________________
જય ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૨૯
અને નામથી અને કંઠથી કોકિલા ગાયીકા (ગીત ગાનારી સ્ત્રી) છે જેઓવડે ગીત ગાવામાં દેવો પણ જિતાયા છે અને તેઓના ગીતો સાંભળીને મુનિઓ પણ ક્ષોભ પામે છે. (૧૯) તે ગાયકોનું રૂપ સૌભાગ્ય અનુત્તર છે અને બોલવામાં નિપુણ એવા તેઓ ઇન્દ્રાણીઓને પણ વશમાં કરે છે. રાજાએ આ ત્રણેયને ગુપ્ત રીતે ઋષભપુર ચંદ્રવદના પાસે મોકલ્યા અને જઈને વિરહ વર્ણનના ભાવવાળા ગીતોથી તેને એવી રીતે આકર્ષે છે જેથી ક્ષણ પણ તેઓના પડખાને છોડતી નથી. પછી અતિશય આક્ષિપ્ત થયેલી જાણીને ગાયકો શુદ્ધ વિભાવવાળી ચંદ્રવદના પાસે એકાંતમાં કોઈપણ રીતે અનાચારની માગણી કરે છે. પછી ચંદ્રવદનાએ જાણ્યું કે આ દુષ્ટો છે પણ શુભભાવવાળા નથી તેથી પોતાના ભાવને છૂપાવીને તેઓની સન્મુખ ચંદ્રવદના કહે છે કે અહીં શું અયુક્ત છે ? આવતી કાલે રાત્રે તમે ત્રણેય તૈયાર થઈને આવો. પછી ખુશ થઈને તેઓ ગયા.
આ બાજુ ચંદ્રવદનાએ સૂતરના તાંતણાઓથી ખાટલાઓને ભરાવીને (તૈયાર કરાવીને) ઉપર મુકાવ્યા. બીજા દિવસે તેઓ શ્રેષ્ઠ શ્રૃંગાર કરીને રાત્રીએ ત્યાં આવ્યા. પછી દાસચેટીએ કહ્યું કે આગળ ખાટલા પર બેસો, હું સ્વામિની પાસે જઈને ખબર આપું. વસ્ત્રથી આચ્છાદિત કરેલ સૂતરથી ભરેલા ખાટલાઓ ઉપર ત્રણેય પણ જેટલામાં બેસે છે તેટલામાં ભૂમિઘરની અંદર પડ્યા અને દુઃખી થયેલા અકળામણને અનુભવતા રહે છે. (૨૮) પછી ભોજન વખતે અર્ધાસ્થવથી* કોદ્રવકૂરને ત્રણેયને અપાવે છે અને એક કરક પાણીનો મોકલાવે છે ઘણા દિવસો પછી તેઓનું શરીર કપાસની પૂણી જેવું સફેદ થયું. છે અને આ બાજુ રાજા અયોધ્યામાં વિચારે છે કે અન્ય સ્થાનોમાં મારા ગાયકોને મોકલવામાં આવે છે ત્યારે પાછા ફરતા આટલો વિલંબ થતો નથી. જ્યારે અહીં આટલો વિલંબ થયો તેથી કોઈ કારણ હોવું જોઈએ. (૩૧) પછી રાજાએ બીજે દિવસે શૂર રાજપુત્રને એકાંતમાં કહ્યું કે અમે સ્વયં તારી શીલવતી સ્ત્રીને જોવા ઇચ્છીએ છીએ. પછી શૂરે કહ્યું કે જેવી દેવની આજ્ઞા. કોઈને કહ્યા વગર તે બંને પણ છૂપી રીતે શીધ્ર વાહનમાં ત્યાં ગયા. આગળથી જઈને શૂરે પત્નની તે સમગ્ર પણ વૃત્તાંત જણાવ્યો. ચંદ્રવદનાએ પણ શૂરને પૂર્વનો સર્વવૃત્તાંત જણાવ્યો. પછી શૂરે કહ્યું કે હમણાં અહીં શું કરવા જેવું છે ? પછી ચંદ્રવદના કહે છે કે રાત્રીમાં રાજાને તમારે અહીં લાવવા. પછી તે રાજાની પાસે ગયો અને ચંદ્રવદનાએ ત્રણેય ગાયકોને ભૂમિગૃહમાંથી બહાર કઢાવીને, સ્નાન કરાવી, કુસુમમાળાથી પૂજીને ઉત્તમ સ્થાન પર રખાયા અને રાત્રીનો પ્રથમ પહોર પુરો થયો એટલે શૂર પણ રાજાને લઈને આવે છે અને સ્ત્રીને વાત કરે છે. તે પણ કહે છે કે પહેલા દેવાલયના પદ પર રહેલા ત્રણેય દેવતાઓને પગે પડાવો. (૩૮) પછી શર રાજાને આ ત્રણેય ને બતાવીને સ્વયં પાછો કર્યો. રાજાએ પણ આ ત્રણેયને સફેદ શરીરવાળા જોયા. પછી રાજા જેટલામાં સફેદવસ્ત્રવાલા, સફેદ પુષ્પોની માળાઓથી ચારે બાજુથી પૂજાયેલા એવા તેઓના પગમાં પડે છે તેટલામાં તેઓએ ધીમેથી કહ્યું કે અમે કિંમર, ગંધર્વ અને કોકિલા છીએ તેથી હે દેવી! તમે અમારા પગમાં ન પડો. પછી રાજાવડે પુછાયેલા -તેઓએ પણ સર્વ વૃત્તાંત કહ્યો અને ભીંતની પાછળ ઊભેલા શૂર સાંભળ્યો. રાજા પણ ત્યાર પછી આ ત્રણેયને લઈને શૂરની સાથે ચંદ્રવદના પાસે જાય છે નમીને તેઓ શૂરની સમક્ષ તેની શીલબુદ્ધિની પ્રશંસા કરે છે. (૪૩) પછી રાજા તથા ગાયકો, શૂર અને ચંદ્રવદના અયોધ્યા ગયા અને ખુશ થયેલ રાજાએ શૂર તથા ચંદ્રવદનાને ઘણી પ્રસન્નતાથી વરદાન આપ્યું. પછી આ બંનેનો ત્યાં સુખેથી કાળ પસાર થાય છે.
હવે કોઈ વખત શૂર બહાર ઉદ્યાનમાં શિકાર કરે છે અને વૃદ્ધ ડુક્કરના સમૂહને પકડે છે અને ડુક્કરને ” અર્ધસ્થવ = એક જાતનું ભોજનને માપવાનું માપ છે અને કરક પાણીનું માપ છે.