________________
૧૨૬
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
અન્યદિવસે મન-ઇચ્છિત ઔષધાદિને લાવે છતે ગુરુએ પુછ્યું કે હે આર્યા ! મારા મનનો ભાવ તારાવડે કેવી રીતે જણાયો ? આર્યાએ કહ્યું કે જ્ઞાનથી. આચાર્ય પૂછે છે કે તે જ્ઞાન પ્રતિપાતિ (ચાલ્યું જાય તેવું ક્ષયોપશમ ભાવનું) છે કે અપ્રતિપાતિ (ક્ષાયિકભાવનું) છે ? એ પ્રમાણે ગુરુએ પુછ્યું ત્યારે આર્યાએ કહ્યું કે મને અપ્રતિપાતિ જ્ઞાન થયું છે. પછી સંવિગ્ન થયેલા આચાર્ય “મિચ્છામિ દુક્કડ' આપે છે જે મારા વડે અજાણતા કેવલીની આશાતના કરાઈ તે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. અને ઉદાસીન આચાર્ય ખેદ કરવા લાગ્યા કે જે આ મારી શિષ્યા થોડા સમયની દીક્ષિત થયેલી સ્ત્રીમાત્ર પણ સિદ્ધ થશે જ્યારે લાંબા સમયથી આચરેલ વ્રતવાળો એવો પણ હું જરાથી જીર્ણ દેહરૂપી આ પાંજરાને વહન કરીને જાણતો નથી કે હજુ કેટલા ભવ સંસારમાં ભમીશ ? (૧૭૨) પછી કેવળીએ કહ્યું કે ખેદ ન કરો કેમકે ગંગા નદી ઊતરતા તમને પણ કેવળજ્ઞાન થશે અને આ ભવમાં જ સિદ્ધ થશો. આ સાંભળીને સૂરિ પણ તે જ વખતે ગંગાના કાંઠે પહોંચ્યા અને કેટલામાં તે નાવમાં આરૂઢ થાય છે તેટલામાં તેના ભારને સહન નહીં કરતી નાવડી જે જે ભાગમાં આચાર્ય બેસે છે તે તે ભાગથી ડૂબે છે. તેથી ગુસ્સે થયેલા નાવિકો સૂરિને ઊંચકીને ગંગાના પાણીમાં નાખ્યા. પછી જળના જીવોને મિચ્છામિ દુક્કડ આપતા આ સૂરિ સુવિશુદ્ધભાવને પામેલા અંત:કૃત* કેવલી થયા. પછી ખુશ થયેલા દેવોએ તેના શરીરની પૂજા કરી. (૧૭૭)
પછી તે સ્થાને લોકમાં પ્રસિદ્ધ એવું પ્રયાગ નામનું તીર્થ થયું અને જેઓ ગંગાનદીમાં સ્નાન કરે છે તેઓ સુગતિમાં જાય છે એ પ્રમાણેની પ્રસિદ્ધિ લોકમાં રૂઢ થઈ ચિરકાળ વિચરીને આર્યા પુષ્પચૂલા પણ સર્વકર્માશોને ખપાવીને સિદ્ધ થયા. રાજા પુષ્પચૂલ પણ અખંડિત સ્વરૂપવાળા સમ્યકત્વ સહિત શ્રાવક ધર્મને આરાધીને વૈમાનિક દેવલોકમાં જાય છે.
अथ सूकरमधिकृत्याऽऽत्मानुशास्तिमाह - હવે ડુક્કરને આશ્રયીને પોતાના આત્માને શિખામણ આપતા કહે છે
पजलियजलणजालासु उवरि उल्लंबिऊण जीवंतो । भुत्तोऽसि भुंजिउं सूयरत्तणे किह न तं सरसि ? ॥२२०।। प्रज्वलितज्वलनज्वालासु उपर्युलंब्य जीवन्
भुक्तोऽसि भृष्ट्वा शूकरत्वे कथं न तत् स्मरसि ? ।।२२०।। ગાથાર્થ : પ્રજ્વલિત અગ્નિની જ્વાલાઓની ઉપર જીવતો લટકાવીને તું શેકીને ખવાયો છે તે ભૂંડના ભવને કેમ યાદ કરતો નથી ? (૨૨૦)
अधःप्रज्वलज्वलनज्वालानामुपरि अधोमुख उल्लम्ब्य जीवन्नेव भर्जित्वा सूकरत्वे यद् भुक्तोऽस्यनार्यः तत् कथं न સમરસિ ?
ટીકાર્થ : નીચે બળતા અગ્નિની વાળા ઉપર ઊંધા મુખે લટકાવીને જીવતો જ શેકીને ડુક્કરના ભવમાં તું જે અનાર્યો વડે ખવાયો છે તેને તું કેમ યાદ કરતો નથી ? તથા – અંત:કૃત કેવલી = કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત કાળમાં મોક્ષમાં જનારા.
05).
શિશશ શમા રે છે,