન્ન થયો છે જે તારાવડે ભક્ષણ કરાયો. ઘણી ખાતરીઓથી અને યુક્તિઓથી આ સંગત હકીકત કહ્યા પછી તે પોતાને ફરી ફરી નિંદે છે તથા સંવિગ્ન થયેલ ઘરે ગયો અને બીજે દિવસે પોતાની પત્નીને લઈને મુનિ પાસે આવ્યો. તે મુનિ પણ તેઓની યોગ્યતાને જાણીને કહે છે કે જીવોને મનુષ્યભવાદિ સામગ્રી પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે અને જે આ સામગ્રીને મેળવીને પણ રસની આસક્તિ આદિથી હારી જાય છે, તે નરક અને તિર્યંચ ગતિમાં દુ:ખથી અનંતભવો ભમે છે. તિર્યંચગતિ સુધીના બધા જીવોને આ કામભોગો રમણીય લાગે છે તથા બધા જીવોને વિશે સાધારણ છે. જો વિશિષ્ટ પુરુષ પણ તે કામભોગોને વિશે રમણ કરે તો તેનો પશુઓથી શું ભેદ છે? તથા સંસારમાં ભમતા જીવો વડે અનંતવાર ભોગો ભોગવાયા અને તેના નિમિત્તે ઉપાર્જન કરેલ દુ:ખો પણ ભોગવાયા. દેવલોકમાં ઉત્પન્ન થયેલ જીવ વડે અનંતીવાર સુખો ભોગવાયે છતે જો સંતોષ ન થયો તો આ તુચ્છ, કષ્ટસાધ્ય, લાખો દુ:ખોથી અનુવિદ્ધ (સહિત = અરસપરસ મળેલા) એવા મનુષ્યભવના સુખથી શું સંતોષ થશે ? અને જે સંસારમાં પુત્રોવડે પિતા પણ હણાય છે અને માતાપિતાવડે પુત્રો પણ હણાય છે તે સંસારમાં ધીર પુરુષો કેમ રાગ કરે ? ઇત્યાદિ મુનિના સારા બોધ-પ્રદ વચનોને સાંભળીને સંવિગ્ન થયેલા તેઓ મુનિમૃગેન્દ્રની પાસે સંસાર રૂપી દાવાનળને શાંત કરનાર નવા વાદળની વૃષ્ટિ સમાન જિનદીક્ષાને ગ્રહણ કરે છે. શૂર તે મુનિની પાસે અને ચંદ્રવદના આર્યાની પાસે ઉગ્ર તપ કરીને કર્મથી મુકાયેલા સિદ્ધ થયા. (૧) સાથ ત્નિનધિત્યાડડદ – હવે હાથીને આશ્રયીને કહેવાય છે
लुद्धो फासंमि करेणुयाए वारीए निवडिओ दीणो । झिज्झइ दंती नाडयनियंतिओ सुक्खरुक्खम्मि ।।२२३ ।। विंझरमियाइं सरिउं झिजंतो निबिडसंकलाबद्धो । विद्धो सिरम्मि सियअंकुसेण वसिओ सि गयजम्मे ।।२२४ ।। सोऊण सीहनायं पुत्विं पि विमुक्कजीवियासस्स । निवडंतसीहनहरस्स तत्थ किं तुह दुहं कहिमो ? ॥२२५।। भिसिणीबिसाइं सल्लइदलाई सरिऊण जुनघासस्स । कवलमगिहतो आरियाहिं कह कह न विद्धो सि ? ।।२२६।। पडिकुंजरकढिणचिहुट्टदसणखयगलियपूयरुहिरोहो । परिसकिरकिमिजालो गओ सि तत्थेव पंचत्तं ।।२२७॥